Site icon News Continuous Bureau | Mumbai

જૂનમાં, નાળાઓની સફાઈ ન થવા અંગે ફરિયાદ કરવા હેલ્પલાઈન : બોરીવલીમાં મુખ્યમંત્રી એકનાથ શિંદે ની પ્રેસ કોન્ફરન્સ.

મુખ્ય પ્રધાન એકનાથ શિંદેએ શુક્રવારે મિલન સબવે ખાતેના હોલ્ડિંગ પોન્ડમાંથી પ્રિ-મોન્સુન કામોનું નિરીક્ષણ શરૂ કર્યું, ત્યારપછી અંધેરીમાં ગોખલે પુલનું પુનર્નિર્માણ અને પછી પોઈસર અને દહિસરમાં નાળાઓનું નિરીક્ષણ કર્યું હતું

how helpline for cleaning nalla of Mumbai, launched by CM of Maharasthra

how helpline for cleaning nalla of Mumbai, launched by CM of Maharasthra

 News Continuous Bureau | Mumbai

બોરીવલી ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ જણાવ્યું હતું કે, “BMC 1-10 જૂન દરમિયાન એક હેલ્પલાઇન શરૂ કરશે જ્યાં નાગરિકો તેમના વિસ્તારમાં નાળાઓની સફાઈ ન થાય તો ફરિયાદ કરી શકે છે.”

Join Our WhatsApp Channel

ગુરુવારે શિંદેએ બાંદ્રા પૂર્વમાં મીઠી નદી, બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં વાકોલા નદી, દાદર ફૂલ બજાર વિસ્તારના હોલ્ડિંગ પોન્ડ અને લવગ્રોવ પમ્પિંગ સ્ટેશનના કામનું નિરીક્ષણ કર્યું હતું. શિંદેએ કહ્યું કે તેઓ કામ કરતા લોકોનો ઉત્સાહ વધારવા અને કામ સમયસર પૂર્ણ થાય તે સુનિશ્ચિત કરવા માટે તેઓ વ્યક્તિગત રીતે સાઇટ્સની મુલાકાત લઈ રહ્યા છે. તેમણે ઉમેર્યું હતું કે તેઓ અપેક્ષા રાખે છે કે તમામ પ્રિ-મોન્સુન કામો એક પખવાડિયામાં પૂર્ણ થઈ જશે.

“મેં BMC કમિશનરને ડિસિલ્ટિંગ કામો પર દેખરેખ રાખવા માટે નાગરિક અધિકારીઓની એક ટીમ નિયુક્ત કરવા જણાવ્યું છે, અને કોન્ટ્રાક્ટરો દ્વારા આપવામાં આવેલા આંકડાઓને ફેસ વેલ્યુ પર ન લેવા માટે કહ્યું છે. જો ટીમને ખબર પડે કે કામ યોગ્ય રીતે થઈ રહ્યું નથી, તો તેમણે દંડ કરવો જોઈએ” શિંદેએ કહ્યું. તેમણે ઉમેર્યું હતું કે જ્યાં કામ કરવામાં આવતું નથી ત્યાં BMC અધિકારીઓ સામે પગલાં લેવાનો તેમનો નિર્ણય હતો કારણ કે તેઓ માને છે કે જાહેર નાણાંનો યોગ્ય રીતે ઉપયોગ થવો જોઈએ.

આ સમાચાર પણ વાંચો:  કમાલ છે : એક સમયના વિશ્વના સૌથી શક્તિશાળી વ્યક્તિ એવા બરાક ઓબામાની આ દેશમાં એન્ટ્રી બંધ કરવામાં આવી.

Ghatkopar’s Stabbing Attack ઘાટકોપરમાં દૂધ લેવા નીકળેલા યુવક પર છરીના ઘા ઝીંકાયા ૨૦૨૩ ની અદાવતમાં હત્યાનો પ્રયાસ..
Mumbai Illegal Bangladeshi Nationals મુંબઈમાં ક્રાઈમ બ્રાન્ચે ૩૭ બાંગ્લાદેશીઓને દબોચ્યા, દેશનિકાલ કરવા તંત્ર એક્શન મોડમાં
Nahur Footpath Collapse BMC Repair નાહૂરમાં મોડી રાત્રે ફૂટપાથ ધસી પડી ૨ બાઇક ખાડામાં ખાબકતા મોટું નુકસાન, બીએમસીએ સમારકામ શરૂ કર્યું
Uddhav Thackeray Jantar Mantar Visit દિલ્હીની ગાદી હલાવવા ઠાકરે પરિવાર રસ્તા પર! CJP આંદોલનને સમર્થન આપવા ઉદ્ધવ ઠાકરેના દિલ્હી પ્રવાસના શું છે રાજકીય માયના?
Exit mobile version