Site icon

અજબ મુંબઈ મહાનગરપાલિકાનો ગજબ કારભાર, વરસાદી બીમારીને કારણે જો કોઈ વ્યક્તિનું મૃત્યુ થયું તો સેક્રેટરી જવાબદાર; જાણો પાલિકાનું નવું ફરમાન

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 2 જુલાઈ 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

હવેથી મુંબઈમાં કોઈ હાઉસિંગ સોસાયટીમાં કોઈ સભ્યનું મલેરિયા અથવા ડેન્ગ્યુ જેવી બીમારીથી મૃત્યુ થયું તો એ માટે હાઉસિંગ સોસાયટી જવાબદાર હશે અને એ માટે હાઉસિંગ સોસાયટી સામે પોલીસમાં ગુનો પણ નોંધવામાં આવશે એવું અજબ ફરમાન મુંબઈ મહાનગરપાલિકાએ બહાર પાડ્યું છે.

ચોમાસામાં હાઉસિંગ સોસાયટીમાં અથવા દુકાનોમાં વરસાદનું જમા થનારાં પાણીથી મલેરિયા અને ડેન્ગ્યુ જેવી બીમારી થવાનું જોખમ હોય છે. આ બંને બીમારી ચોમાસાજન્ય બીમારી કહેવાય છે. વરસાદી પાણી જમા થવાથી મચ્છરની ઉત્પત્તિ થાય છે. એથી સોસાયટી પરિસરમાં વરસાદનું પાણી જમા થાય નહીં એ જોવાની જવાબદારી હાઉસિંગ સોસાયટીની રહેશે. મુંબઈ મનપાએ આ સંદર્ભમાં  હાઉસિંગ સોસાયટીઓને નોટિસ મોકલવાનું ચાલુ કરી દીધું છે. જો સોસાયટીએ આ બબત ગંભીરતાથી નહીં લીધી તો તેમની સામે મનપા ઍક્ટ 1888 અંતગર્ત પગલાં લેવામાં આવશે એવી ચેતવણી પણ પાલિકાએ આપી છે.

હવે પોલીસની હાજરી વગર સોસાયટીમાં વેક્સિનેશન નહીં થઈ શકે, જાણો મુંબઈ મહાનગરપાલિકાની નવી ગાઇડલાઇન; જાણો વિગત

પાલિકાની નોટિસ મુજબ મનપા ઍક્ટ 1888 અંતર્ગત નિયમનું ઉલ્લંઘન કરવાના પ્રકરણમાં 10 હજાર રૂપિયા સુધીનો દંડ ફટકારવામાં આવશે. તેમ જ ઉપાય યોજના અમલમાં નહીં મૂકે ત્યાં સુધી પ્રતિદિન 2,000 રૂપિયાનો દંડ પણ વસૂલવામાં આવશે. સોસાયટીએ યોગ્ય પગલાં નહીં લીધાં અને સોસાયટીમાં કોઈનું મૃત્યુ થયું તો સોસાયટી સામે પોલીસમાં FIR નોંધવામાં આવશે.

BMC Election: મુંબઈનું ડિજિટલ રાજકીય યુદ્ધ: ભાજપ ‘માર્વેલ-સ્ટાઇલ’ અભિયાન સાથે મોખરે, વિપક્ષ પાછળ છૂટ્યો
Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
Exit mobile version