ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 22 ફેબ્રુઆરી 2022,
મંગળવાર,
મુંબઈ NCBના ભૂતપૂર્વ ડિરેક્ટર સમીર વાનખેડે બાર લાઇસન્સ પરની FIR રદ કરવા માટે બોમ્બે હાઈકોર્ટની શરણે ગયા છે.
સમીર વાનખેડેએ બોમ્બે હાઈકોર્ટમાં અરજી દાખલ કરીને છેતરપિંડીના કેસમાં નોંધાયેલી FIRને રદ કરવાની માંગ કરી છે.
આ સાથે વાનખેડેએ હાઈકોર્ટમાં બીજી અરજી દાખલ કરીને રદ્દ કરાયેલ બાર લાયસન્સ પુનઃસ્થાપિત કરવા માંગ કરી છે.
આ અરજી પર હાઈકોર્ટ આજે સુનાવણી કરી શકે છે.
