Site icon

તો આ લોકોની દિવાળી અંધારામાં જશેઃ મહાવિતરણે ડિફોલ્ટરો પાસેથી વસૂલી શરૂ કરી …જાણો વિગત.

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો.

મુંબઈ, 21 ઓક્ટોબર, 2021.

Join Our WhatsApp Community

ગુરુવાર.

કોરોના મહામારી દરમિયાન લાદવામાં આવેલા લોકડાઉનમાં અનેક લોકોએ નોકરીધંધા ગુમાવ્યા હતા. તેને કારણે સેંકડો લોકો પોતાના વીજળીના બિલ સુદ્ધા ભરી શકયા નહોતા. બેસ્ટ, ટાટા અને અદાણી જેવી વીજ કંપનીઓએ અનેક વખત આ લોકોને વીજળીના બિલ ભરવાની સૂચના આપી હતી. છતાં નાગરિકો સહિત અનેક કંપનીઓએ વીજળીના બિલ ભર્યા નથી. આવા ડિફોલ્ટરોની સંખ્યા પણ ખાસ્સી મોટી થઈ ગઈ હતી અને વીજળીના બાકી રહેલા બિલની રકમ પણ મોટી થઈ ગઈ છે. આ લોકોના વીજળીના જોડાણ કાપવાને બદલે વીજ કંપનીઓએ તેમને બિલ ભરવા માટે અનેક વખત મુદત વધારી આપી હતી અને હવે ફરી એક વખત વીજ કંપનીઓએ ડિફોલ્ટરોને તાત્કાલિક વીજળીના બિલ ભરી નાખવાની સૂચના આપી છે. સરકારી કંપની મહાવિતરે ડિફોલ્ટરો પાસેથી કરોડો રૂપિયાના વીજળીના બિલ વસૂલવાના છે. તેથી મહાવિતરણે ડિફોલ્ટરોને તાત્કાલિક બાકી રહેલા બિલ ભરી નાખવાની સૂચના આપી છે. અન્યથા બરોબર દિવાળીના સમયે લોકોના ઘરમાં અંધારા થવાની શકયતા તેમણે વ્યકત કરી છે.

એશિઝ શ્રેણી પહેલા ઓસ્ટ્રેલિયન ક્રિકેટ બોર્ડને લાગ્યો ઝટકો, આ દિગ્ગજ ફાસ્ટ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટને કહ્યું અલવિદા; જાણો વિગતે 

અહીં ઉલ્લેખનીય છે કે મહાવિતરણે લગભગ 123.73 કરોડ રૂપિયા તેના રેસિડેન્શિયલ ગ્રાહકો પાસેથી તો કર્મશિયલ ગ્રાહકો પાસેથી 92.8 કરોડ અને ઔદ્યોગિક ગ્રાહકો પાસેથી 145.6 કરોડ રૂપિયા વીજળીના બિલ પેઠે વસૂલવાના બાકી છે.

 

Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Mumbai CSMT: CSMT પર CRMSના વિરોધ પ્રદર્શનનો વિવાદ: ૨ પદાધિકારીઓ અને સભ્યો વિરુદ્ધ GRP એ FIR નોંધી, જાણો શું છે મામલો?
BMC Elections 2026: બિહાર બાદ હવે BMC પર નજર: BJPની મુંબઈમાં મોટી રણનીતિ! ૪ નેતાઓને સોંપાઈ નવી જવાબદારી, શું થશે મોટો બદલાવ?
Mumbra ATS raid: આતંકનો મોટો ખુલાસો! મુંબ્રામાંથી અલ-કાયદા સાથે જોડાયેલા ઉર્દૂ શિક્ષકની ધરપકડ, ATSને ‘સ્લીપર સેલ’નો મોટો સુરાગ મળ્યો
Exit mobile version