Site icon

વાહ! આજથી મુંબઈગરા બગીચા અને ચોપાટીઓ પર ફરવા મોકળા, મુંબઈ મનપાએ આપી આ છૂટ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 16 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

સોમવાર

મહારાષ્ટ્ર સરકારે બ્રેક ધ ચેઇન હેઠળ અનેક દુકાનો ખોલવાનો સમય વધારી આપવાથી લઈને મૉલ, હૉટેલોને  રાહતો આપી છે. લાંબા સમયથી મુંબઈના બંધ રહેલાં ઉદ્યાનો તથા મેદાનોને પણ ખુલ્લાં મૂકી દેવાની માગણી થઈ રહી હતી. છેવટે 16 ઑગસ્ટ, સોમવારના એટલે કે આજથી મુંબઈ મહાનગરપાલિકાએ  મુંબઈગરા માટે બગીચા, ચોપાટી અને દરિયાકિનારા ખુલ્લા મૂકી દીધા છે.

રાહતના સમાચાર : મુંબઈ મહાનગરપાલિકા એ ગણેશોત્સવ મંડળોને જાહેરાતો સ્વીકારવાની આપી મંજૂરી, પરંતુ આ શરતે

કોરોના પ્રતિબંધક નિયમ હેઠળ અત્યાર સુધી બગીચા, ચોપાટી તથા દરિયાકિનારા પર ફરવાનું પ્રતિબંધિત હતું. જોકે હવે મુંબઈમાં કોરોના નિયંત્રણમાં આવ્યો છે. અનેક પ્રકારની છૂટછાટ આપવામાં આવી છે. લાંબા સમયથી મુંબઈના બગીચા, ઉદ્યાનો, ખુલ્લાં મેદાનો તથા ચોપાટીઓને ખુલ્લાં મૂકવાની માગણી થઈ રહી હતી. એથી મુંબઈ મનપાએ આજે સવારે નોટિફિકેશન બહાર પાડીને તમામ બગીચા, બીચ, ચોપાટીઓને ખુલ્લાં મૂકવાની જાહેરાત કરી છે. સવારના છ વાગ્યાથી રાતના 10 વાગ્યા સુધી આ સ્થળો નાગરિકો માટે ખુલ્લાં રહેશે.

Ajit Pawar Plane Crash Investigation: અજિત પવાર પ્લેન દુર્ઘટનામાં નવો વળાંક! રોહિત પવારે વિમાનની સ્થિતિ પર ઉઠાવ્યા ગંભીર સવાલો; ‘ષડયંત્ર’ વાળા નિવેદનથી રાજકારણમાં ગરમાવો
Brutal Fight in Mumbai Local: કફર્સ્ટ ક્લાસમાં મુસાફરી કરવી પડી ભારે! ચઢવા જેવી સામાન્ય બાબતે મહિલાએ ગુમાવ્યું ભાન; બીજી મુસાફર સાથે કરી એવી હરકત કે જાણીને ધ્રુજી જશો.
Goregaon Link Road Accident: મુંબઈમાં બાંધકામ હેઠળના બ્રિજની આફત યથાવત: ગોરેગાંવમાં ચાલુ કાર પર લોખંડનો પિલર ખાબક્યો; મુસાફરોનો ચમત્કારિક બચાવ.
Dhurandhar 2 Film Shoot Controversy: ફિલ્મ ‘ધુરંધર ૨’ ના શૂટિંગમાં સુરક્ષા સાથે ચેડાં: B62 સ્ટુડિયોને બ્લેકલિસ્ટ કરવા BMCની ભલામણ; નિયમો તોડવા બદલ ભારે દંડ.
Exit mobile version