Site icon

મુંબઈગરા પર તોળાતું પાણીકાપનું સંકટ, જળાશયોમાં માત્ર 18 ટકા પાણીનો સ્ટૉક; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 જુલાઈ 2021

Join Our WhatsApp Community

ગુરુવાર.       

લાંબા સમયથી વરસાદની ગેરહાજરીએ પાણીનું ટેન્શન વધારી દીધું છે. મુંબઈને પાણી પૂરું પાડનારાં સાતેય જળાશયોમાં હાલ માત્ર 18.21 ટકા જેટલો પાણીનો સ્ટૉક બાકી રહ્યો છે. આગામી દિવસોમાં જો સંતોષજનક વરસાદ નહીં પડ્યો તો મુંબઈગરાના માથા પર પાણીકાપ મૂકવાનું સંકટ છવાયેલું છે.

ગયા વર્ષની સરખાણીમાં હાલ સાતેય જળાશયોમાં વધારે પાણી છે, છતાં મુંબઈ મહાનગરપાલિકાનું પાણી પુરવઠા ખાતું કોઈ જોખમ લેવા માગતું નથી. આગામી અઠવાડિયા સુધી પણ જો જળાશયોના કૅચમેન્ટ એરિયામાં સંતોષજનક વરસાદ નહીં પડ્યો તો પાલિકા પાણીકાપ બાબતે નિર્ણય લેશે એવું પાણીપુરવઠા ખાતાના ઉચ્ચ અધિકારીએ જણાવ્યું હતું.

મુંબઈને આખું વર્ષ પાણીકાપ વગર પાણીપુરવઠો મળી રહે એ માટે સાતેય જળાશયોમાં પહેલી ઑક્ટોબરના  14, 47,363 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટૉક હોવો આવશ્યક છે. ગુરુવારે સવારના સાતેય જળાશયોમાં કુલ મળીને 2,63,631 મિલિયન લિટર જેટલો પાણીનો સ્ટૉક હતો, જે સરેરાશ 18.21 ટકા જેટલું છે. ગયા વર્ષ કરતાં આ વખતે જળાશયોમાં વધુ પાણી છે. ગયા વર્ષે આ જ સમયે જળાશયોમાં 2,53,256 મિલિયન લિટર જેટલું પાણી હતું, તો 2019ની સાલમાં જળાશયોમાં આ સમયે 3,60,926 મિલિયન લિટર જેટલું પાણી હતું.

મુંબઈમાં એક મહિના બાદ કોરોનાથી મૃત્યુ પામનાર દર્દીઓનો આંક સિંગલ ડિજિટમાં નોંધાયો, છેલ્લા 24 કલાકમાં માત્ર આટલા દર્દીઓના થયા મોત ; જાણો આજના તાજા આંકડા

મુંબઈને પાણી પૂરું પાડનારાં મોટા ભાગનાં જળાશયો થાણે અને નાશિક જિલ્લામાં છે. જૂન મહિનામાં સારો વરસાદ પડ્યા બાદ છેલ્લા થોડા દિવસથી વરસાદ ગાયબ થઈ ગયો છે. એમાં પણ થાણે અને નાશિક જિલ્લામાં વરસાદ જ નથી પડ્યો. એથી પાલિકાની ચિંતામાં વધારો થયો છે. હવામાન ખાતાએ આગામી દિવસમાં ચોમાસું ફરી સક્રિય થવાની આગાહી કરી છે. હાલ પાલિકા પ્રશાસન પાસે રાહ જોવા સિવાય વિકલ્પ નથી. આગામી એકાદ અઠવાડિયામાં વરસાદનું આગમન ન થયું તો જળાશયોમાં રહેલાં પાણીના સ્ટૉકને ધ્યાનમાં રાખીને પાણીકાપ મૂકવા બાબતે નિર્ણય લેવાશે.

Mumbai News: મુંબઈના માલાડમાં મેટ્રો પિલર નીચે બસ બની ‘આગનો ગોળો’! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે પર વાહનોની લાંબી કતારો; મેટ્રો સેવા પણ ખોરવાઈ
BMC Mayor Election 2026: મુંબઈના મેયર પદની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું! તારીખ જાહેર થતા જ મહાયુતિમાં ખળભળાટ; શિંદે કે ભાજપ, કોણ બનશે મુંબઈનો નવો ‘નાથ’?.
Mira-Bhayandar Metro Update: મીરા-ભાઈંદર ટુ અંધેરી… હવે મેટ્રોમાં દોડશે જિંદગી! વેસ્ટર્ન એક્સપ્રેસ હાઈવેના ટ્રાફિકને કહો બાય-બાય, જાણો ક્યારથી શરૂ થશે મેટ્રો લાઇન-9
BMC Election Twist: ઉદ્ધવ ઠાકરેનો માસ્ટર સ્ટ્રોક! BMC માં સત્તા પલટવાની તૈયારી? ‘6 બેઠકો’ નું એવું ગણિત કે વિરોધીઓના હોશ ઉડી જશે.
Exit mobile version