Site icon

બૃહન્મુંબઇની હદમાં આ તારીખ સુધી મુંબઈમાં જમાવબંધી. પાંચ અથવા તેનાથી વધુ વ્યક્તિને એકઠા થવા, મોરચો કાઢવા પર રહેશે પ્રતિબંધ

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,

મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022,         

Join Our WhatsApp Community

શુક્રવાર

મુંબઈમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે શહેરમાં 8 માર્ચ, 2022 સુધી જમાવબંધી આદેશ લાગુ કરવામાં આવ્યો છે.

આ આદેશ અનુસાર પાંચ અથવા તેનાથી વધુ વ્યક્તિને એકઠા થવા, મોરચો કાઢવા, જાહેર માર્ગો પર મ્યુઝિક સિસ્ટમનો ઉપયોગ, ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. 

જોકે શાંતિપૂર્ણ મોરચો અને દેખાવોને પોલીસની પરવાનગી હોય તો તેને જમાવબંધી આદેશમાંથી બાકાત રાખવામાં આવ્યા છે.

સિનેમાગૃહ, નાટ્યગૃહ, સાર્વજનિક મનોરંજનના સ્થળો, ન્યાયાલયો, સરકારી અર્ધસરકારી કાર્યાલયો, કોલેજો, શૈક્ષણિક સંસ્થાઓ, કંપની, કારખાના, દુકાનોને બાદ કરવામાં આવ્યા છે. 

આ સિવાય વિવાહ સમારંભ, અંતિમવિધી, સહકારી સંસ્થા અને અન્યસંસ્થાની બેન્કો, ક્લબમાં થનારા કાર્યક્રમ,સહકારી સંસ્થાના નિયમિત કામકાજને આ આદેશથી મુક્ત રાખવામાં આવ્યા છે.

રાષ્ટ્રવાદી બાદ હવે શિવસેના સપાટામાં!!! મુંબઈ મનપાના આ નગરસેવકના ઘરે ઈન્કમટેક્સની ધાડ જાણો વિગત

Mumbai Jeweller Fraud: મુંબઈમાં હાઈ-પ્રોફાઈલ છેતરપિંડી: કર્ણાટકના મંત્રીને દાગીના બતાવવાના બહાને જ્વેલર પાસેથી ₹૧૧ લાખના ઘરેણાં પડાવી આરોપી ફરાર
Mumbai Cyber Cell : મુંબઈમાં ‘ડિજિટલ અરેસ્ટ’ ફ્રોડનો પર્દાફાશ: મની લોન્ડરિંગના નામે વૃદ્ધ પાસેથી ₹૧૦ લાખ પડાવનાર બે ઠગ ઝડપાયા, ૧૪ રાજ્યોમાં ફેલાયેલું હતું નેટવર્ક
India’s first musical road : મુંબઈ કોસ્ટલ રોડ પર ગુંજશે ‘જય હો’: ભારતનો પ્રથમ અને વિશ્વનો પાંચમો ‘મ્યુઝિકલ રોડ’ તૈયાર, જાણો કેવી રીતે વાગશે સંગીત
Ajit Pawar Plane Crash Case: રોહિત પવારના ગંભીર આક્ષેપો, અજિત પવારના હેલિકોપ્ટર અકસ્માત પાછળ કાવતરાની આશંકા વ્યક્ત કરી
Exit mobile version