Site icon

Mumbai: રામ મંદિરના ઉદ્દાઘટન વચ્ચે મીરા રોડમાં રામ ભક્તો પર ચાલી લાઠીઓ.. ભગવા ધ્વજ સાથે વાહનોની કરી તોડફોડ.. આટલા લોકોની ધરપકડ..

Mumbai: અયોધ્યામાં રામ મંદિરના 'પ્રાણ પ્રતિષ્ઠા' સમારોહ પહેલા મુંબઈના મીરા રોડ પર બે સમુદાયો વચ્ચે ઝઘડો થયો હતો. આ ઘટના રવિવારે રાત્રે 11 વાગ્યાની આસપાસ બની હતી.

During Ram Mandir inauguration , Ram devotees were hit with sticks in Mira Road, Vehicles were vandalized with saffron flags.

During Ram Mandir inauguration , Ram devotees were hit with sticks in Mira Road, Vehicles were vandalized with saffron flags.

News Continuous Bureau | Mumbai 

Mumbai: મુંબઈના મીરા રોડ ( Mira Road ) વિસ્તારમાં કેટલાક સમાજ વિરોધી તત્વોએ તોડફોડ કરી અને હંગામો મચાવ્યો હતો. આ વિસ્તારમાં જે વાહનો પર શ્રી રામ ઝંડા  લહેરાવવામાં આવ્યા હતા તેમના પર પથ્થરમારો ( stone pelting ) કરવામાં આવ્યો હતો અને લાકડીઓ વડે હુમલો કરવામાં આવ્યો હતો. આ સમયગાળા દરમિયાન, મહિલાઓ પર હુમલાના અહેવાલો પણ છે. જેના કારણે વિસ્તારમાં તંગદિલીનો માહોલ સર્જાયો છે. આરોપ મુજબ, તોડફોડ કરતી વખતે સમાજ વિરોધી તત્વોએ ( Anti-social elements ) રસ્તા પર અલ્લાહ હુ અકબર ( Allahu Akbar ) અને નારા-એ-તકબીરના નારા લગાવ્યા હતા. મુંબઈ પોલીસના ( Mumbai Police ) જણાવ્યા અનુસાર હાલ પરિસ્થિતિ કાબૂમાં છે. પોલીસે દરેકને શાંતિ જાળવવા અને અફવાઓ પર વિશ્વાસ ન કરવાની અપીલ કરી છે. 

Join Our WhatsApp Community

ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ (ડીસીપી) એ જણાવ્યું હતું કે, “3-4 વાહનોમાં મુસાફરી કરી રહેલા કેટલાક લોકો રામ નામના લારા લગાવી રહ્યા હતા. ત્યારે અન્ય સમુદાયના લોકો સાથે દલીલ થઈ હતી અને પરિણામે, બંને સમુદાયોની ભીડ એકઠી થઈ હતી.” ઘટનાની માહિતી મળતાં જ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને બદમાશોને કસ્ટડીમાં લીધા હતા.

પોલીસના જણાવ્યા અનુસાર, મીરા રોડના નયા નગર વિસ્તારમાં થયેલા હુમલામાં ઓછામાં ઓછો એક વ્યક્તિ ગંભીર રીતે ઘાયલ થયો હતો. જ્યારે અન્ય કેટલાકને સામાન્ય ઈજાઓ થઈ હતી.

આ સમાચાર પણ વાંચો : Mira Road : મીરા રોડમાં બે જુથો વચ્ચેના અથડામણ મામલે અત્યાર સુધીમાં આટલા લોકોની ધરપકડ.. નિતેશ રાણે આજે જશે આ વિસ્તારની મુલાકાતે

અત્યાર સુધીમાં કુલ 15 આરોપીની ધરપકડ કરવામાં આવી છે…

સોશિયલ મીડિયા પર જાહેર કરાયેલી તસવીરોમાં જોઈ શકાય છે કે વાહનો પર ભગવો ઝંડો ( Saffron flag ) છે. કેટલાક લોકો તેના પર હુમલો કરતા જોવા મળી રહ્યા છે.

ડીસીપીએ વધુમાં જણાવ્યું હતું કે, “ઘટનાને ધ્યાનમાં રાખીને, વિસ્તારમાં મોટી સંખ્યામાં પોલીસ દળોને તૈનાત કરવામાં આવ્યા છે. હાલમાં, પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવામાં આવી છે અને વિસ્તારમાં શાંતિ જાળવવા માટે ફ્લેગ માર્ચ હાથ ધરવામાં આવી છે.” પોલીસે મીરા રોડના રહેવાસીઓને અફવાઓ પર ધ્યાન ન આપવાની પણ અપીલ કરી છે. ઘટના બન્યા બાદ અત્યાર સુધીમાં કુલ 15 આરોપીની ધરપકડ કરવામાં આવી છે. તેમજ આ મામલે વધુ તપાસ ચાલુ છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

Mumbai School Bus Accident: ગિરગાંવમાં સ્કૂલ બસની ટક્કરે 1 વર્ષના માસૂમનો જીવ લીધો, દાદી ગંભીર રીતે ઇજાગ્રસ્ત
Travel Agent Fraud: વિયેતનામની સહેલગાહ પડી ભારે: વિઝા અને પેકેજના નામે ₹8.25 લાખ પડાવનાર ટ્રાવેલ એજન્ટ અંધેરીથી ઝડપાયો
Mumbai Theft Case: મુંબઈના જુહુમાં વરિષ્ઠ નાગરિકના બંધ ઘરમાં ₹5.3 લાખની ચોરી: સોસાયટીના જ બે હાઉસકીપિંગ કર્મીઓની ધરપકડ
Ajit Pawar Plane Crash: અજીત પવારનું મોત કે રાજકીય ષડયંત્ર? વકીલ નીતિન સાતપુતેએ અકસ્માત સામે ઉઠાવ્યા સવાલો, CBI તપાસની માંગ
Exit mobile version