Site icon

Mumbai: મુંબઈવાસીઓ માટે મહત્ત્વપૂર્ણ સમાચાર.. મુંબઈનો આ રેલવે ફલાયઓવર બ્રિજ પુનઃ નિર્માણ કાર્ય માટે આવતીકાલથી થશે બંધ.

Mumbai: મધ્ય રેલવે અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સંયુક્ત રીતે હાલના શિવ ( સાયન ) રેલવે ફ્લાયઓવરને તોડી પાડશે. આ બ્રિજની જગ્યાએ નવો ફ્લાયઓવર બનાવવા માટે 49 કરોડનો ખર્ચ અપેક્ષિત છે.

Important news for Mumbai residents.. sion railway flyover bridge of Mumbai will be closed from tomorrow for reconstruction work..

Important news for Mumbai residents.. sion railway flyover bridge of Mumbai will be closed from tomorrow for reconstruction work..

News Continuous Bureau | Mumbai

Mumbai: આવતીકાલ, શનિવારથી મુંબઈવાસીઓએ શિવ ( સાયન ) રેલવે ફ્લાયઓવર ( Sion Railway Flyover ) વિસ્તારમાંથી મુસાફરી કરતી વખતે ટ્રાફિક જામથી  બચવા માટે ખાસ સાવચેતી રાખવી પડશે. શિવ રેલવે ફ્લાયઓવર આવતીકાલથી પુનઃનિર્માણ ( Reconstruction ) માટે બંધ કરવામાં આવી રહ્યો છે. સેન્ટ્રલ રેલ્વે ( Central Railway ) અને મુંબઈ મહાનગરપાલિક ( BMC ) મળીને આ પુલનું નિર્માણ કરવાના હોવાથી. તેમાં 24 મહિનાનો સમય લાગશે. જેના કારણે આગામી બે વર્ષ સુધી આ પુલ બંધ રહેશે. 

Join Our WhatsApp Community

એક રિપોર્ટ મુજબ, મધ્ય રેલવે અને મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન સંયુક્ત રીતે હાલના શિવ રેલવે ફ્લાયઓવરને તોડી પાડશે. આ બ્રિજની જગ્યાએ નવો ફ્લાયઓવર બનાવવા માટે 49 કરોડનો ખર્ચ અપેક્ષિત છે. સેન્ટ્રલ રેલવેએ 23 કરોડ અને મુંબઈ મહાનગરપાલિકે આ બ્રિજ બનાવવા માટે 26 કરોડનું ભંડોળ મંજૂર કર્યું છે. ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી, (IIT) મુંબઈએ મુંબઈ રેલવે ફ્લાયઓવરનું ( Mumbai Railway Flyover )  માળખાકીય નિરીક્ષણ હાથ ધર્યું છે. આ સમયે, શિવ રેલવે ફ્લાયઓવરના અહેવાલમાં સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે સ્ટીલ ગર્ડર, આરસીસી સ્લેબ ( RCC slab ) જોખમી સ્થિતિમાં છે. જેના કારણે આ પુલને વાહનવ્યવહાર માટે બંધ કરી નવો પુલ બનાવવામાં આવે તેવી ભલામણ રિપોર્ટમાં કરવામાં આવી છે.

 24 મહિનામાં આ પુલ તોડીને ફરીથી બનાવવાની યોજના..

મધ્ય રેલવે દ્વારા છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસથી કુર્લા વચ્ચેના MUTP-2 પ્રોજેક્ટમાં પાંચમી અને છઠ્ઠી લાઇનનું નિર્માણ કરવામાં આવશે. પાટા પરથી હયાત પુલની ઉંચાઈ ઓછી હોવાને કારણે પુલ અવરોધરૂપ બન્યો હતો. જેના કારણે મધ્ય રેલવેના એક વરિષ્ઠ અધિકારીઓએ બ્રિજને તોડીને ઉંચો બ્રિજ બનાવવાની દરખાસ્ત કરી હતી.

આ સમાચાર પણ વાંચો :  Thane Factory Fire : થાણેની કેમિકલ ફેક્ટરીમાં સિરિયલ બ્લાસ્ટ બાદ લાગી વિસ્ફોટ આગ.. એકનું મોત.. આટલા લોકો થયા ઘાયલ…

શનિવારથી વાહનવ્યવહાર બંધ થયા બાદ 24 મહિનામાં આ પુલ તોડીને ફરીથી બનાવવાની યોજના છે. નવા ફ્લાયઓવરનું નિર્માણ સિંગલ સ્પાન સેમી-થ્રુ ગર્ડર્સ પદ્ધતિથી કરવામાં આવશે. આ બ્રિજમાં 49 મીટર લંબાઇ અને 29 મીટર પહોળા RCC સ્લેબ જોડવામાં આવશે. મધ્ય રેલવેના મુખ્ય જનસંપર્ક અધિકારીએ બ્રિજના નિર્માણના મહત્વના કામને પૂર્ણ કરવામાં કોઈ અગવડ ન પડે તે માટે રેલવે પ્રશાસને આમાં સહકાર આપવા વિનંતી કરી છે.

Rickshaw gang arrested: બોરીવલીમાં વૃદ્ધાનું મંગળસૂત્ર ઝૂંટવી ભાગનારી રિક્ષા ગેંગ ૨૪ કલાકમાં ઝડપાઈ: MHB પોલીસે દહિસરમાંથી બે લૂંટારાઓને દબોચ્યા.
Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.
Mumbai ATS: મુંબઈ ATSની મોટી કાર્યવાહી: માનખુર્દમાં ₹22 લાખનું ડ્રગ્સ ઝડપાયું; બાઇક પર ‘રેકી’ અને કારમાં ‘સપ્લાય’ કરતી ગેંગનો પર્દાફાશ.
Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Exit mobile version