Site icon

Ganeshotsav 2024 : ગણેશ ભક્તો માટે સારા સમાચાર, મુંબઈની આ મેટ્રો લાઈન અને બેસ્ટની બસો મોડી રાત્રે દોડશે…

Ganeshotsav 2024 : મુંબઈમાં ગણેશોત્સવની ભારે ધૂમ છે. મુંબઈના પ્રખ્યાત ગણપતિ મંડળોની મુલાકાત લેવા માટે દૂર-દૂરથી ભક્તો આવે છે. એટલે શ્રધ્ધાળુઓની મુસાફરીને આરામદાયક બનાવવા માટે બેસ્ટ બસે મહત્વનો નિર્ણય લીધો છે. ગણેશોત્સવ દરમિયાન ભક્તોને આખી રાત બેસ્ટ બસ દ્વારા મુંબઈના પ્રખ્યાત ગણેશ મંડળો સુધી પહોંચાડવામાં આવશે.

Ganeshotsav 2024 Metro and BEST buses to run late night during Ganeshotsav

Ganeshotsav 2024 Metro and BEST buses to run late night during Ganeshotsav

News Continuous Bureau | Mumbai

 Ganeshotsav 2024 : લાંબા ઇંતેજાર બાદ આખરે બાપ્પાના આગમન થઇ ગયું છે. મુંબઈમાં ગણેશોત્સવના તહેવારની ધૂમ જોવા મળી રહ્યો છે. દેશ-વિદેશના લોકો મોટા ગણેશ મંડળ, લાલબાગના રાજા, મુંબઈના રાજાને જોવા માટે મોટી ભીડ એકઠી થાય છે. સાથે જ આકર્ષક દ્રશ્યો જોવા માટે ભારે ભીડ જામે છે.  આ પૃષ્ઠભૂમિમાં, વહીવટીતંત્રે પરિવહન વ્યવસ્થાને વધુ સક્ષમ બનાવવાનો નિર્ણય લીધો છે. બેસ્ટ અને મેટ્રોની સેવાઓમાં વધારો કરવામાં આવ્યો છે. દિવસ દરમિયાન બેસ્ટ સેવાઓ નિયમિત હોય છે. જેથી ટ્રાફિકમાં કોઈ સમસ્યા ન થાય. જો કે ગણેશ ભક્તોને રાત્રીના સમયે ખાનગી વાહન દ્વારા મુસાફરી કરવી પડે છે. તેથી બેસ્ટ ઉપક્રમે રાત્રે વધારાની બસો દોડાવવાનો નિર્ણય કર્યો છે.

Join Our WhatsApp Community

 Ganeshotsav 2024 : વધારાની બસો અને મેટ્રો દોડાવવામાં આવશે 

બેસ્ટ ઉપક્રમ દ્વારા ગણેશ ભક્તો અને પ્રવાસીઓ માટે 7 થી 16 સપ્ટેમ્બર સુધી વધારાની રાત્રિ બસો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેમજ ગણેશોત્સવ દરમિયાન મેટ્રો ટ્રેન સેવાના વધારાના રાઉન્ડ ચલાવવામાં આવશે. 11 સપ્ટેમ્બરથી 17 સપ્ટેમ્બર, 2024 સુધી, અંધેરી (વેસ્ટ) અને ગુંદવલી ટર્મિનલ બંને પરથી છેલ્લી મેટ્રો ટ્રેન 11 વાગ્યાને બદલે 11.30 વાગ્યે ઉપડશે.

 Ganeshotsav 2024 : બેસ્ટ બસના રૂટ કેવા હશે

કોલાબા વિસ્તારથી ઉત્તર-પશ્ચિમ મુંબઈ થઈને ગિરગાંવ, લાલબાગ, પરેલ, ચેમ્બુર થઈને બસો ચલાવવામાં આવશે. બસ રૂટ નંબર 4 મર્યાદિત- જેજે હોસ્પિટલથી ઓશિવારા આગર, 8 મર્યાદિત- જીજામાતા ઉદ્યાનથી શિવાજી નગર, A-21 – ડો. એસ.પી.એમ. ચોકથી દેવનાર આગાર, A-25 બેકબે આગાર થી કુર્લા આગાર, A-42 કમલા નેહરુ પાર્કથી સેન્ડહર્સ્ટ રોડ સ્ટેશન, બસ ક્રમાંક 44 વરલી ગામથી એસ. યશવંતે ચોક (કાલા ચોકી), 66 ઇલેક્ટ્રિક હાઉસથી સાંતાક્રુઝ અગર, 69 ડૉ. એસ.પી.એમ. ચોક થી પી.ટી. ઉદ્યાન, શિવડી અને C-51 છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કાલા કિલ્લા આગાર બસ રૂટ પર વધારાની રાત્રિ બસ ટ્રીપ ચલાવવામાં આવશે.

 Ganeshotsav 2024 : મેટ્રોની ટ્રીપ વધારવામાં આવશે

‘દહિસર – અંધેરી વેસ્ટ મેટ્રો 2A’ અને ‘દહિસરથી ગુંદવલી મેટ્રો 7’ રૂટ પરની ટ્રિપ્સ વધારવામાં આવી છે. આ બંને રૂટ પર 20 ફેરા વધારવામાં આવ્યા છે. તેથી સેવાની અવધિમાં 30 મિનિટનો વધારો કરવામાં આવ્યો છે. તે મુજબ રાત્રે 11 વાગ્યે બંધ થનારી મેટ્રો સેવા 11 થી 17 સપ્ટેમ્બર સુધી રાત્રે 11.30 વાગ્યે બંધ થશે.

આ સમાચાર પણ વાંચો:  Lalbaugcha Raja: ગણપતિ બાપ્પા મોરિયા…. ઘરે બેઠા કરો લાલબાગ ચા રાજાના પ્રથમ દર્શન, લાઈવ; અહીંયા ક્લિક કરો.

 Ganeshotsav 2024 : આવો શેડ્યૂલ હશે

  1. ગુંદવલી થી અંધેરી (પશ્ચિમ): રાત્રે 10:20, 10:39 PM, 10:50 PM અને 11 PM (4 સેવાઓ)
  2. અંધેરી (પશ્ચિમ) થી ગુંદવલી : રાત્રે 10:20, 10:40 PM, 10:50 PM અને 11 PM (4 સેવાઓ)
  3. ગુંદવલી થી દહિસર (પૂર્વ): 11:15 PM અને 11:30 PM (2 સેવાઓ)
  4. અંધેરી પશ્ચિમથી દહિસર (પૂર્વ): 11:15 PM અને 11:30 PM (2 સેવાઓ)
  5. દહિસર (પૂર્વ) થી અંધેરી પશ્ચિમ : રાત્રે 10:53, 11:12, 11:22 અને 11:33 PM (4 સેવાઓ)
  6. દહિસર (પૂર્વ) થી ગુંદવલી : રાત્રે 10:57, 11:17 PM, 11:27 PM અને 11:36 PM (4 સેવાઓ)
Maharashtra Weather: “સાવધાન! મહારાષ્ટ્રમાં એકસાથે ત્રણ ઋતુનો અનુભવ; દિવસે ગરમી અને રાત્રે ગુલાબી ઠંડી વચ્ચે આગામી 24 કલાકમાં વરસાદની એન્ટ્રી
Borivali Smart Station: બોરીવલી બન્યું મુંબઈનું પ્રથમ ‘સ્માર્ટ સ્ટેશન’! આધુનિક ટેકનોલોજીથી સેકન્ડોના હિસાબે ચાલશે ટ્રેનો; જાણો શું છે આ નવી સિસ્ટમ.
BMC Mayor: BMC માં સત્તાનો શતરંજ: ભાજપ અને શિંદે સેના વચ્ચે ડીલ ડન? જાણો કોને મળશે મેયરની ખુરશી અને કોના હાથમાં રહેશે તિજોરીની ચાવી
Thackeray Brothers Reunion: 23 જાન્યુઆરીએ મુંબઈમાં સર્જાશે ઈતિહાસ! ઉદ્ધવ અને રાજ ઠાકરે એક જ મંચ પર, શું મહારાષ્ટ્રના રાજકારણમાં આવશે નવું તોફાન?
Exit mobile version