Site icon

મુંબઈ પર આતંકવાદી હુમલા દરમિયાન કમાન્ડોની ટીમનું નેતૃત્વ કરનારા એવા `આ` જાંબાઝ સુરક્ષા અધિકારીનું કોરોનાથી નિધન થયું; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 21 મે 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

નૅશનલ સિક્યૉરિટી ગાર્ડના ભૂતપૂર્વ ડાયરેક્ટર અને મુંબઈ પર 26 નવેમ્બર, 2008માં થયેલા આતંકવાદી હુમલા દરમિયાન કમાન્ડોની ટીમનું નેતૃત્વ કરનારા જ્યોતિ કૃષ્ણ દત્તનું કોરોનાથી નિધન થયું છે. તેઓને ગુરુગ્રામની મેદાંત હૉસ્પિટલમાં 14 એપ્રિલના સારવાર માટે દાખલ કરવામાં આવ્યા હતા, પરંતુ ગુરુવારે તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. તેમના પરિવારમાં પત્ની અને બે પુત્રનો સમાવેશ થાય છે.

જ્યોતિ કૃષ્ણ દત્ત 1971ની બેચના અધિકારી હતા. પશ્ચિમ બંગાળમાં તેમણે ફરજ બજાવી હતી. તેઓ NSGના  ઑગસ્ટ 2006થી ફેબ્રુઆરી 2009 સુધી ડાયરેક્ટર પદે રહ્યા હતા. મુંબઈમાં 26 નવેમ્બર, 2008ના આતંકવાદી હુમલા દરમિયાન તેમણે ઑપરેશન બ્લૅક ટોર્નેડો પાર પાડ્યું હતું.

તેઓ એ સમયે 200 બ્લૅક કૅટ કમાન્ડોનું  નેતૃત્વ કરતા હતા. તેમના નેતૃત્વમાં કમાન્ડોએ આતંકવાદી વિરુદ્ધની કાર્યવાહી પાર પાડી હતી. આતંકવાદીઓ વિરુદ્ધ લગભગ 60 કલાક લાંબી કાર્યવાહી ચાલી હતી, જેમાં વિદેશી નાગરિક સહિત કુલ 166નાં મૃત્યુ અને 300થી વધુ જખમી થયા હતા.

Mumbai Metro 3: દક્ષિણ મુંબઈમાં મોટી બેદરકારી: બોરવેલના ડ્રિલિંગમાં મેટ્રોની અંડરગ્રાઉન્ડ ટનલ થઈ પંચર
Mahim Dumper Accident: માહિમમાં પાલિકાના કચરાના ડમ્પરે વૃદ્ધાને અડફેટે લીધા: ગંભીર અકસ્માતથી રહીશોમાં ભારે રોષ, ડ્રાઈવરની બેદરકારી આવી સામે
ONGC Theft Gang: મુંબઈના દરિયામાં ONGC પ્લેટફોર્મ પર ચોરી કરતી ગેંગ ઝડપાઈ: ₹૧૫ લાખનો મુદ્દામાલ જપ્ત, માછીમારીના બહાને કરતા હતા લૂંટ
Mumbai Airport Drugs Seizure: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સનો સપાટો: ₹૬૪ કરોડનું ‘હાઈડ્રોપોનિક વીડ’ જપ્ત, વિદેશી નાગરિક સહિત ૪ની ધરપકડ
Exit mobile version