Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈમાં શાળા અને કૉલેજમાં બસ દ્વારા જનારા આટલા ટકા વિદ્યાર્થીઓ માર્ગ-અકસ્માતનો ભોગ બને છે, આ છે કારણો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 8 ઑક્ટોબર, 2021

Join Our WhatsApp Channel

શુક્રવાર

મુંબઈમાં થતા માર્ગ-અકસ્માતમાં શાળા અને કૉલેજના 11% વિદ્યાર્થીઓ ભોગ બને છે. એમાં ધોરણ એકથી 12 સુધીના વિદ્યાર્થીઓ હોય છે. 'નૅશનલ સ્ટડી ઑન સેફ કમ્યુટ ટુ સ્કૂલ' વિષય પર Save life-સેવ લાઇફ ફાઉન્ડેશન તરફથી અભ્યાસ કરાયો છે. એમાં શાળા કે કૉલેજમાં જવા માટે માર્ગ પ્રવાસ કરનારા વિદ્યાર્થીઓની સુરક્ષાના પડકારોને પ્રકાશિત કર્યા છે.

આ અભ્યાસ દરમિયાન થયેલા સર્વેમાં 57% શાળાના વિદ્યાર્થીઓએ કહ્યું હતું કે સ્કૂલ-બસોમાં સીટ-બેલ્ટ નથી હોતા, જ્યારે 46% વાલીઓએ કહ્યું હતું કે સ્કૂલ-બસના ડ્રાઇવરો બેફામ ગાડી ચલાવે છે. સંપૂર્ણ દેશમાં 6% વિદ્યાર્થીઓ માર્ગ-અકસ્માતનો ભોગ બને છે. જ્યારે મુંબઈમાં 11% વિદ્યાર્થીઓના ઍક્સિડન્ટ થાય છે. 

ખરેખર ઘોર કળિયુગ! સાસુને સાપ કરડાવી દીધો; જાણો વિગતે

રોડ ટ્રાન્સપૉર્ટ અને હાઇવે મંત્રાલયે વર્ષ 2019માં માર્ગ-અકસ્માતના રજૂ કરેલા આંકડાઓ મુજબ દેશમાં 7%થી વધુ અકસ્માત 18વર્ષથી ઓછા લોકોના થયા હતા. રાષ્ટ્રીય સ્તરે આ આંકડો વર્ષ 2017થી 2019 દરમિયાન વધ્યો છે. વર્ષ 2017માં 18 વર્ષથી ઓછી વયના 9,408 બાળકોનાં મોત થયાં હતાં. જ્યારે વર્ષ 2019માં 11,168 બાળકો અકસ્માતનો ભોગ બન્યાં હતાં.

Mumbai Metro Station Bus Fire મુંબઈમાં મેટ્રો સ્ટેશન નીચે બસમાં લાગી ભીષણ આગ, ધુમાડાના ગોટેગોટાથી મુસાફરોમાં નાસભાગ; ટ્રેન પણ રોકી દેવાઈ
Andheri DN Nagar Housebreaking Theft અંધેરી પૂર્વ અને ડી.એન. નગરમાં ચોરીનો પર્દાફાશ ₹૭.૨૭ લાખના સોનાના દાગીના અને રોકડ સાથે આરોપી ઝડપાયો
MIDC Police MCOCA Action MIDC વિસ્તારમાં ટેરર ફેલાવતી ગેંગનો પર્દાફાશ ‘મોકા’ અંતર્ગત 7 આરોપીઓ ઝડપાયા, ફરાર 4 શખ્સો સામે ગાળિયો કસાયો
Parksite Attempt To Murder Case પાર્કસાઈટ પોલીસ સ્ટેશનના ગુનામાં આરોપીને ૧૦ વર્ષની સખત કેદ, સત્ર અદાલતે ફટકારી આકરી સજા
Exit mobile version