Site icon

Dahisar Toll Plaza: મુંબઈમાં પ્રવેશ હવે સરળ? દહિસર ટોલ અંગે મોટો નિર્ણય

દહિસર ટોલ નાકાને કારણે દરરોજ લાખો વાહનચાલકોને કારણ વગર રોકાવું પડે છે

Dahisar Toll Plaza મુંબઈમાં પ્રવેશ હવે સરળ દહિસર ટોલ અંગે મોટો નિર્ણય

Dahisar Toll Plaza મુંબઈમાં પ્રવેશ હવે સરળ દહિસર ટોલ અંગે મોટો નિર્ણય

News Continuous Bureau | Mumbai

દહિસર ટોલ નાકાને કારણે દરરોજ લાખો વાહનચાલકોને કારણ વગર રોકાવું પડે છે, બળતણનો વ્યય થાય છે, પ્રદૂષણ વધે છે. આ ટોલનાકુ મીરા-ભાઈંદરથી મુંબઈની મુસાફરી નાગરિકો માટે માથાનો દુખાવો બની ગયું છે.
દરરોજ અડધો-એક કલાક મુસાફરી વધી જવી, વાહનોની લાંબી કતારો અને વધેલું પ્રદૂષણ આ બધાનો ત્રાસ છેલ્લાં ઘણાં વર્ષોથી સ્થાનિકોએ સહન કરવો પડતો હતો. આ સંદર્ભે સ્થાનિક ધારાસભ્યો, લોકપ્રતિનિધિઓ અને નાગરિકો સતત અવાજ ઉઠાવી રહ્યા હતા.

Join Our WhatsApp Community

આખરે, સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના હસ્તક્ષેપથી આ પ્રશ્નનો ઉકેલ આવ્યો. આ સંદર્ભે થયેલી બેઠકમાં દહિસરના ધારાસભ્ય પ્રકાશ સુર્વે, પોલીસ કમિશનર નિકેત કૌશિક, MSRDC અને NHAI ના અધિકારીઓ, IRB ના પ્રતિનિધિઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : No PUC No Fuel: PUC નહીં, તો ઇંધણ નહીં મળે, સરકારનો કડક આદેશ

પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકએ જણાવ્યું કે, દહિસર ટોલ નાકાને ત્યાંથી ૨ કિલોમીટર આગળ, વર્સોવા પુલ સામેની નર્સરી પાસે સ્થળાંતરિત કરવામાં આવશે. આ પ્રક્રિયા દિવાળી પહેલા પૂરી થઈ જશે.
આનાથી મીરા-ભાઈંદરના અને મુંબઈ તરફ જતા લાખો મુસાફરોને ટ્રાફિક જામ અને ટોલના ત્રાસમાંથી રાહત મળશે. સરનાઈકે વિશ્વાસ વ્યક્ત કર્યો કે શિવસેના વતી નાગરિકોને રાહત આપવા માટે આ દિવાળીની ‘ટોલ-મુક્ત પ્રવાસ’ ભેટ છે

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version