Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ શહેરમાં ઝૂંપડપટ્ટીમાંથી કોરોના એ ચાલતી પકડી અને બિલ્ડિંગોમાં ધામા નાખ્યા… જાણો મહાનગરપાલિકાના તાજા આંકડા…

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Channel

02 માર્ચ 2021

મુંબઈ મહાનગર પાલિકામાં કોરોનાના દર્દીઓની સંખ્યા વધી રહી છે તેની સાથે એક ખતરનાક ટ્રેન્ડ દેખાયો છે. મુંબઈ મહાનગરપાલિકાની હદમાં આવતી ચાલીઓ અને ઝૂંપડપટ્ટીમાંથી કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી થઈ રહી છે જ્યારે કે બિલ્ડિંગોમાં નિવાસ કરતા લોકો કોરોનાના સંસર્ગમાં આવી રહ્યા છે.

મુંબઈ મહાનગરપાલિકા દ્વારા પહેલી માર્ચ ના જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ મુંબઈ શહેરમાં 137 ઇમારતો પ્રતિબંધિત છે જ્યારે કે માત્ર દસ ઝૂંપડપટ્ટીના પટ્ટાઓ પ્રતિબંધિત છે.

ઝૂંપડપટ્ટી ક્ષેત્રમાં કોરોનાના દર્દીઓની સંખ્યા ઓછી થવાને કારણે ત્યાં રહેલા પ્રતિબંધિત ક્ષેત્રો ઊઘડ્યાં છે જ્યારે કે બિલ્ડિંગોમાં નિવાસ કરી રહેલા લોકોને પ્રમાણમાં વધુ કોરોના લાગુ પડતા બિલ્ડિંગોને સીલ કરવાનું પ્રમાણ વધ્યું છે.

જો આંકડાકીય રીતે જોવા જઈએ તો મુંબઈ શહેરમાં 10 ઝૂંપડપટ્ટીઓ પ્રતિબંધિત ક્ષેત્ર છે જેમાં કુલ 61 હજાર લોકો રહે છે. જ્યારે કે કુલ 137 ઇમારતોને પ્રતિબંધિત જાહેર કરવામાં આવી છે જેને કારણે એક લાખ 27 હજાર લોકો આ વિસ્તારોમાં છે. 

1 માર્ચના રોજ મળેલા આંકડા મુજબ અંધેરી અને જોગેશ્વરી પશ્ચિમ ભાગમાં કુલ 19 ઇમારતો પ્રતિબંધિત છે. ચેમ્બુરમાં 18, ભાંડુપ માં 16, બાંદ્રામાં 12, લાલબાગ અને પરેલમાં 12 ઇમારતો પ્રતિબંધિત છે.

Bombay High Court Manual Scavenging હાથથી ગટર સફાઈના મુદ્દે બોમ્બે હાઈકોર્ટની વેધક ટિપ્પણી ‘આપણી માનસિકતા બદલાઈ નથી’
Jogeshwari Police Recovery જોગેશ્વરી પોલીસ બની દેવદૂત મૂકબધિર બાળકના ખોવાયેલા મોબાઈલની શોધખોળ કરી પરિવારને સોંપ્યો
Marine Drive Arms Seizure મરીન ડ્રાઇવ પર હડકંપ! ત્રણ પિસ્તોલ અને જીવંત કારતુસ સાથે ચાર કુખ્યાત શખ્સો ઝડપાયા
BMC Officials Arrested જપ્ત કરાયેલો સામાન છોડવા માટે માંગી લાંચ બીએમસીના બે અધિકારીઓ એસીબીના પંજામાં
Exit mobile version