Site icon News Continuous Bureau | Mumbai

Dahisar Toll Plaza: મુંબઈમાં પ્રવેશ હવે સરળ? દહિસર ટોલ અંગે મોટો નિર્ણય

દહિસર ટોલ નાકાને કારણે દરરોજ લાખો વાહનચાલકોને કારણ વગર રોકાવું પડે છે

Dahisar Toll Plaza મુંબઈમાં પ્રવેશ હવે સરળ દહિસર ટોલ અંગે મોટો નિર્ણય

Dahisar Toll Plaza મુંબઈમાં પ્રવેશ હવે સરળ દહિસર ટોલ અંગે મોટો નિર્ણય

News Continuous Bureau | Mumbai

દહિસર ટોલ નાકાને કારણે દરરોજ લાખો વાહનચાલકોને કારણ વગર રોકાવું પડે છે, બળતણનો વ્યય થાય છે, પ્રદૂષણ વધે છે. આ ટોલનાકુ મીરા-ભાઈંદરથી મુંબઈની મુસાફરી નાગરિકો માટે માથાનો દુખાવો બની ગયું છે.
દરરોજ અડધો-એક કલાક મુસાફરી વધી જવી, વાહનોની લાંબી કતારો અને વધેલું પ્રદૂષણ આ બધાનો ત્રાસ છેલ્લાં ઘણાં વર્ષોથી સ્થાનિકોએ સહન કરવો પડતો હતો. આ સંદર્ભે સ્થાનિક ધારાસભ્યો, લોકપ્રતિનિધિઓ અને નાગરિકો સતત અવાજ ઉઠાવી રહ્યા હતા.

Join Our WhatsApp Channel

આખરે, સરકાર દ્વારા ઉચ્ચ સ્તરીય બેઠક યોજવામાં આવી હતી. નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેના હસ્તક્ષેપથી આ પ્રશ્નનો ઉકેલ આવ્યો. આ સંદર્ભે થયેલી બેઠકમાં દહિસરના ધારાસભ્ય પ્રકાશ સુર્વે, પોલીસ કમિશનર નિકેત કૌશિક, MSRDC અને NHAI ના અધિકારીઓ, IRB ના પ્રતિનિધિઓ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

આ સમાચાર પણ વાંચો : No PUC No Fuel: PUC નહીં, તો ઇંધણ નહીં મળે, સરકારનો કડક આદેશ

પરિવહન મંત્રી પ્રતાપ સરનાઈકએ જણાવ્યું કે, દહિસર ટોલ નાકાને ત્યાંથી ૨ કિલોમીટર આગળ, વર્સોવા પુલ સામેની નર્સરી પાસે સ્થળાંતરિત કરવામાં આવશે. આ પ્રક્રિયા દિવાળી પહેલા પૂરી થઈ જશે.
આનાથી મીરા-ભાઈંદરના અને મુંબઈ તરફ જતા લાખો મુસાફરોને ટ્રાફિક જામ અને ટોલના ત્રાસમાંથી રાહત મળશે. સરનાઈકે વિશ્વાસ વ્યક્ત કર્યો કે શિવસેના વતી નાગરિકોને રાહત આપવા માટે આ દિવાળીની ‘ટોલ-મુક્ત પ્રવાસ’ ભેટ છે

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Orange Gate Dumping Civic Halt મુંબઈમાં મેગા પ્રોજેક્ટ અટક્યો, સવાલો વધ્યા! શું ગટરલાઈનમાં કેમિકલ ઠાલવીને પર્યાવરણને જોખમમાં મુકાયું? મનપાએ લીધા કડક પગલાં
Exit mobile version