Site icon News Continuous Bureau | Mumbai

સારા સમાચાર : મુંબઈની પાણીની સમસ્યામાં મળશે રાહત, મુશળધાર વરસાદમાં તુલસી તળાવ છલકાઈ ગયું; જુઓ વિડિયો

 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

Join Our WhatsApp Channel

મુંબઈ, 16 જુલાઈ, 2021

શુક્રવાર

મુંબઈમાં વહેલી સવારથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે મુંબઈમાં આવેલું તુલસી તળાવ છલકાઈ ગયું હતું. મુંબઈને પાણી પૂરું પાડનારાં સાત જળાશયોમાં તુલસીનો સમાવેશ થાય છે. તુલસીની પાણી સમાવાની ક્ષમતા 8,046 મિલિયન લિટરની છે.

સવારના ચાર વાગ્યાથી પડી રહેલા મુશળધાર વરસાદને પગલે સવારના 11.00 વાગ્યે તુલસી છલકાઈ ઊઠ્યું હતું. ગયા વર્ષે 27 જુલાઈના તુલસી છલકાયું હતું, તો 2019ની સાલમાં 12 જુલાઈના જ તુલસી છલકાઈ ગયું હતું.

મુંબઈને પાણી પૂરું પાડનારાં સાત જળાશયોમાં સૌથી નાનું તુલસી તળાવ છે. એમાંથી પ્રતિદિન 1.8 કરોડ લિટર જેટલો પાણીપુરવઠો પૂરો પાડવામાં આવે છે. પાલિકના કહેવા મુજબ છેલ્લા થોડા દિવસથી એના કૅચમેન્ટ એરિયામાં સારો વરસાદ પડી રહ્યો છે. એથી શુક્રવારના સવારના તુલસી છલકાઈ ગયું હતું.

બહુ ગાજેલા ગાંધી માર્કેટ પમ્પિંગ સ્ટેશનનું સુરસુરિયું થઈ ગયું, ભારે વરસાદમાં ફરી વળ્યાં પાણી; જાણો વિગત

મુંબઈમાં 1879ની સાલમાં આ કૃત્રિમ તળાવને બાંધવામાં આવ્યું હતું. એ સમયે તળાવ બાંધવા માટે 40 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ તળાવ 6.76 કિલોમીટરના પરિસરમાં ફેલાયેલું છે.

 

AC Local Train Fire in Mumbai મુંબઈમાં ફરી ડરનો માહોલ, ઘાટકોપર સ્ટેશન પર એસી લોકલ ટ્રેનમાંથી નીકળ્યો ધુમાડો, મુસાફરોમાં ગભરાટ!
MNS Protest in Mumbai રસ્તા પર કોનો અધિકાર? મલાડમાં ‘સફેદ પટ્ટી’ વિવાદમાં MNS મેદાનમાં; BMCએ આ રીતે મામલો થાળે પાડ્યો
Vasai Station Stunt મોતના મુખમાંથી પાછો ફર્યો! વસઈમાં છેલ્લી સેકન્ડે જીવ બચાવી જનાર આ શખ્સ માટે આજે જાણે યમરાજ રજા પર હતા! જુઓ વિડીયો
Western Railway Night Block મુસાફરો માટે ખાસ સૂચના વસઈવૈતરણા વચ્ચે આજે રાત્રે ‘નાઈટ બ્લોક’, ટ્રેન વ્યવહાર પર રહેશે અસર
Exit mobile version