Site icon

શું કોરોનાની ત્રીજી લહેર ઓસરી રહી છે? મુંબઈ માટે આગામી આટલા દિવસ મહત્વના; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,19 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Community

બુધવાર.

મુંબઈમાં છેલ્લા થોડા દિવસમાં કોરોનાના દર્દીની સંખ્યામાં મોટો ઘટાડો જણાઈ રહ્યો છે. હાલ કોરોનાના દર્દીની સંખ્યામાં ઘટાડો જણાઈ રહ્યો છે પરંતુ દર્દીની સંખ્યા વધી જાય એવી પણ ભારોભાર શક્યતા છે. જોકે આગામી ચાર દિવસ મુંબઈ માટે મહત્વના સાબિત થવાના છે. જો આ સમયગાળામાં દર્દીની સંખ્યામાં ધટાડો કાયમ રહ્યો તો ત્રીજી લહેર ઓસરી રહી હોવાનું માનવું એવું મુંબઈ મહાનગરપાલિકાના કમિશનર સુરેશ કાકાણીએ કહ્યું હતું.
કોરોનાની ત્રીજી લહેરનો ફેલાવો 21 ડિસેમ્બર 2021થી ચાલુ થયો હતો. અસરગ્રસ્ત દર્દીઓની સંખ્યા દરરોજ 20 ટકાએ વધી રહી હોવાથી સક્રિય દર્દીનો આંકડો એક લાખની આસપાસ પહોંચી ગયો હતો. દિવસના 20,000ની આસપાસ કેસ નોંધાઈ રહ્યા હતા. તેથી મુંબઈના માથા પર મોટું જોખમ ઊભું થયું હતું. જોકે છેલ્લા થોડા દિવસથી કોરોનાના દર્દીની સંખ્યામાં ઘટાડો થઈ રહ્યો છે. મંગળવારે આ આંકડો છ હજારની આસપાસ આવી ગયો હતો. તેથી ત્રીજી લહેર ઓસરી રહી હોવાનો અંદાજ વ્યક્ત થઈ રહ્યો છે.

મુંબઈમાં ઈન્ડિયન નેવીના યુદ્ધ જહાજ INS રણવીરમાં જોરદાર વિસ્ફોટ, આટલા થયા જવાન શહીદ; નૌસેનાએ આપ્યા તપાસના આદેશ

મુંબઈમાં ડેલ્ટા વેરિયન્ટના દર્દી વધુ હતા. જોકે ત્રીજી લહેરથી તેમાં ઘટાડો થઈને ઓમાઈક્રોનના દર્દીની સંખ્યામાં વધારો થઈ રહ્યો હતો. જાન્યુઆરીના ત્રીજા અઠવાડિયાથી દર્દીની સંખ્યામાં  ઘટાડો થશે એવો અંદાજો રાજ્યની ટાસ્ટ ફોર્સે વ્યક્ત કર્યો હતો. દર્દીની  સંખ્યા ઘટી રહી છે, છતાં આગામી બે-ત્રણ દિવસમાં દર્દીની સંખ્યાનો અહેવાલ લેવામાં આવશે. જો દર્દીની સંખ્યા આવી જ રીતે ઘટતી રહી તો મુંબઈમાંથી ત્રીજી લહેર ઓસરી ગઈ હોવાનું સ્પષ્ટ થશે એવું સુરેશ કાકાણીએ કહ્યું હતું.

Water Supply Disrupted: પાણી પુરવઠો ખોરવાયો: માહિમમાં પાઇપલાઇન લીકેજને કારણે ખાર અને બાંદ્રામાં અછત, હજારો લિટર પાણીનો વ્યય
Mumbai Bike Theft: પડદા પર કલાકાર અને રસ્તા પર બાઈક ચોર: ૧૭ ગુના આચરનાર રીલ્સ સ્ટારની પોલીસે કરી ધરપકડ, જાણો કેવી રીતે થયો પર્દાફાશ
Vile Parle Fire: વિલે પાર્લેમાં ‘સુવિધા પર્લ’ ના ૧૩મા માળે લાગી આગ: ધુમાડામાં ગૂંગળામણથી એક વૃદ્ધાનું મોત, અન્ય એક મહિલા હોસ્પિટલમાં સારવાર હેઠળ
Mumbai Water Cut: મુંબઈમાં ૩૦ કલાકનો પાણી કાપ: ગોવંડી, ચેમ્બુર અને માનખુર્દમાં પુરવઠો સંપૂર્ણ બંધ રહેશે, જાણો ક્યારથી શરૂ થશે કાપ
Exit mobile version