Site icon

મુંબઈમાં માસ્ક નહીં પહેરનારાઓ સાવધાન.. મનપાએ આરંભી સામુહિક ઝુંબેશ.. જોજો ક્યાંક તમે પણ નહીં દંડાઈ જાવ..

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો 

મુંબઈ

Join Our WhatsApp Community

13 ઓક્ટોબર 2020

મુંબઈકરો ભૂલેચૂકે પણ માસ્ક પહેર્યાં વગર ઘરની બહાર નહીં નીકળતા.. અને જો નીકળો તો તરત દંડ ભરવાની તૈયારી રાખજો. હવે તમારૂ કોઈ  બહાનું ચાલશે નહીં..તહેવારની સીઝન આવી રહી છે. તે પહેલા કોવિડ -19 ના ફેલાવાને સમાપ્ત કરવા માટે પાલિકાએ એક ઝુંબેશ શરૂ કરી છે. જેમાં માસ્ક ન પહેરનારાઓ પાસે તાત્કાલીક દંડ વસુલવામાં આવશે. મનપાએ દરરોજ 20,000 જેટલા આવા નાગરિકોને પકડવાનું લક્ષ રાખ્યું છે અને જાહેર સ્થળોએ માસ્ક ન પહેરવા બદલ 200 રૂપિયાનો દંડ લેવામાં આવશે. ઓછામાં ઓછા એક મહિના સુધી આ ઝુંબેશ ચાલુ રહેશે, એમ મનપા કમિશનર ઇકબાલસિંહ ચહલે જણાવ્યું હતું. સાથે જ તેઓ જાતે રોજ પરિસ્થિતિનું નિરીક્ષણ પણ કરશે. 

મુંબઈમાં અત્યાર સુધીમાં 2.27 લાખ કોવિડ -19 કેસ નોંધાયા છે અને આ રોગને કારણે 9,300 થી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. ચહલે જણાવ્યું હતું કે, શહેરમાં સક્રિય કેસની સંખ્યા રવિવારે ઘટીને 22,369 પર આવી છે. અને, સરેરાશ મૃત્યુ દરમાં પણ ઘટાડો થયો છે. કેસોનો બમણા થવાનો દર ધીમો પડી ગયો છે. ચહલના મત મુજબ સરેરાશ મૃત્યુ દર 4.90 ટકાથી ઘટીને 4.14 ટકા થઈ ગયો છે. મનપા કમિશનરે જણાવ્યું હતું કે છેલ્લા એક મહિનામાં, દરરોજ પરીક્ષણોની સંખ્યા 7,000 થી વધારીને 12,000 કરી દીધી છે. અત્યાર સુધીમાં, નાગરિક સંસ્થાએ શહેરમાં 12.61 લાખ કોવિડ -19 પરીક્ષણો કર્યા છે. સાથે જ એમસીજીએમ આગામી દિવસોમાં પરીક્ષણોની સંખ્યા 16,000 થી વધારીને 18,000 કરવાનો પ્રયત્ન કરી રહ્યું છે.

Borivali Navratri 2025: વર્ષ ૨૦૨૫ની સુપરહિટ નવરાત્રી એટલે બોરીવલીની ‘રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’.
Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Exit mobile version