Site icon News Continuous Bureau | Mumbai

રસ્તા પરના ખાડા પૂરવાને લઈને ભાજપના આ નેતાએ સત્તાધારી પાર્ટી શિવસેનાને કહી દીધી આ વાત; આદિત્ય ઠાકરેએ તેને ફાલતુ વિષય ગણાવી દીધો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 11 ઑક્ટોબર, 2021 

Join Our WhatsApp Channel

સોમવાર

મુંબઈમાં ચોમાસું પૂરું થઈ ગયું છે, પણ રસ્તાની હાલતમાં કોઈ સુધારો થયો નથી. હજી  પણ મોટા ભાગના રસ્તાઓ પર ખાડાઓ પડ્યા હોવાથી મુંબઈગરાને રોજની હાલાકી ભોગવી પડી રહી છે, ત્યારે એકાદું  પેગ્વિન ઓછું પાળો પણ રસ્તા પરના ખાડા પૂરીને મુંબઈગરાનો જીવ લેતા રોકો એવો કટાક્ષ કરતો પત્ર ભાજપના વિધાનસભ્ય નિતેશ રાણેએ મુંબઈનાં મેયર કિશોરી પેડણેકરને લખ્યો છે.

મુંબઈમાં શિવસેના 30 વર્ષથી એકહથ્થુ શાસન કરે છે, પરંતુ મુંબઈગરાએ તેમના પર મૂકેલા વિશ્વાસની તેમને કોઈ કદર નથી. મુંબઈના રસ્તાના ખાડા પાછળ 22 હજાર કરોડ રૂપિયા ખર્ચ્યા બાદ પણ રસ્તા ખાડા મુક્ત થયા નથી. મુંબઈગરાએ ભરેલા કરના પૈસા કૉન્ટ્રૅક્ટરોનાં ખિસ્સાંમાં ગયા છે. પાલિકા કમિશનર કોઈને મળતા નથી. શું પાલિકાના અધિકારીઓ પર પણ શિવસેના કૉન્ટ્રૅક્ટરોના માધ્યમથી દબાણ લાવી રહી છે એવા સવાલ નિતેશ રાણેએ મેયરને પત્ર લખીને કર્યો છે. 

ગુજરાતી વર્સિસ મરાઠી! મીરા રોડમાં ગુજરાતી મકાનમાલકણ સામે આ કારણથી નોંધાયો પોલીસમાં ગુનો; જાણો વિગત
નિતેશ રાણેએ પેંગ્વિન અને શિવસેના પર કરેલા ભ્રષ્ટાચારના આરોપ સામે શિવસેનાના યુવા નેતા અને પર્યાવરણ પ્રધાન આદિત્ય ઠાકરેએ ફાલતુ વિષય પર બોલવાને બદલે અમે વિકાસ કાર્યો પર ધ્યાન આપીએ છીએ એવો જવાબ મીડિયાને આપ્યો હતો.
 

MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Mumbai Tragedy। જુહુ ચોપાટી પર દરિયામાં ડૂબી જતાં ૧૬ વર્ષના સગીરનું કમકમાટીભર્યું મોત
Mumbai Ludo Crime। ઓનલાઈન લુડો રમતા પ્રેમમાં અંધ થઈ ૧૦.૫ લાખ લઈને ભાગેલી સગીરા ગુજરાતમાંથી પકડાઈ
Mumbai Traffic Police 2026। મુંબઈ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં રોડફૂટપાથ ખાલી કરાવવા માટે ૧૬ દિવસમાં ૮૪,૦૦૦ થી વધુ વાહનચાલકો દંડાયા
Exit mobile version