News Continuous Bureau | Mumbai

Geeta Rabari: ગીતા રબારી – “કચ્છી કોયલ” – કરશે ‘સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025’, બોરીવલીમાં પ્રથમવાર પરફોર્મન્સ

Geeta Rabari: આ વર્ષે બોરીવલીમાં નવરાત્રીના તાલે વધુ રંગીન ઉજવણી થવા જઈ રહી છે, કારણ કે ગુજરાતની લોકગાયકીની લોકપ્રિય હસ્તી અને પ્રેમથી “કચ્છી કોયલ” તરીકે ઓળખાતી ગીતા રબારી પહેલીવાર બોરીવલીના પ્રતિષ્ઠિત સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025માં પરફોર્મ કરવા આવી રહી છે.

Singer Geeta Rabari, former MP Gopal Shetty, MLA Sanjay Upadhyay, organizer Santosh Singh

News Continuous Bureau | Mumbai

Geeta Rabari: પ્રિ-નવરાત્રિ પ્રેસ કોન્ફરન્સ વિટ્ટી સ્કૂલ ખાતે યોજાઈ, જેમાં ગીતા રબારીએ બોરીવલીમાં પહેલીવાર આ ભવ્ય ઉત્સવમાં ગાવાની ખુશી વ્યક્ત કરી. આ કાર્યક્રમનું પ્રોડક્શન અને પ્રોમોશન શો ગ્લિટ્ઝ ઇવેન્ટ એન્ડ એન્ટરટેઇનમેન્ટ પ્રા. લિ. દ્વારા તથા સંયોજન સાઈ ગણેશ વેલફેર એસોસિએશન દ્વારા કરવામાં આવી રહ્યું છે. સ્થળ — કોરાકેન્દ્રા ગ્રાઉન્ડ નં. 4, બોરીવલી (પશ્ચિમ) — જ્યાં દરરોજ 30,000 થી વધુ ગરબા પ્રેમીઓ ઉપસ્થિત રહેશે.માનનીય સાંસદ તથા મંત્રી શ્રી પિયૂષ ગોયલના આશીર્વાદ સાથે આ પ્રસંગે પૂર્વ સાંસદ તથા નવરાત્રિના માર્ગદર્શક શ્રી ગોપાલ શેટ્ટી અને બોરીવલી વિધાનસભાના ધારાસભ્ય શ્રી સંજય ઉપાધ્યાય ઉપસ્થિત રહ્યા.

Join Our WhatsApp Channel

ધારાસભ્ય શ્રી સંજય ઉપાધ્યાય અને પૂર્વ સાંસદ શ્રી ગોપાલ શેટ્ટી નું ભાષણ

આ પ્રસંગે ધારાસભ્ય શ્રી સંજય ઉપાધ્યાયએ જણાવ્યું — “આ નવરાત્રિ ઉત્સવની ભવ્ય સફળતા માટે શુભેચ્છાઓ. બોરીવલી એક ધર્મ પ્રીય લોકોનું નિવાસસ્થાન છે, જ્યાં અનેક નવરાત્રિના કાર્યક્રમો પરંપરાગત હિંદુ વિધિ પ્રમાણે યોજાય છે. અહીંના લોકો વિનમ્ર, ધાર્મિક તથા એવા છે કે જેઓ અમારા સંસ્કારને જાળવે છે.”આ પ્રસંગે પૂર્વ સાંસદ શ્રી ગોપાલ શેટ્ટીએ જણાવ્યું — “નવરાત્રિ દરમ્યાન ઉત્તર મુંબઈ પવિત્ર અને ઉત્સવમય સ્થાનમાં રૂપાંતરિત થઈ જાય છે. આ સાચે જ એક ‘નવરાત્રિ સિટી’ બની જાય છે, જ્યાં ભક્તિ, આનંદ અને ઉજવણીનું માહોલ છવાઈ જાય છે. આ કાર્યક્રમને મારી હૃદયપૂર્વક શુભેચ્છા.”

ફોટોગ્રાફમાં ગાયીકા ગીતા રબારી, પૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટી, ધારાસભ્ય સંજય ઉપાધ્યાય, આયોજક સંતોષ સિંગ,  તેમજ સુરભી ગ્રુપના મિતેશ શાહ અને રુદ્રમાલ ગ્રુપના સંતોશ કાલે નજરે પડે છે….

ફોટોગ્રાફમાં ગાયીકા ગીતા રબારી, પૂર્વ સાંસદ ગોપાલ શેટ્ટી, ધારાસભ્ય સંજય ઉપાધ્યાય, આયોજક સંતોષ સિંગ, તેમજ સુરભી ગ્રુપના મિતેશ શાહ અને રુદ્રમાલ ગ્રુપના સંતોશ કાલે નજરે પડે છે….

ગીતા રબારીએ મીડિયા સામે કરી વાત

ગીતા રબારીએ મીડિયા સમક્ષ કહ્યું — “હું ખૂબ ઉત્સાહિત છું અને ખુશ છું કે પહેલીવાર બોરીવલીમાં પરફોર્મ કરી રહી છું. દરરોજ 30,000 થી વધુ લોકો સામે ગાવું એ મારા માટે સપનું પૂરું થવા જેવું છે. આ નવરાત્રિને સૌ માટે અવિસ્મરણીય બનાવવા હું પૂરા મનથી પ્રયાસ કરીશ.”પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગીતા રબારીએ લાઇવ લોકગીતનો ટૂંકો પરફોર્મન્સ આપ્યો, જેથી ઉપસ્થિત સૌએ આવનારી સંગીતમય ઉજવણીની ઝલક માણી.

સ્થળ અને ઉત્સવની ખાસિયતો:

· 1,25,000 ચો. ફૂટ કાર્પેટેડ વુડન ડાન્સ ફ્લોર — પ્રીમિયમ ગરબા અનુભવ માટે
· ફૂડ કોર્ટ — પ્રામાણિક ઉત્સવી વાનગીઓ સાથે
· 1,000 કાર અને બાઇક માટે ખાસ પાર્કિંગ સુવિધા
· મેટ્રો સ્ટેશન અને હાઇવે/એસ.વી. રોડ પરથી સીધો પ્રવેશ
· તમામ નવ રાતે ફિલ્મ અને ટીવી સ્ટાર્સ સાથે ખાસ સેલિબ્રિટી મહેમાનો
· સાઉન્ડ અને લાઇટ — આંતરરાષ્ટ્રીય સ્તરના વેન્ડર દ્વારા વર્લ્ડ-ક્લાસ અનુભવ
· સુરક્ષા — 400થી વધુ સિક્યુરિટી સ્ટાફ, બાઉન્સર્સ અને 200 વોલન્ટિયર્સ
· નજર — 100 CCTV અને PTZ કેમેરા દ્વારા મોનીટરીંગ
· ઓલ-વેધર સુવિધા — વરસાદમાં પણ કાર્યક્રમ પર અસર નહીં થાય

શો ગ્લિટ્ઝ ઇવેન્ટ એન્ડ એન્ટરટેઇનમેન્ટ પ્રા. લિ. વિષે:

શો ગ્લિટ્ઝે બોરીવલીને વર્લ્ડ-ક્લાસ નવરાત્રિનું સ્વરુપ આપ્યું છે, જે પરંપરા અને ભવ્યતાનો સમન્વય છે. પહેલાંના કાર્યક્રમોમાં ફિલ્મ અને ટીવી જગતના અનેક મોટા કલાકારો હાજર રહ્યા છે. આ વર્ષે પણ તેઓ વધુ ઊંચું સ્તર રજૂ કરવાની ખાતરી આપે છે.સંતોષ સિંહ, ડિરેક્ટર, શો ગ્લિટ્ઝ ઇવેન્ટ એન્ડ એન્ટરટેઇનમેન્ટ પ્રા. લિ.એ જણાવ્યું — “બોરીવલીની નવરાત્રિ હંમેશાં બેસ્ટ નવરાત્રી કરીકે ઓળખાય છે. આ વર્ષે ગીતા રબારીના આગમન સાથે આ ઉત્સવ ઊર્જા અને ભક્તિભાવમાં અદભૂત બની રહેશે.”
આ જાહેરાત સાથે બોરીવલીના ગરબા પ્રેમીઓ હવે આ વર્ષે અસલી ગુજરાતી લોકસંગીત, ભારતીય સૂર અને ઉત્સવની અનોખી ઝલક માણવા આતુર બની ગયા છે.
પ્રસ્તુત: રુદ્રામાર ગ્રુપ | ટાઇટલ સ્પોન્સર: સુરભિ કન્સ્ટ્રક્શન | એથનિક પાર્ટનર: ઈમેજ ડિઝાઇનર સ્ટુડિયો. મીડિયા સંપર્ક: યુગ પરમાર – 99308 66750

Iran Missile Attack 2026। મધ્ય પૂર્વમાં મહાયુદ્ધ શરૂ! અમેરિકાના એક્શન પર ઈરાનનો ભયાનક પ્રહાર; કુવૈતબહેરીન પર મિસાઈલમારો, દુનિયાભરમાં ફફડાટ
Aparajita Plant Vastu।ઘરમાં ક્યારેય નહીં ખૂટે ધનદોલત! બસ આજે જ આ નિયમ સાથે લગાવો અપરાજિતાનો છોડ; વાસ્તુ દોષ થશે ગાયબ
Jantar Mantar Protest| દિલ્હીમાં મોટો હોબાળો? કૉકરોચ જનતા પાર્ટીના પ્રદર્શનને મળી પરમિશન; સોનમ વાંગચુકના જોડાવાથી રાજકારણ ગરમ
Mumbai Hawkers ID Card। મુંબઈના રાજકારણમાં મોટો ભૂકંપ! ફેરિયાઓના QR કોડ આઈડી કાર્ડ મુદ્દે ભાજપશિવસેના સામસામે; મહાયુતિમાં કેમ સર્જાયો આકરો વિવાદ?
Exit mobile version