Site icon News Continuous Bureau | Mumbai

Mumbai| મુંબઈમાં એક જ પરિવારના 4 સભ્યોના મોતનો મામલો બિરયાની કે તરબૂચ? ડોક્ટરે કર્યો ચોંકાવનારો ખુલાસો

Mumbai| પાયધુની વિસ્તારની ઘટના; મૃતકોના શરીરમાંથી પેઈનકિલર જેવો પદાર્થ મળવાની શક્યતા, ફોરેન્સિક રિપોર્ટની પ્રતીક્ષા

Mumbai| મુંબઈમાં એક જ પરિવારના 4 સભ્યોના મોતનો મામલો બિરયાની કે તરબૂચ? ડોક્ટરે કર્યો ચોંકાવનારો ખુલાસો

Mumbai| મુંબઈમાં એક જ પરિવારના 4 સભ્યોના મોતનો મામલો બિરયાની કે તરબૂચ? ડોક્ટરે કર્યો ચોંકાવનારો ખુલાસો

 

News Continuous Bureau | Mumbai

Join Our WhatsApp Channel

Mumbai| મુંબઈના પાયધુની વિસ્તારમાં બિરયાની ખાધા બાદ તરબૂચ (કલિંગડ) ખાવાથી એક જ પરિવારના ચાર સભ્યોના કરુણ મોતની ઘટનાએ સમગ્ર રાજ્યમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ઘટના બાદ ખોરાકમાં ઝેર (Food Poisoning) ને લઈને અનેક તર્કવિતર્ક લગાવવામાં આવી રહ્યા છે. આ મામલે તપાસ તેજ બની છે, ત્યારે આ પરિવારની સારવાર કરનાર ડોક્ટર એ એક ચોંકાવનારી માહિતી આપી છે, જે આ કેસને વધુ ગૂઢ બનાવી રહી છે.

શું મૃતકોના શરીરમાં હતો ઝેરી પદાર્થ?

પ્રાથમિક તપાસ અને પોસ્ટમોર્ટમ દરમિયાન મૃતકોના શરીરમાં ‘પેઈનકિલર’ જેવો કોઈ શંકાસ્પદ પદાર્થ મળી આવ્યો હોવાની શક્યતા છે. ડોક્ટરોના મતે, માત્ર સામાન્ય ફૂડ પોઈઝનિંગથી આટલી ઝડપથી ચાર વ્યક્તિઓના મોત થવા તે અત્યંત દુર્લભ છે. જોકે, ઘટનાનું ચોક્કસ કારણ તો ફોરેન્સિક રિપોર્ટ આવ્યા બાદ જ સ્પષ્ટ થશે, પરંતુ આ સંકેતો કોઈ ગંભીર ષડયંત્ર કે રાસાયણિક પ્રક્રિયા તરફ ઈશારો કરી રહ્યા છે.

ડોક્ટરની આંખે દેખ્યો હાલ

પરિવારની સારવાર માટે સૌથી પહેલા પહોંચેલા ડોક્ટર એ જણાવ્યું હતું કે, જ્યારે તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે પીડિતો બોલવાની સ્થિતિમાં પણ નહોતા. પરિવારના મોભી સાથે કરેલી વાતચીત મુજબ, તેમણે બપોરે ઘરે જાતે જ તરબૂચ કાપીને ખાધું હતું અને બાકીનું તરબૂચ ફ્રીજમાં મૂક્યું હતું. ડોક્ટરે કહ્યું કે, પતિ-પત્ની અને બે પુત્રીઓની તબિયત ખૂબ જ ઝડપથી બગડી હતી. એક પુત્રીએ હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં દમ તોડી દીધો હતો, જ્યારે અન્ય ત્રણ સભ્યોને જેજે હોસ્પિટલમાં ખસેડાયા હતા, જ્યાં સારવાર દરમિયાન તેમનું પણ નિધન થયું હતું.

તપાસના ચક્રો ગતિમાન

પોલીસે આ મામલે તમામ પાસાઓ પરથી તપાસ શરૂ કરી છે. બિરયાની કે તરબૂચ, ઝેર શેમાંથી ફેલાયું તે જાણવા માટે નમૂનાઓ લેબમાં મોકલવામાં આવ્યા છે. તરબૂચ પર કોઈ કેમિકલ પ્રક્રિયા કરવામાં આવી હતી કે કેમ, તે અંગે પણ તપાસ ચાલી રહી છે. આ ઘટનાએ નાગરિકોમાં ગભરાટ ફેલાવ્યો છે, કારણ કે ઉનાળાની સીઝનમાં તરબૂચ એક સામાન્ય ફળ છે. હાલમાં વહીવટીતંત્ર ફોરેન્સિક રિપોર્ટની રાહ જોઈ રહ્યું છે, જેનાથી આ દુર્ઘટના પાછળનું સાચું કારણ બહાર આવશે.

👉 આ સમાચાર વાચો:
PM Narendra Modi। કાશી વિશ્વનાથ મંદિરમાં પ્રધાનમંત્રી મોદીની વિશેષ પૂજા ડમરુ અને ત્રિશૂળ ભેટ આપી કરાયું અભિવાદન.

Dombivli। ડોંબિવલીમાં 4 મહિનાથી ગુમ કોલેજ વિદ્યાર્થીનું અપહરણ 5 લાખની ખંડણી માંગતા પરિવારમાં ફફડાટ
Sewri।શિવડીમાં અતિક્રમણ વિરોધી કાર્યવાહી દરમિયાન ભારે હોબાળો સ્થાનિકોના ઉગ્ર વિરોધ બાદ પાલિકાની કામગીરી થંભી
Fraud Case। ગુજરાતના પૂર્વ સાંસદના પુત્રની ખોટી ઓળખ આપી વેપારીને લાખોનો ચૂનો લગાવનાર ઠગબાજ ઝડપાયો
Mahim। માહિમમાં મોબાઈલ ચોરીના વહેમમાં મિત્રની જ નિર્મમ હત્યા એક આરોપીની ધરપકડ
Exit mobile version