Site icon

હવે વિરાર ના આ પૌરાણિક મંદિર સુધી પહોંચ્યું હેલિકોપ્ટર .માર્ગ થયો વધુ મોકળો. જાણો વિગત ….

ન્યૂઝ કન્ટિન્યુઝ  બ્યુરો ,
મુંબઈ ,2 એપ્રિલ 2021.
શુક્રવાર .

        મુંબઈ ના વિરાર ખાતે આવેલા જીવદાની મંદિર માં હવે ભાવિકો માટે હેલીકોપ્ટર  સેવા શરુ થવાની છે .વર્ષો થી વિરાર નું  જીવદાની મંદિર એ શ્રદ્ધાળુ ઓ માટે આસ્થા નું પ્રતીક બની ગયું છે .ત્યાં રોજ હજારો ની સંખ્યા માં લોકો દર્શન કરવા જાય છે.

Join Our WhatsApp Community


            જીવદાની મંદિર ના સંચાલક પ્રદીપ તેંડુલકર જણાવે છે કે ,' આ મંદિર માં ફક્ત મુંબઈ જ નહિ મહારાષ્ટ્રના નાના નાના ગામ માંથી પણ લોકો દર્શન  કરવા ઉમટે છે .માટે જ અમે એ દર્શનાર્થી ઓ ની સુવિધા માટે હેલિકોપ્ટર સેવા શરુ કરવાનો નિર્ણય લીધો છે .આવતા એક  મહિના ની અંદર યાત્રીઓ આ સુવિધા નો લાભ ઉઠાવી શકશે .'   હાલમાં જીવદાની મંદિર ના મેદાન માં તાત્પુરતુ  હેલિપેડ બનાવવાની તૈયારી ચાલી રહી છે.ભવિષ્ય માં  હાઇડ્રોલીક હેલિપેડ બનાવવાની યોજના પણ છે .પુના સ્તિથ વરદ એવિએશન નામની પ્રાઇવેટ કંપની પાસે થી આ સેવા આપવા માં આવશે .
       જીવદાની મંદિર માં આ હેલિકોપ્ટર માં એક સાથે પાંચ યાત્રી ઓ ને બેસાડવા ની સગવડ છે .તે માટે યાત્રીઓએ  3500 થી 5000 રૂપિયા સુધી ની રકમ ચુકવવાની રહેશે .શનિવાર અને રવિવારે પણ આ સેવા ચાલુ રહેશે .જોકે અત્યારે જીવદાની મંદિર માં રોપવે  ટ્રેન થી પણ જઈ  શકાય છે.

BMC Job Scam Mumbai: BMCમાં નોકરીના બહાને શિક્ષિત યુવાનો સાથે ₹૨૩.૪૩ લાખની ઠગાઈ; નકલી આઈડી કાર્ડ અને લેટર્સ પધરાવ્યા
Bhandup Fire : ભાંડુપ સ્ટેશન રોડ પર દુકાનોમાં ભીષણ આગ: ધુમાડાના ગોટાથી વિસ્તારમાં ભયનો માહોલ, ફાયર બ્રિગેડની કામગીરી ચાલુ
Mystery Death:જગજીવન રામ હોસ્પિટલના રૂમમાંથી મહિલા ડોક્ટરની લાશ મળી; રહસ્યમય સંજોગોમાં મોત
Dahisar Murder Case: બાઇક પાર્કિંગના વિવાદમાં યુવકની કરપીણ હત્યા; પોલીસે ગણતરીના કલાકોમાં આરોપીને દબોચ્યો
Exit mobile version