Site icon

મુંબઈનાં બગીચા અને મેદાનોને લઈને નગરસેવકો થયા રઘવાયા; જાણો કેમ?

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 5 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

ગુરુવાર

મુંબઈનાં બગીચા તથા મેદાનોની જાળવણી માટે રાખવામાં આવેલા કૉન્ટ્રૅક્ટરોની મુદત ચાર મહિના પહેલાં જ પૂરી થઈ છે. છતાં હજી સુધી કોઈ નવા કૉન્ટ્રૅક્ટર નિમાયા નથી. મુંબઈ મહાનગરપાલિકાએ એ માટે બહાર પાડેલા ટેન્ડરમાં કૉન્ટ્રૅક્ટરોએ અંદાજે 40 ટકા ઓછા દરે ટેન્ડર ભર્યાં છે. એથી પાલિકા પ્રશાસન ફરીથી ટેન્ડર બહાર પાડવાનો વિચાર કરી રહી છે. જોકે નગરસેવકોને મેદાન અને બગીચા કરતાં તેમની પોતાની ચિંતા વધારે થઈ રહી છે. આગામી વર્ષે મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી થવાની છે, ત્યારે બગીચા તથા મેદાનોની જાળવણી અને તેના સંભાળ રાખવાના કામમાં પ્રશાસન તરફથી બેદરકારી દાખવવામાં આવી રહી છે. એથી નગરસેવકોએ નાગરિકોના રોષના ભોગ બનવું પડી રહ્યું છે. ચૂંટણીના સમયમાં પોતાની વોટબૅન્કની નારાજગી નગરસેવકોને ડરાવી રહી છે. એથી રઘવાયા બનેલા નગરસેવકો બગીચા-મેદાનની સંભાળ માટે તાત્કાલિક ધોરણે કૉન્ટ્રૅક્ટર નીમવાની માગણી પ્રશાસનને કરી રહ્યા છે.

શાબ્બાશ! માત્ર ચાર મહિનામાં જ મુંબઈ મહાનગરપાલિકાએ વસૂલ્યો આટલા કરોડ રૂપિયાનો પ્રૉપર્ટી ટૅક્સ; જાણો વિગત

Amit Satam: અમિત સાટમનો ખુલાસો: વિવાદાસ્પદ ‘ખાન’ નિવેદન પર સ્પષ્ટતા, વિપક્ષ પર સાધ્યું નિશાન .
Mumbai train accident: મુંબઈમાં ગમખ્વાર દુર્ઘટના: ‘રેલ રોકો’ આંદોલન દરમિયાન ટ્રેક પર ચાલતા મુસાફરોને ટ્રેને ટક્કર મારતા બેના મોત, ત્રણ ઘાયલ
Mumbai crime branch: મુંબઈમાં ₹૩ કરોડના પ્રતિબંધિત હુક્કા ફ્લેવર્સની દાણચોરી કરતો વેપારી ઝડપાયો
Thane Crime: થાણેમાં મોટો ચૂનો: કાપડના વેપારીઓ સાથે ₹અઢી કરોડની છેતરપિંડી, માલ લઈ આરોપી ફરાર, વેપારી જગતમાં ખળભળાટ.
Exit mobile version