Site icon

Jaipur Mumbai Express Firing : જયપુર-મુંબઈ ટ્રેનમાં ગોળીબાર કેસ પર કાર્યવાહી, હવે વઘુ બે આરપીએફ જવાનો થયા સસ્પેન્ડ..

Jaipur Mumbai Express Firing : દહિસર અને મીરારોડ રેલવે સ્ટેશન વચ્ચે એક્સપ્રેસ ટ્રેનમાં ગોળીબારની ઘટના બાદ હવે તેમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. તો જાણો અહીં શું છે આ અપડેટ..

Jaipur Mumbai Express Firing Action on shooting case in Jaipur-Mumbai train, now two more RPF personnel suspended.

Jaipur Mumbai Express Firing Action on shooting case in Jaipur-Mumbai train, now two more RPF personnel suspended.

News Continuous Bureau | Mumbai

Jaipur Mumbai Express Firing : 31 જુલાઈ, 2023ના રોજ, જયપુર-મુંબઈ એક્સપ્રેસમાં સવારે છ વાગ્યાની આસપાસ ફાયરિંગની ( Firing  ) ઘટના બની હતી. RPF જવાને 31મી જુલાઈના રોજ પોતાના સાથીદાર સાથે મુસાફરો પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં આરપીએફ જવાનના સાથીદાર સહિત 4 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તો કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Join Our WhatsApp Community

આ ઘટના દહિસર અને મીરારોડ રેલવે સ્ટેશન વચ્ચે બની હતી. ઘટના બાદ લોકો પાયલોટે તરત જ ટ્રેન રોકી દીધી હતી. જે બાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મુંબઈ પોલીસે ( Mumbai Police ) તેની ધરપકડ કરી હતી.

આરોપી છેલ્લા 6 મહિનાથી સારવાર હેઠળ હતો…

હવે આ મામલે એક મોટું અપડેટ આવ્યું છે. જયપુર-મુંબઈ એક્સપ્રેસ ફાયરિંગ કેસમાં અન્ય બે આરપીએફ જવાનોને ( RPF personnel ) સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને જવાન એક્સપ્રેસમાં થયેલા ફાયરિંગના પ્રત્યક્ષદર્શી હતા . ફરજ બજાવવામાં નિષ્ફળતા માટે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. બંને જવાનોની ઝીણવટભરી તપાસ બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સામે આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે તેઓએ તેમની ફરજ યોગ્ય રીતે નિભાવી નહતી.

આ સમાચાર પણ વાંચો :  Elon Musk : ચીનને કારણે રેકોર્ડ નુકસાન, મસ્કને રુ. 3.3 લાખ કરોડનું નુકસાન.. જાણો શું છે કારણ..

ઉલ્લેખનીય છે કે, જ્યારે મુસાફરો પર આ ગોળીબાર કરવામાં આવી રહ્યો હતો , ત્યારે આમાંથી એક જવાન એક્સપ્રેસ ટ્રેનના ટોઇલેટમાં છુપાય ગયો હતો, જ્યારે બીજાએ કાર્યવાહી કરવાને બદલે દર્શકની ભૂમિકા ભજવી હતી. 31 જુલાઈના રોજ એક્સપ્રેસ ટ્રેનમાં ( express train ) ફાયરિંગમાં RPF ASI સહિત ત્રણ મુસાફરોના મોત થયા હતા. આ કેસમાં આરોપી આરપીએફ જવાનની ધરપકડ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, આ મામલામાં વધુ તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપીનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું હતું. પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું કે તે છેલ્લા 6 મહિનાથી સારવાર હેઠળ હતો. જે બાદ આરોપીનો મનોવૈજ્ઞાનિક ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો. તેમ જ આરોપીઓએ પોલીસને તપાસમાં સહકાર આપ્યો ન હોવાનું પણ જાણવા મળ્યું હતું.

Gold Price Fall: સોનાના ભાવ ૮૦,૦૦૦ સુધી ગગડી શકે છે, જાણો એક્સપર્ટ શું કહે છે.
Bihar Elections: બિહાર વિધાનસભા ચૂંટણીની તારીખો થઇ જાહેર, જાણો કયા જિલ્લામાં ક્યારે થશે મતદાન, સંપૂર્ણ વિગતો
Mumbai crime news: મુંબઈમાં ક્રાઇમ બ્રાન્ચની મોટી કાર્યવાહી: વેપારીને બેભાન કરીને ₹૧૦ લાખના સોના-હીરાના દાગીના ચોરનાર મહિલા પકડાઈ
Mumbai rape case: મુંબઈમાં સાર્વજનિક શૌચાલયમાં સગીરા પર બળાત્કાર,આરોપી ની ધરપકડ
Exit mobile version