Site icon News Continuous Bureau | Mumbai

બોરીવલીની કોર્ટે અનેક ઍક્ટિવિસ્ટોને રાહત આપી, આરે આંદોલન સંદર્ભે આ નિર્ણય લીધો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 13 સપ્ટેમ્બર, 2021

Join Our WhatsApp Channel

સોમવાર

આરે કૉલોનીમાં મેટ્રો કારશેડ માટે ઝાડ તોડવાનો વિરોધ કરનારા 29 આંદોલનકારી સામેના ગુનો પાછા ખેંચવાની બોરીવલી મૅજિસ્ટ્રેટ કોર્ટે મંજૂરી આપી છે.

4 ઑક્ટોબર, 2019ના રાતના સમયે મેટ્રો કારશેડ માટે ઝાડ કાપવાનું ચાલુ હતું ત્યારે તેનો વિરોધ કરવા ગયેલા પર્યાવરણપ્રેમીઓને પોલીસે તાબામાં લીધા હતા. તેમાંથી 29 સામે ગુનો નોંધી તેમની ધરપકડ કરવામાં આવી હતી. જેમાં સૌથી વધુ કૉલેજના વિદ્યાર્થીઓ હતા. વિદ્યાર્થીઓ સામે ગંભીર ગુના નોંધાવાથી તેમને નોકરી અને પાસપૉર્ટમાં તકલીફ થઈ શકે છે. તેથી મહાવિકાસ આઘાડીની સરકારે સત્તામાં આવતાંની સાથે જ ડિસેમ્બર 2019માં કારશેડ પર સ્ટે આપ્યો હતો. તેમ જ આરેને બચાવવા માટે આંદોલન કરનારાઓ સામેના કેસ પાછા ખેંચવાનો આદેશ પણ મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ આપ્યો હતો.

ગણેશવિસર્જન સાથે કોરોનાના નિયમોનું પણ વિસર્જન થયું, આવા હાલ થયા વિસર્જનસ્થળ પર; જાણો વિગત

સરકારે ગુનો પાછો ખેંચવાનો અહેવાલ કોર્ટમાં રજૂ કર્યો હતો. સંબંધિત લોકો સામે ભૂતકાળમાં કોઈ ગુના નોંધાયા નથી. મોટાભાગના વિદ્યાર્થીઓ છે. તેથી કેસ પાછો ખેંચવામાં કોઈ અડચણ ન હોવાનો સરકારે કોર્ટમાં અહેવાલ આપ્યો હતો. તેથી કોર્ટે તમામ 29 લોકો સામેના ગુના પાછા ખેંચીને કેસ બંધ કરવાની મંજૂરી આપી હતી.

Mumbai Traffic Police E Challan। મુંબઈ ટ્રાફિક પોલીસનો ડિજિટલ સપાટો ૨૪ કલાકમાં ફાટ્યા ૬,૫૦૦ ઈચલણ, ૫૯ લાખ રૂપિયાથી વધુનો દંડ વસૂલાયો
Mumbai Lalbaugcha Rajaલાલબાગના રાજા નું પાદપૂજન સંપન્ન; આજથી મૂર્તિ નિર્માણના કામનો થયો શુભારંભ..
Facebook Cyber Fraud India। ફેસબુક ફ્રેન્ડ રિકવેસ્ટ પડી મોંઘી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે ૬૨ વર્ષીય વેપારી સાથે ₹૧૫ લાખની ઠગાઈ
Mumbai Water Tanker Strike| મુંબઈમાં જળ સંકટ ઘેરૂં બન્યું પાણીના ટેન્કરોની અચોક્કસ મુદતની હડતાળથી હાઉસિંગ સોસાયટીઓ અને રેલવે મુશ્કેલીમાં
Exit mobile version