Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાંથી પાંચ લાખ રસીની શીશીઓ ગાયબ; પાલિકાએ આપ્યા તપાસના આદેશ, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧ જુલાઈ ૨૦૨૧

Join Our WhatsApp Channel

ગુરુવાર

કોરોના રસીની થતી અછત વચ્ચે મુંબઈમાં અપાયેલી રસીની ખાલી શીશી અંગે એક ગંભીર સમસ્યા સામે આવી છે. મુંબઈમાં વપરાયેલી લગભગ પાંચ લાખ રસીની શીશીનો નિકાલ કઈ રીતે થયો એનો કોઈ હિસાબ નથી. એથીહવે મેડિકલ સિસ્ટમ સામે એક નવો પડકાર ઊભો થયો છે. મુંબઈમાં થયેલા બોગસ રસીકરણમાં વપરાયેલી રસીની શીશીઓમાં બીજું દ્રવ્ય ભરવામાં આવ્યું હોવાની વાત સામે આવી છે. એવામાં સવાલએ છે કે આરોપીઓને આ ખાલી શીશીઓ ક્યાંથી મળી.

તબીબી નિયમો અનુસાર, ઉપયોગ કર્યા પછી આ શીશીઓને તબીબી કચરા તરીકે નિકાલ કરવો ફરજિયાત છે. જોકેહવે બોગસ રસીકરણને કારણે પ્રશ્ન ઊભો થાય છે કે શું આ શીશીઓનો ખરેખર નિકાલ કરવામાં આવ્યો હતો? આ સિવાય સરકારની એજન્સીઓ પાસે આ વિશે કોઈ હિસાબ નથી. આજની તારીખમાં, મુંબઈમાં એવી ચાર લાખ 88 હજારથી વધુ શીશીઓ છે જેનું શું થયું એનો કોઈ હિસાબ નથી. હવે એની તપાસ કરવામાં આવી રહી છે કે શું નિયમો અનુસાર આ ખાલી શીશીઓનો નાશ કરાયો હતો કે નહિ. આ અંગે મહાનગરપાલિકાએ તમામ હૉસ્પિટલો પાસેથી માહિતી માગી છે.

હવે નામકરણને લઈને નવો વિવાદ જાગ્યો; દહિસર મેટ્રો સ્ટેશનને ‘અપર દહિસર’ નામ અપાતાં સ્થાનિકો નારાજ, જાણો વિગત

ઉલ્લેખનીય છે કે નિયમ અનુસાર તબીબી કચરાનો નિકાલ ખુલ્લામાં થઈ શકે નહિ અને શહેરના અન્ય કચરા સાથે એને રાખી શકાય નહીં. એથી ભઠ્ઠીમાં તબીબી કચરો બાળીને એનો નાશ કરવો ફરજિયાત છે.

Mumbai Lalbaugcha Rajaલાલબાગના રાજા નું પાદપૂજન સંપન્ન; આજથી મૂર્તિ નિર્માણના કામનો થયો શુભારંભ..
Facebook Cyber Fraud India। ફેસબુક ફ્રેન્ડ રિકવેસ્ટ પડી મોંઘી ક્રિપ્ટોકરન્સીમાં રોકાણના નામે ૬૨ વર્ષીય વેપારી સાથે ₹૧૫ લાખની ઠગાઈ
Mumbai Water Tanker Strike| મુંબઈમાં જળ સંકટ ઘેરૂં બન્યું પાણીના ટેન્કરોની અચોક્કસ મુદતની હડતાળથી હાઉસિંગ સોસાયટીઓ અને રેલવે મુશ્કેલીમાં
Mumbai Police Fugitive Arrest। ૧૯ વર્ષથી પોલીસને થાપ આપતો ફરાર આરોપી આખરે ખાર પોલીસના સકંજામાં, માહિમ દરગાહ પાસેથી ધરપકડ
Exit mobile version