Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચારઃ મુંબઈમાં કોરોના નિયંત્રણમાં, 24 કલાકમાં નોંધાયા માત્ર આટલા કેસ જાણો વિગત,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 8 ફેબ્રુઆરી 2022    

Join Our WhatsApp Channel

મંગળવાર.

મુંબઈ સહિત રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેર નિયંત્રણમાં આવી ગઈ હોવાનું જણાઈ રહ્યું છે. સોમવારે મુંબઈમાં માત્ર 356 નવા કેસ નોંધાયા હતા, જયારે મૃત્યુ આંક પણ માત્ર પાંચ રહ્યો હતો. તો મહારાષ્ટ્રમાં પણ 24 કલાક ફક્ત 6,346 નવા કેસ નોંધાયા હતા.

મુંબઈમાં સોમવારે માત્ર 356 કેસ નોંધાયા હતા. 21 ડિસેમ્બર 2021 પછીના સૌથી ઓછા કેસ નોંધાયા હતા.  એ સાથે જ મુંબઈમાં અત્યાર સુધી કોરોનાના કુલ કેસની સંખ્યા 10,50,194 થઈ ગઈ છે. 24 કલાકમાં પાંચ મોતની સાથે જ છેલ્લા બે વર્ષનો કોરાનાને કારણ મૃત્યુઆંક 16,666 થઈ ગયો છે.

ઘાટકોપરના બિઝનેસન પાર્કમાં લાગી આગઃ લોકોનો ચમત્કારીક બચાવ જાણો વિગત,જુઓ વિડિઓ

મુંબઈમા 21 ડિસેમ્બર 2021થી કોરોનાની ત્રીજી લહેર શરૂ થઈ હતી. મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં કોરોનાના કેસમાં ઘટાડાની સાથે જ 24 કલાક દરમિયાન કોરાનાના વેરિયન્ટ ઓમાઈક્રોનનો એક પણ કેસ નોંધાયો નહોતો. મહારાષ્ટ્રમાં અત્યાર સુધી ઓમાઈક્રોનના 3,334 કેસ નોંધાઈ ચૂકયા છે.

મુંબઈમાં હાલ રિકવરી રેટ 98 ટકા છે, તે કેસ ડબલ થવાનો સમયગાળો 760 દિવસનો છે. 

Mumbai Sion Hospital Sickle Attack।મુંબઈમાં માથામાં ખૂંપેલા દાતરડા સાથે યુવક રસ્તા પર ભટકતો દેખાયો; સાયન વિસ્તારમાં મચી ચકચાર
Kharghar Tragedy। ખારઘરમાં બેફામ ડમ્પરની ટક્કરે ૨૮ વર્ષીય યુવા વકીલનું કરૂણ મોત; રોષે ભરાયેલા લોકોના ચક્કાજામથી ટ્રાફિક ખોરવાયો
Navi Mumbai Cable Theft Scam 200 Crore। નવી મુંબઈમાં ૨૦૦ કરોડનું કેબલ ચોરી કૌભાંડ બેનકાબ તુર્ભેના જંગલમાં મધ્યરાત્રિએ પોલીસના દરોડા, ૩૫ની ધરપકડ
Borivali Book Fair Devi Eternity| બોરીવલીમાં પુસ્તક મેળો અને સાહિત્ય ગોષ્ઠિનો સમન્વય બુધવારે યોજાશે “નિબંધના ભાવવિશ્વમાં” કાર્યક્રમ
Exit mobile version