Site icon News Continuous Bureau | Mumbai

લોકલ યાત્રી માટે સારા સમાચાર : મુંબઈમાં હાર્બર રૂટ પર ટૂંક સમયમાં જ આ સ્ટેશન સુધી લોકલ દોડશે! જાણો શું છે પશ્ચિમ રેલવેની યોજના 

Western Railway’s sixth line likely to open by 2023

લોકલ યાત્રી માટે સારા સમાચાર : મુંબઈમાં હાર્બર રૂટ પર ટૂંક સમયમાં જ આ સ્ટેશન સુધી લોકલ દોડશે! જાણો શું છે પશ્ચિમ રેલવેની યોજના

News Continuous Bureau | Mumbai

હાલમાં મુંબઈમાં હાર્બર લોકલ ટ્રેન ગોરેગાંવ સુધી ચલાવવામાં આવે છે. હવે થોડા દિવસમાં હાર્બર રેલવે લાઇનને બોરીવલી સુધી લંબાવવામાં આવશે. પશ્ચિમ રેલવેના અધિકારીઓએ જણાવ્યું હતું કે આ પ્રોજેક્ટ માટે જમીન સંપાદન અને વૃક્ષોના સર્વેની દરખાસ્ત રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલવામાં આવી છે.  આ એક્સ્ટેંશન પ્રોજેક્ટ માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવાનો હેતુ છે અને તે પછી જ મુસાફરો હાર્બર લાઇન દ્વારા સીએસએમટીથી બોરીવલી સુધી સીધી મુસાફરી કરી શકશે.

Join Our WhatsApp Channel

જમીન સંપાદન સહિત વિવિધ પ્રકારના સર્વે

પ્રાપ્ત જાણકારી મુજબ આ પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. પ્રોજેક્ટમાં આવતા વૃક્ષો, જમીન સંપાદન સહિત અનેક પ્રકારના સર્વે કરવામાં આવ્યા છે. તેમજ રૂટ એલાઈનમેન્ટ પ્લાનિંગ અને બ્રિજના જનરલ ડ્રોઈંગની કામગીરી ચાલી રહી છે. જ્યારે ટ્રી સર્વે અને જમીન સંપાદન માટેની દરખાસ્ત રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલવામાં આવી છે. આખરી ડિટેઈલ પ્રોજેક્ટ રિપોર્ટ તૈયાર કરવાનું કામ ચાલુ છે.

હાર્બર રૂટ પર CSMT-પનવેલ, CSMT-અંધેરી, ગોરેગાંવ વચ્ચે લોકલ ચાલે છે. ગોરેગાંવ-પનવેલ લોકલ પણ શરૂ થઈ ગઈ છે. અગાઉ હાર્બર સેવા ગોરેગાંવને બદલે સીએસએમટી-અંધેરીથી ચાલતી હતી.

આ સમાચાર પણ વાંચો: હિમાચલ પ્રદેશમાં કમળ કરમાયું, કોંગ્રેસે બહુમતીનો આંકડો કર્યો પાર.. તેમ છતાં પાર્ટીએ વિજેતા ઉમેદરવારને કર્યા નજરકેદ… જાણો શું છે કારણ.

ઘણા મુસાફરો સીએસએમટીથી અંધેરી અને પછી પશ્ચિમ રેલવે દ્વારા મુસાફરી કરતા હતા. મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને હાર્બર સેવાને ગોરેગાંવ સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. માર્ચ 2019થી ગોરેગાંવ સુધી લોકલ ટ્રેનો દોડાવવાનું શરૂ થયું હતું. હવે હાર્બર રેલવેને બોરીવલી સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે અને વિસ્તરણનું કામ પશ્ચિમ રેલવે દ્વારા કરવામાં આવી રહ્યું છે.

છઠ્ઠો રૂટ બનાવવાનું કામ શરૂ 

હાલમાં બોરીવલી સુધી પાંચ રૂટ છે અને છઠ્ઠો રૂટ પણ બનવા જઈ રહ્યો છે. ભવિષ્યમાં વધુ બે હાર્બર કોરિડોર ઉમેરવામાં આવશે. તેથી બોરીવલી સુધી આઠ રૂટ હશે. આ પ્રોજેક્ટનો ખર્ચ 825 કરોડ 31 લાખ રૂપિયા છે, 2031 સુધીમાં મુસાફરોની સંખ્યામાં 2 થી 3 લાખનો વધારો થવાની સંભાવના છે. મુંબઈ રેલવે વિકાસ નિગમે ભવિષ્યમાં હાર્બર લાઈન બોરીવલીથી વિરાર સુધી લંબાવવાની યોજના બનાવી છે.

Health Risk of Newsprint Ink સ્વાસ્થ્ય સાથે ચેડાં નહીં ચાલે! મુંબઈમાં છાપામાં વડાપાઉં આપતા વેપારીઓ સામે FDA ની મોટી કાર્યવાહી.
Leopard Attack at IIT Bombay આઈઆઈટી બોમ્બે કેમ્પસમાં દીપડાનો આતંક સ્ટાફ હોસ્ટેલ પાસે શ્વાન પર કર્યો હુમલો
Mumbai Local Megablock મુંબઈકર માટે રાહતના સમાચાર રવિવારે મુંબઈ લોકલમાં કોઈ મેગાબ્લોક નહીં, ટ્રેનો સમયસર દોડશે
Mumbai Metro Line 3 Connectivity મેટ્રો 3 માં મુસાફરી દરમિયાન હવે ઇન્ટરનેટ કપાશે નહીં, એક્વા લાઇન પર વોડાફોન આઈડિયા (Vi) ની સીમલેસ નેટવર્કની સુવિધા શરૂ
Exit mobile version