Site icon

વાવાઝોડના પ્રતાપે તળાવોની સપાટીમાં વધારો : મુંબઈને પાણી પૂરું પાડનારાં તળાવોમાં ચાર દિવસમાં સૌથી વધુ વરસાદ વિહાર અને તુલસીમાં; જાણો વિગત..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 22 મે 2021

Join Our WhatsApp Community

શનિવાર

મુંબઈને પાણી પૂરું પાડનારાં તળાવોમાં હાલ ફકત 18 ટકા પાણી બાકી રહ્યું છે, ત્યારે તાઉતે વાવાઝોડાની અસરને કારણે આ તળાવોમાં સારો એવો વરસાદ પડ્યો છે. ચાર દિવસમાં સૌથી વધુ વરસાદ વિહાર અને તુલસી તળાવમાં પડ્યો હતો.

સાત તળાવમાંથી પાંચ તળાવમાં 17 મેથી 20 મે, 2021 સુધી ચાર દિવસમાં સૌથી વધુ વરસાદ એટલે કે 210 મિલીમીટર (સવાઆઠ ઇંચ) વરસાદ મુંબઈમાં આવેલા વિહાર તળાવમાં પડ્યો હતો. મોડક સાગરમાં 178 મિલીમીટર(સાત ઇંચ), મધ્ય વૈતરણામાં 62 મિલીમીટર(સવાબે ઇંચ), તાનસામાં 59 મિલીમીટર (સવાબે ઇંચ) અને ભાતસામાં 29 મિલીમીટર(સવા ઇંચ) વરસાદ નોંધાયો છે, તો અપર વૈતરણામાં નોંધનીય વરસાદ પડ્યો નહોતો.

અહીં ઉલ્લેખનીય છે કે મુંબઈને દરરોજ 3,850 મિલિયન લિટર જેટલું પાણી આપવામાં આવે છે. જે સાત તળાવમાંથી પૂરું પાડવામાં આવે છે. સાતમાંથી પાંચ તળાવ BMCની માલિકીના છે. અપર વૈતરણા અને ભાતસા રાજ્ય સરકારની માલિકીના છે.

Devendra Fadnavis Mumbai master plan: મુંબઈની કાયાપલટ: દેવેન્દ્ર ફડણવીસનો ‘માસ્ટર પ્લાન’ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો નવો યુગ
Mumbai Mega Block: મુંબઈગરાઓ ધ્યાન આપો! રવિવારે મધ્ય અને ટ્રાન્સ-હારબર રેલ્વે પર મેગા બ્લોક; લોકલ ટ્રેનોના સમયપત્રકમાં ફેરફાર, જાણો વિગતો
Mumbai: ગોરેગાંવમાં વહેલી સવારે માતમ: ભીષણ આગમાં આખો પરિવાર હોમાયો, ધુમાડાના ગોટેગોટામાં ગૂંગળાઈ જવાથી ત્રણના મોત
CM Devendra Fadnavis: મુંબઈ બનશે ગ્લોબલ હબ! CM ફડણવીસે રજૂ કર્યો 16 લાખ નોકરીઓનો ‘ગોલ્ડન રોડમેપ’, જાણો સામાન્ય જનતાને શું થશે ફાયદો
Exit mobile version