Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈના પોલીસ સ્ટેશનમાં હવે વિનયભંગ કે પછી બાળ ઉત્પીડનની ફરિયાદ સીધેસીધી નહી લખાય- DCP ની પરવાનગી જરૂરી- જાણો મુંબઈ પોલીસ કમિશનર ના નવા ઓર્ડર વિશે

News Continuous Bureau | Mumbai 

ગત છઠ્ઠી જૂને મુંબઈના પોલીસ (Mumbai police commissoner)કમિશનર સંજય પાંડે(Sanjay Pandey)એ એક કાર્યાલય આદેશ જાહેર કર્યો છે. આ આદેશમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે મુંબઈ પોલીસ(Mumbai police)ની હદમાં આવતા એકેય પોલીસ સ્ટેશને વિનયભંગ કે પછી બાળ ઉત્પીડન (molestation)ની ફરિયાદ સીધેસીધી ન લખવી. પોતાના આદેશમાં કમિશનરે જણાવ્યું છે કે એવું નોંધવામાં આવ્યું છે કે મુંબઈ શહેરમાં વ્યક્તિગત કારણો તેમજ અંદરોઅંદર ના ઝગડા પતાવવા માટે કાયદાનો ખોટી રીતે ઉપયોગ કરતાં અનેક લોકો આવા પ્રકારની બનાવટી ફરિયાદ કરે છે. તેમજ આવી ફરિયાદ થઇ ગયા બાદ પોલીસ વિભાગે આરોપીની ધરપકડ કરવી પડે છે અને જ્યાં સુધી આરોપ ખોટો સાબિત ન થાય ત્યાં સુધી તે વ્યક્તિ જેલમાં રહે છે. 

Join Our WhatsApp Channel

પોતાના આદેશમાં પોલીસ કમિશનરે જણાવ્યું છે કે આજ પછી આવા પ્રકારના કોઈ પણ કેસ રજીસ્ટર કરતા પહેલા DCPની પરવાનગી લેવી ફરજિયાત રહેશે.  તેમજ સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો : એક અઠવાડિયા પહેલા બાંદરા-વરલી સી લિંક પર થયેલા અકસ્માતનો વિડીયો હવે સામે આવ્યો- પક્ષી બચાવવા જતા એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો- જુઓ વિડિયો

Mumbai Water Cut| મુંબઈના 5 વોર્ડમાં 30 કલાક સુધી પાણી નહીં આવે, મહાપાલિકાનો મોટો નિર્ણય; જુઓ અસરગ્રસ્ત વિસ્તારોની યાદી
Maharashtra Weather Alert। અરબી સમુદ્રમાં હલચલ! મુંબઈ સહિત કોંકણમાં ગરમીનું નવું સંકટ, શું આવશે ચક્રવાત? જાણો હવામાન વિભાગની આગાહી
Mumbai Sion Hospital Sickle Attack।મુંબઈમાં માથામાં ખૂંપેલા દાતરડા સાથે યુવક રસ્તા પર ભટકતો દેખાયો; સાયન વિસ્તારમાં મચી ચકચાર
Kharghar Tragedy। ખારઘરમાં બેફામ ડમ્પરની ટક્કરે ૨૮ વર્ષીય યુવા વકીલનું કરૂણ મોત; રોષે ભરાયેલા લોકોના ચક્કાજામથી ટ્રાફિક ખોરવાયો
Exit mobile version