Site icon News Continuous Bureau | Mumbai

લોકલ યાત્રી માટે સારા સમાચાર : મુંબઈમાં હાર્બર રૂટની ટ્રેનો આ સ્ટેશન સુધી દોડશે! જાણો શું છે પ. રેલવેની યોજના

હાર્બર લોકલ ટ્રેનમાં મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે. હાર્બર લોકલનું વિસ્તરણ કરવામાં આવશે. અત્યાર સુધી હાર્બર લોકલ અંધેરી અને ગોરેગાંવ સુધી ચાલતી હતી. હવે તેને સીધી બોરીવલી સુધી ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને હાર્બર રેલવેને બોરીવલી સુધી લંબાવવાની યોજના બનાવી છે. આ પ્રોજેક્ટ માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

Harbour Line Will Soon Be Extended Till Borivali

લોકલ યાત્રી માટે સારા સમાચાર : મુંબઈમાં હાર્બર રૂટની ટ્રેનો આ સ્ટેશન સુધી દોડશે! જાણો શું છે પ. રેલવેની યોજના

News Continuous Bureau | Mumbai

હાર્બર લોકલ ટ્રેનમાં ( Harbour Line ) મુસાફરી કરનારાઓ માટે સારા સમાચાર છે. હાર્બર લોકલનું વિસ્તરણ કરવામાં આવશે. અત્યાર સુધી હાર્બર લોકલ અંધેરી અને ગોરેગાંવ સુધી ચાલતી હતી. હવે તેને સીધી બોરીવલી સુધી ચલાવવામાં આવશે. પશ્ચિમ રેલવેએ મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને હાર્બર રેલવેને બોરીવલી ( Borivali ) સુધી લંબાવવાની યોજના બનાવી છે. આ પ્રોજેક્ટ માર્ચ 2025 સુધીમાં પૂર્ણ કરવાનો લક્ષ્યાંક છે.

Join Our WhatsApp Channel

પશ્ચિમ રેલવે દ્વારા પરિવહન વિભાગને લખવામાં આવેલા પત્રમાં આ માહિતી બહાર આવી છે. તેથી, વિસ્તરણ પછી, મુસાફરો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ (CSMT) થી બોરીવલી અને પનવેલથી બોરીવલી સુધી સીધી મુસાફરી કરી શકશે.

825 કરોડ 31 લાખનો થશે ખર્ચ

હાલમાં હાર્બર રેલ્વે CSMT થી પનવેલ અને CSMT થી અંધેરી, ગોરેગાંવ વચ્ચે ચાલે છે. MUTP-3 હેઠળ હાર્બર રૂટને બોરીવલી સુધી લંબાવવાની યોજના છે. ગોરેગાંવથી બોરીવલી સુધીના સાત કિલોમીટરના અંતરને લંબાવવાનો ખર્ચ અંદાજિત 825 કરોડ 31 લાખ રૂપિયા થશે. આ પ્રોજેક્ટ માટે કન્સલ્ટન્ટની નિમણૂક કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ માટે જરૂરી જમીન સંપાદન અને ટ્રી સર્વે અંગેની દરખાસ્ત રાજ્ય સરકારને મંજૂરી માટે મોકલવામાં આવી છે. ઉપલબ્ધ જગ્યાને ધ્યાનમાં રાખીને, કેટલીક જગ્યાએ ગોરેગાંવથી બોરીવલી હાર્બર માર્ગને અપગ્રેડ કરવાની યોજના છે.’

આ સમાચાર પણ વાંચો:  મુંબઈમાં ટ્રાફિક જામ અને તેનાથી વધતું ધ્વનિ પ્રદૂષણ.. આ સમસ્યાના હલ માટે પાલિકા લાવી નવી યોજના.. લોકોને મળશે રાહત..

મહત્વનું છે કે, મુંબઈ રેલવે વિકાસ નિગમ ભવિષ્યમાં હાર્બર લાઇનને બોરીવલીથી વિરાર સુધી લંબાવવાની યોજના બનાવી રહ્યું છે.

છઠ્ઠા માર્ગનું શું થયું?

પશ્ચિમ રેલવે પર મુંબઈ સેન્ટ્રલ અને બોરીવલી વચ્ચે છઠ્ઠી લાઇનનું બાંધકામ યુદ્ધ સ્તરે ચાલી રહ્યું છે. છઠ્ઠી રેલ્વે લાઇનનું કામ બે તબક્કામાં કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં, ખારથી ગોરેગાંવ વચ્ચેનો માર્ગ માર્ચ 2023 સુધીમાં પૂર્ણ થશે, જ્યારે બીજા તબક્કામાં, ગોરેગાંવથી બોરીવલી માર્ગ માર્ચ 2024 સુધીમાં પૂર્ણ થશે.

Ghatkopar’s Stabbing Attack ઘાટકોપરમાં દૂધ લેવા નીકળેલા યુવક પર છરીના ઘા ઝીંકાયા ૨૦૨૩ ની અદાવતમાં હત્યાનો પ્રયાસ..
Mumbai Illegal Bangladeshi Nationals મુંબઈમાં ક્રાઈમ બ્રાન્ચે ૩૭ બાંગ્લાદેશીઓને દબોચ્યા, દેશનિકાલ કરવા તંત્ર એક્શન મોડમાં
Nahur Footpath Collapse BMC Repair નાહૂરમાં મોડી રાત્રે ફૂટપાથ ધસી પડી ૨ બાઇક ખાડામાં ખાબકતા મોટું નુકસાન, બીએમસીએ સમારકામ શરૂ કર્યું
Uddhav Thackeray Jantar Mantar Visit દિલ્હીની ગાદી હલાવવા ઠાકરે પરિવાર રસ્તા પર! CJP આંદોલનને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેના દિલ્હી પ્રવાસના શું છે રાજકીય માયના?
Exit mobile version