Site icon News Continuous Bureau | Mumbai

રવિવારે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાના છો? તો પહેલા વાંચી લો આ સમાચાર. રેલવેએ આ લાઈન પર રાખ્યો છે મેગા બ્લોક! જુઓ શેડ્યૂલ

CR Announces 6-hour Mega block on May 21

રવિવારે લોકલ ટ્રેનમાં મુસાફરી કરવાના છો? તો પહેલા વાંચી લો આ સમાચાર. રેલવેએ આ લાઈન પર રાખ્યો છે મેગા બ્લોક! જુઓ શેડ્યૂલ

  News Continuous Bureau | Mumbai

મુંબઈ લોકલ મુંબઈવાસીઓની લાઈફ લાઈન ગણાય છે. પરંતુ રવિવાર ના દિવસે કેટલાક મેઇન્ટેનન્સ ના કામ માટે પેસેન્જર સર્વિસમાંથી થોડો સમય માટે બ્રેક લે છે. મધ્ય રેલવેએ આવતીકાલે એટલે કે રવિવાર, 21 મે, 2023 ના રોજ વિવિધ એન્જિનિયરિંગ અને જાળવણીના કામો માટે ઉપનગરીય વિભાગોમાં મેગા બ્લોક લેવાની જાહેરાત કરી છે. તેથી મુંબઈકરોએ રવિવારે તેમની મુસાફરીનું આયોજન કરતા પહેલા જાણવું જોઈએ કે મેગા બ્લોક ક્યાં લેવાનો છે.

Join Our WhatsApp Channel

માટુંગા-મુલુંડ અપ અને ડાઉન એક્સપ્રેસ વે પર સવારે 11.05 થી બપોરે 03.55 વાગ્યા સુધી મેગા બ્લોક 

બ્લોકના પગલે છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી સવારે 10.25 થી બપોરે 03.35 વાગ્યાની વચ્ચે ઉપડતી ડાઉન એક્સપ્રેસ સેવાઓને માટુંગા અને મુલુંડ સ્ટેશનો વચ્ચે ડાઉન ધીમી લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે અને તેના નિર્ધારિત સ્ટોપ પર થોભશે. થાણેથી આગળ, આ એક્સપ્રેસ ટ્રેનોને ડાઉન એક્સપ્રેસ લાઇન પર વાળવામાં આવશે અને નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ મોડી દોડશે.

આ સમાચાર પણ વાંચો: થલપથી વિજય બન્યો ભારતનો સૌથી વધુ કમાણી કરનાર અભિનેતા, આગામી ફિલ્મ માટે લીધી અધધ આટલી ફી!

થાણેથી સવારે 10.50 થી બપોરે 3.46 વાગ્યા સુધી અપ ફાસ્ટ લાઇન સેવાઓને મુલુંડ અને માટુંગા વચ્ચે અપ સ્લો લાઇન પર ડાયવર્ટ કરવામાં આવશે અને તેમના સંબંધિત નિર્ધારિત સ્ટોપ પર રોકાશે. ત્યારબાદ એક્સપ્રેસ ને ફરીથી ફાસ્ટ અપ રૂટ પર ડાયવર્ટ કરવામાં આવશે અને નિર્ધારિત સમય કરતાં 15 મિનિટ મોડી દોડશે.

પનવેલ-વાશી અપ અને ડાઉન હાર્બર રૂટ પર સવારે 11.05 થી સાંજે 4.05 વાગ્યા સુધી

(બેલાપુર/નેરુલ-ખારકોપર રૂટને બાદ કરતાં)

પનવેલથી સવારે 10.33 થી બપોરે 3.49 વાગ્યા સુધી છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ સુધીના અપ હાર્બર રૂટ પર અને ડાઉન હાર્બર રૂટ પર છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈથી પનવેલ/બેલાપુર સુધીની સેવાઓ સવારે 9.45 થી બપોરે 3.12 સુધી રદ કરવામાં આવી છે.

સવારે 11.02 થી બપોરે 3.53 વાગ્યા સુધી થાણેથી ઉપડતી અપ ટ્રાન્સ હાર્બર રૂટ સેવાઓ અને થાણેથી પનવેલ સુધીની ડાઉન ટ્રાન્સહાર્બર રૂટની સેવાઓ સવારે 10.01 થી બપોરે 3.20 વાગ્યા સુધી રદ રહેશે. બ્લોક સમયગાળા દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ મુંબઈ-વાશી વિશેષ લોકલ દોડશે. બ્લોક સમયગાળા દરમિયાન થાણે-વાશી/નેરુલ સ્ટેશનો વચ્ચે ટ્રાન્સ હાર્બર લાઇન સેવાઓ ઉપલબ્ધ રહેશે. બ્લોક સમયગાળા દરમિયાન લોકલ ટ્રેનો બેલાપુર-ખારકોપર અને નેરુલ-ખારકોપર વચ્ચે સમયપત્રક મુજબ દોડશે. આ મેન્ટેનન્સ બ્લોકને કારણે મુસાફરોને પડી રહેલી અસુવિધા બદલ રેલવે પ્રશાસન માફી માંગે છે.

Mumbai Fake Currency Seizure મુંબઈમાં ₹૫૦૦ના દરની ₹૧૦.૬૪ લાખની બનાવટી નોટો જપ્ત ક્રાઈમ બ્રાન્ચે મહિલા સહિત બે આરોપીઓને ઝડપ્યા
DRI Gold Smuggling Mumbai Air Cargo મુંબઈ એર કાર્ગોમાંથી ₹૧.૧૦ કરોડનું દાણચોરીનું સોનું ઝડપાયું DRIએ વિદેશી સિન્ડિકેટના ૨ સાગરીતોને દબોચ્યા, ટ્રેડમિલમાં સંતાડ્યું હતું ગોલ્ડ
Mumbai Stolen iPhone IMEI Racket મુંબઈમાં ચોરાયેલા iPhoneનો IMEI બદલતી ગેંગ પકડાઈ ચારની ધરપકડ અને ₹૪૫ લાખનો મુદ્દામાલ જપ્ત
Mumbai Cyber Crime Sextortion બદનામીના ખોફે બરબાદ કર્યો! ન્યૂડ ફોટોના બહાને શેર ટ્રેડર પાસેથી ₹18.50 લાખ પડાવ્યા, 2 વર્ષ સુધી નાણાં ચૂકવ્યા બાદ સાયબર સેલમાં ફરિયાદ
Exit mobile version