Site icon

વાહન ચાલકોને મળશે રાહત.. બે સપ્તાહમાં અંધેરીના ગોખલે બ્રિજ પર આવા વાહનોના પ્રવેશ અંગે પાલિકા લેશે નિર્ણય.. 

Gokhale bridge: BMC keeps its 'Plan B' ready

શું ચોમાસા પહેલા રેલ્વેનું કામ નહીં થાય પૂર્ણ? ગોખલે બ્રિજ માટે પાલિકા 'પ્લાન બી' સાથે છે તૈયાર..

 News Continuous Bureau | Mumbai

અંધેરી (Andheri) ઈસ્ટ અને વેસ્ટને જોડતો ગોપાલકૃષ્ણ ગોખલે રેલ્વે બ્રિજ (Gokhale Bridge) એટલે કે ગોખલે બ્રિજ ખતરનાક બની જતાં 7 નવેમ્બરથી બંધ કરી દેવામાં આવ્યો હતો. જો કે, આ પુલ નવેસરથી બનાવવાનો નિર્ણય લેવાયો હોવા છતાં આ પુલનું બાંધકામ ખરેખર શરૂ ન થાય ત્યાં સુધી હળવા વાહનોની અવરજવર ચાલુ રહે તે માટે ભાજપે આ પુલના બાંધકામનું રિ-સ્ટ્રક્ચરલ ઓડિટ કરાવવાની માંગણી કરી છે. 

Join Our WhatsApp Community

ગોખલે બ્રિજ પર હળવા વાહનોને મંજૂરી આપી શકાય? મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એડિશનલ કમિશનર પી વેલરાસુએ પ્રતિક્રિયા આપી હતી કે આ અંગે શક્ય તેટલી વહેલી તકે નિર્ણય લેવામાં આવશે. ટુ-વ્હીલર અને થ્રી-વ્હીલર વાહનોને આ રૂટ પર જવાની મંજૂરી આપવાના મુદ્દે પાલિકાને IIT મુંબઈ અને VJTI બંને તરફથી અહેવાલો પ્રાપ્ત થયા છે. આ બંને રિપોર્ટનો એક સપ્તાહમાં અભ્યાસ કરવામાં આવશે.

આ સમાચાર પણ વાંચો: મુંબઈ નજીકના કલ્યાણ વિસ્તારની એક રહેણાંક સોસાયટીમાં ઘુસી ગયો દીપડો, લોકોમાં ફફડાટ.. જુઓ વિડીયો

તેમણે એમ પણ કહ્યું કે ગોખલે બ્રિજ હળવા વાહનો માટે ખોલી શકાય કે કેમ તે પછી જ નિર્ણય લેવામાં આવશે. તેમણે કહ્યું હતું કે રિપોર્ટનો અભ્યાસ કર્યા બાદ સ્થાનિક સ્તરે શું કરવાની જરૂર છે તે અંગે સાવચેતી રાખ્યા બાદ તેઓ બે સપ્તાહમાં અંતિમ નિર્ણય લેશે.

ઉલ્લેખનીય છે કે IIT મુંબઈ અને VJTIની સંયુક્ત ટીમે રવિવારે સંયુક્ત રીતે ગોખલે બ્રિજ સ્થળનું નિરીક્ષણ કર્યું હતું. જે બાદ તેમણે મુંબઈ મહાનગરપાલિકાને કેટલાક પગલાં લેવા સૂચના આપી છે. તેમણે તેમના અહેવાલમાં એ પણ ઉલ્લેખ કર્યો હતો કે જો પુલનો એક ભાગ મજબૂત કરવામાં આવે તો આ માર્ગ પર હળવા વાહનોની અવરજવર હંગામી ધોરણે શરૂ કરી શકાશે. જે મુજબ નગરપાલિકાએ નિરીક્ષણ અને પરીક્ષણ બાદ જ આ અંગે નિર્ણય લેવાનો રહેશે. વેલરાસુએ કહ્યું કે નગરપાલિકા તેના માટે બે થી ત્રણ અઠવાડિયાના સમયગાળાની અપેક્ષા રાખે છે. તેમણે એમ પણ કહ્યું કે અમે આ અંગે વહેલી તકે નિર્ણય લઈશું અને નાગરિકોને રાહત આપીશું.

આ સમાચાર પણ વાંચો: આખરે પાકિસ્તાનને મળ્યા નવા આર્મી ચીફ.. શાહબાઝ શરીફ સરકારે આ વ્યક્તિની કરી નિમણૂક, લેશે બાજવાની જગ્યા

હાલમાં અંધેરી ઈસ્ટ અને વેસ્ટ કનેક્ટિવિટીના ગોખલે બ્રિજ પર તમામ વાહન વ્યવહાર બંધ કરી દેવામાં આવ્યો છે. આ પુલના વૈકલ્પિક માર્ગો પર કેટલીક જગ્યાએ ભારે વાહનોને પણ પ્રતિબંધિત છે. વૈકલ્પિક માર્ગ પર દ્વિચક્રી અને થ્રી વ્હીલર વાહનો ટ્રાફિક જામમાં વધારો કરી રહ્યા હોવાનું જણાયું છે. આથી ગોખલે બ્રિજ પર વાહનવ્યવહાર શરૂ થાય તો મોટી રાહત થાય તેવું અનુમાન છે.

Mumbai Crime: ભીડનો ફાયદો ઉઠાવી ચેઈન સ્નેચિંગ કરનારી યુવતી ઝડપાઈ: કાંદિવલી સ્ટેશન પર મહિલાની બહાદુરીને કારણે આરોપી જેલભેગી.
Kurla Terror Case:ગેમિંગ એપ દ્વારા આતંકવાદના જાળમાં ફસાયો યુવાન? કુર્લા કેસમાં પિતાએ કર્યો ચોંકાવનારો ખુલાસો
Mumbai Tragedy: મુંબઈ: આપઘાત પહેલા વીડિયો બનાવી પત્ની પર લગાવ્યા ગંભીર આક્ષેપ; ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું
Mumbai Crime:ભોઈવાડા પોલીસનો સપાટો: 59 ગુનામાં સંડોવાયેલો રીઢો ચેઈન સ્નેચર કલ્યાણથી ઝડપાયો
Exit mobile version