Site icon News Continuous Bureau | Mumbai

Independence Day 2024:સ્વતંત્રતા દિન પૂર્વે મુંબઈની અગ્રગણ્ય ઈમારતોને તિરંગાનાં રંગોની રોશનીનો શણગાર… જુઓ વિડીયો

Independence Day 2024: પીએમ મોદી એ તમામ ભારતીયોને સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે 'હર ઘર તિરંગા' અભિયાનમાં ભાગ લેવા આહ્વાન કર્યું હતું. મોદીએ રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી લેવા અને તેને સોશિયલ મીડિયા પર શેર કરવાના વધતા ચલણ પર પ્રકાશ પાડ્યો હતો.

Independence Day 2024 CSMT, BMC Headquarters in Mumbai Illuminated in Tricolour

Independence Day 2024 CSMT, BMC Headquarters in Mumbai Illuminated in Tricolour

 News Continuous Bureau | Mumbai 

કેન્દ્રના ‘હર ઘર તિરંગા’ અભિયાનના ભાગરૂપે 78મા સ્વતંત્રતા દિવસની પૂર્વે, છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ અને  બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) મુખ્યાલય  તિરંગા લાઇટિંગ થી ઝળહળી ઉઠી છે. BMC, દેશની સૌથી ધનાઢ્ય નાગરિક સંસ્થા, X (અગાઉ ટ્વિટર તરીકે ઓળખાતી) પર ત્રિરંગાથી શણગારેલા તેના મુખ્યાલયના વીડિયો શેર કર્યા.

Join Our WhatsApp Channel

 Independence Day 2024:જુઓ વિડીયો 

 Independence Day 2024: ‘હર ઘર તિરંગા’ અભિયાનનો ઉદ્દેશ્ય 

મુંબઈમાં સ્વતંત્રતા દિવસના માનમાં વિવિધ ઐતિહાસિક સ્થળો, સરકારી કચેરીઓ, જળાશયો અને મહત્વના માર્ગો પર રોશની કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા શરૂ કરાયેલ ‘હર ઘર તિરંગા’ અભિયાનનો ઉદ્દેશ્ય નાગરિકોને તેમના ઘરો અને કાર્યસ્થળો પર રાષ્ટ્રધ્વજ પ્રદર્શિત કરીને સ્વતંત્રતા દિવસની ઉજવણીમાં ભાગ લેવા પ્રોત્સાહિત કરવાનો છે.

દક્ષિણ મુંબઈમાં આવેલી અનેક અગ્રગણ્ય પ્રશાસકીય ઈમારતો, હેરિટેજ સ્થાનો તથા મહત્ત્વની સંસ્થાઓના મુખ્યાલયોની ઈમારતોને કેસરી, સફેદ, લીલો – એમ રાષ્ટ્રધ્વજના ત્રણ રંગવાળી LED રોશનીથી રોજ સંધ્યાકાળે અને આખી રાત ઝળહળીત કરવામાં આવે છે.

આ સમાચાર પણ વાંચો: Har Ghar Tiranga Campaign: સ્વતંત્રતા દિન પૂર્વે મુંબઈની ઐતિહાસિક ઈમારતો પર ત્રિરંગી લાઇટિંગ, જુઓ નયનરમ્ય ફોટોસ

તમને જણાવી દઈએ કે   ‘હર ઘર તિરંગા’ અભિયાનની જાહેરાત પીએમ નરેન્દ્ર મોદીએ જુલાઈના મન કી બાત કાર્યક્રમમાં આપણા રાષ્ટ્રીય નાયકોને યાદ કરવા માટે કરી હતી. તેમણે તમામ ભારતીયોને સ્વતંત્રતા દિવસની ઉજવણી માટે ‘હર ઘર તિરંગા’ અભિયાનમાં ભાગ લેવા આહ્વાન કર્યું હતું. મોદીએ રાષ્ટ્રધ્વજ સાથે સેલ્ફી લેવા અને તેને સોશિયલ મીડિયા પર શેર કરવાના વધતા ચલણ પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે પાર્ટીના નેતાઓ અને કાર્યકર્તાઓને વિનંતી કરી કે તેઓ 13 ઓગસ્ટથી 15 ઓગસ્ટ સુધી ઘરો, ઓફિસો અને દુકાનો પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Sanjay Gandhi National Park Land મુંબઈના ફેફસાં સમાન SGNP ની જમીન બચી મહેસૂલ મંત્રીના એક નિર્ણયથી ખાનગી દાવેદારોની દાદાગીરીનો અંત!
BEST Completes 100 Years Bus Service વિક્ટોરિયા ટ્રામથી લઈને ઈલેક્ટ્રિક બસ સુધી મુંબઈની BEST બસ સેવાના ૧૦૦ વર્ષની શાનદાર સફર!
Miraculous rescue of toddler વિરારમાં ત્રીજા માળેથી નીચે પછડાયેલા ૧૮ મહિનાના માસૂમ બાળકનો શેડ પર પડવાથી ચમત્કારિક બચાવ
Borivali birthday firing incident બોરિવલીમાં જન્મદિવસની પાર્ટીમાં એર ગન ફાયર, સુરક્ષા વ્યવસ્થા સામે સવાલો, આરોપી ઝડપાયો
Exit mobile version