Site icon News Continuous Bureau | Mumbai

બીએમસી કમિશનરનો ધડાકો : તમામ મ્યુનિસિપલ કમિશનરોની તપાસ કરો! મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ ચહલની વિચીત્ર માંગણી.

માર્ચ 2020 માં મુંબઈમાં કોરોના દાખલ થયા પછી, દર્દીઓની ઝડપથી વધી રહેલી સંખ્યા માટે જમ્બો કોવિડ સેન્ટર દ્વારા 15,000 બેડ તૈનાત કરવામાં આવ્યા હતા. વિવિધ 'નોન-બીએમસી' એજન્સીઓ દ્વારા બાંધવામાં આવેલ જમ્બો કોવિડ સેન્ટર મેળવ્યા પછી, નગરપાલિકાએ તે સ્થળે તબીબો, નર્સો, આરોગ્ય કર્મચારીઓ અને મજૂરોને નિયુક્ત કરીને આરોગ્ય સુવિધાઓ અને આવશ્યક સેવાઓ પૂરી પાડી હતી.

Inquire all Municipalities for COVID purchases, claims Iqbal Singh Chahal

બીએમસી કમિશનરનો ધડાકો : તમામ મ્યુનિસિપલ કમિશનરોની તપાસ કરો! મુંબઈ મ્યુનિસિપલ કમિશનર ઈકબાલ ચહલની વિચીત્ર માંગણી.

News Continuous Bureau | Mumbai

આ તમામ કાર્યવાહી એપિડેમિક એક્ટના વિશેષાધિકાર હેઠળ, નિયમો અનુસાર, સરકારના નિર્દેશો મુજબ અને સ્થાયી સમિતિ દ્વારા આપવામાં આવેલી સત્તા સાથે કરવામાં આવી હતી. જેના કારણે 97,000 જેટલા દર્દીઓ સાજા થયા છે અને સારવાર બાદ ઘરે ગયા છે. જમ્બો સેન્ટરે મુંબઈમાં 11 લાખથી વધુ દર્દીઓને સાજા કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. મ્યુનિસિપલ ( Municipalities  ) કમિશનર ઈકબાલ સિંહ ચહલે ( Iqbal Singh Chahal ) ઇન્ફોસમેન્ટ ડિરેક્ટરેટ ને કહ્યું કે જો ઈડીની તપાસ હોય તો તમામ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરોની તપાસ કરવામાં આવે.

Join Our WhatsApp Channel

નગરપાલિકાની કોરોના લડાઈમાં મહત્વની ભૂમિકા ભજવતા દસ જમ્બો કોવિડ સેન્ટરોમાંથી એક વિશે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આ ફરિયાદની પૃષ્ઠભૂમિમાં પોલીસ તપાસ બાદ નગરપાલિકા પ્રશાસનને ‘ED’ દ્વારા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. આ મુજબ, મ્યુનિસિપલ કમિશનરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે, મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનના વડા તરીકે તેઓ ‘ઇડી’ ઓફિસમાં માહિતી આપવા આવ્યા હતા. કમિશનરે એ પણ સ્પષ્ટતા કરી હતી કે EDના અધિકારીઓ દ્વારા માંગવામાં આવેલી તમામ માહિતી આપવામાં આવી છે અને જો ભવિષ્યમાં વધુ માહિતીની જરૂર પડશે તો કમિશનર EDને તમામ પ્રકારની મદદ કરશે.

જમ્બો કોવિડ સેન્ટર વરદાન સાબિત થયું

– જ્યારે મુંબઈમાં કોરોના આવ્યો ત્યારે મુંબઈમાં માત્ર 3 હજાર 700 બેડ હતા. મુંબઈની 1 કરોડ 40 લાખની વસ્તી માટે આ પથારી ઓછી હતી. જેમાં દરરોજ હજારોની સંખ્યામાં દર્દીઓ વધી રહ્યા હતા.

– તેથી, વરલી, BKC, નેસ્કો ફેઝ: 1-2, મલાડ, દહિસર, મુલુંડ, કાંજૂર માર્ગ, રિચાર્ડસન અને ક્રુડદાસ, શિવ ખાતે જમ્બો કોવિડ સેન્ટર દ્વારા 15 હજાર પથારીઓ તૈનાત કરવામાં આવી હતી.

– જો આ પથારીઓ ન હોત તો મોટી અસુવિધા થઈ હોત તેવો દાવો કરતાં કમિશનરે કહ્યું કે 11 લાખ કોરોના દર્દીઓમાં કોરોનાને માત આપવામાં જમ્બો કોવિડ સેન્ટરની ભૂમિકા મહત્વની છે અને આ સેન્ટર દર્દીઓ માટે વરદાન બની ગયું છે.

આ સમાચાર પણ વાંચો:  દેશના આ રાજ્યમાં બાળક પેદા કરવા પર મળશે ઇન્ક્રીમેન્ટ, બે બાળક તો બે ઇન્ક્રીમેન્ટ. આ ઉપરાંત અનેક સરકારી સહાય. જાણો વિગત.

આથી પોલીસે તપાસ હાથ ધરી હતી

દસમાંથી એક જમ્બો કોવિડ સેન્ટર અંગે આઝાદ મેદાન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. પોલીસ દ્વારા આ અંગે પૂછવામાં આવતાં પાલિકાએ આ મામલે તપાસ કરવા માટે પાલિકા પાસે ફોરેન્સિક સિસ્ટમ ન હોવાથી પોલીસે તપાસ હાથ ધરવી જોઈએ તેવી દલીલ હાથ હતી. જે મુજબ 4 જાન્યુઆરીએ પાલિકા દ્વારા પોલીસને તમામ માહિતી આપવામાં આવી હતી. કમિશનર ચહલે સ્પષ્ટતા કરી હતી કે પોલીસે આ મુજબ તપાસ કરી છે.

તમામ કાર્યવાહી નિયમો મુજબ છે

કોરોના દર્દીઓની વધતી જતી સંખ્યાને કારણે બેડ, આઈસીયુ, ઓક્સિજન બેડની સંખ્યા ઝડપથી વધારવી જરૂરી છે. તે સમયે, રાજ્ય સરકારના સંકલનમાં બિન-BMC સંસ્થાઓ દ્વારા જમ્બો કોવિડ કેન્દ્રોની સ્થાપના કરવામાં આવી હતી. નગરપાલિકાએ જમ્બો કોવિડ સેન્ટર સ્થાપવા માટે ખર્ચ કરવો પડ્યો ન હતો.

જોકે, મેડિકલ એજ્યુકેશન નિયામકના ‘મોડલ’ મુજબ નગરપાલિકા દ્વારા જરૂરી માત્રામાં તબીબો, મેનપાવર અને આઈસીયુ, ઓક્સિજન અને જનરલ બેડ માટેની સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. સ્થાયી સમિતિએ તે સમયે એક ઠરાવ પણ પસાર કર્યો હતો અને નગરપાલિકાને કોવિડ સામેની લડત માટે તૈયારી કરવાની સત્તા આપી હતી.

આ સમાચાર પણ વાંચો:  UNએ હાફિઝ સઈદના સંબંધી અબ્દુલ રહેમાન મક્કીને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો, ભારતને સફળતા મળી

જમ્બો કોવિડ સેન્ટરમાં મેનપાવર અને સુવિધાઓને ટેન્ડર કર્યા વિના એક્સપ્રેશન ઑફ ઇન્ટરેસ્ટ મુજબ પાંચ દિવસમાં જરૂરી સેવાઓ પૂરી પાડવામાં આવી હતી. ચાર સંસ્થાઓ તરફથી પ્રતિસાદ મળ્યા પછી, જમ્બો કોવિડ સેન્ટર કાર્યરત કરવામાં આવ્યું. તેમણે એમ પણ કહ્યું હતું કે, તમામ પ્રક્રિયાઓ નિયમો અનુસાર કરવામાં આવી હતી.

‘ઈડી’ ઓફિસમાં કમિશનરની લગભગ સાડા ચાર કલાક સુધી પૂછપરછ કરવામાં આવી હતી. આ પછી કમિશનરે મીડિયા સાથે વાત કરતાં પોતાનો પક્ષ રજૂ કર્યો હતો. “તમામ મ્યુનિસિપલ કમિશનરોની તપાસ કરો,” તેમણે માંગણી કરી હતી.

Mumbai Air Quality Monitoring મુંબઈમાં વધશે પ્રદૂષણ પર દેખરેખ પાલિકા દ્વારા વધુ 5 નવા વાયુ સર્વેક્ષણ કેન્દ્રોની સ્થાપના
VersovaMadha Bridge Project મુંબઈગરાઓ માટે સારા સમાચાર વર્સોવામઢને જોડતો નવો બ્રિજ ટૂંક સમયમાં થશે સાકાર
Fire incident in Dahisar દહિસર પૂર્વમાં સુતાર ચાળમાં ભીષણ આગ 45 વર્ષીય વ્યક્તિ ગંભીર રીતે દાઝ્યા
Maharashtra TET Exam પેપર લીક રોકવા સરકારનો મોટો સપાટો TET પરીક્ષા પદ્ધતિમાં મોટો ફેરફાર, હવે ઓનલાઇન આપવી પડશે એક્ઝામ
Exit mobile version