Site icon News Continuous Bureau | Mumbai

Jaipur Mumbai Express Firing : જયપુર-મુંબઈ ટ્રેનમાં ગોળીબાર કેસ પર કાર્યવાહી, હવે વઘુ બે આરપીએફ જવાનો થયા સસ્પેન્ડ..

Jaipur Mumbai Express Firing : દહિસર અને મીરારોડ રેલવે સ્ટેશન વચ્ચે એક્સપ્રેસ ટ્રેનમાં ગોળીબારની ઘટના બાદ હવે તેમાં એક નવું અપડેટ સામે આવ્યું છે. તો જાણો અહીં શું છે આ અપડેટ..

Jaipur Mumbai Express Firing Action on shooting case in Jaipur-Mumbai train, now two more RPF personnel suspended.

Jaipur Mumbai Express Firing Action on shooting case in Jaipur-Mumbai train, now two more RPF personnel suspended.

News Continuous Bureau | Mumbai

Jaipur Mumbai Express Firing : 31 જુલાઈ, 2023ના રોજ, જયપુર-મુંબઈ એક્સપ્રેસમાં સવારે છ વાગ્યાની આસપાસ ફાયરિંગની ( Firing  ) ઘટના બની હતી. RPF જવાને 31મી જુલાઈના રોજ પોતાના સાથીદાર સાથે મુસાફરો પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં આરપીએફ જવાનના સાથીદાર સહિત 4 મુસાફરોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. તો કેટલાક લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.

Join Our WhatsApp Channel

આ ઘટના દહિસર અને મીરારોડ રેલવે સ્ટેશન વચ્ચે બની હતી. ઘટના બાદ લોકો પાયલોટે તરત જ ટ્રેન રોકી દીધી હતી. જે બાદ આરોપીએ ભાગવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ મુંબઈ પોલીસે ( Mumbai Police ) તેની ધરપકડ કરી હતી.

આરોપી છેલ્લા 6 મહિનાથી સારવાર હેઠળ હતો…

હવે આ મામલે એક મોટું અપડેટ આવ્યું છે. જયપુર-મુંબઈ એક્સપ્રેસ ફાયરિંગ કેસમાં અન્ય બે આરપીએફ જવાનોને ( RPF personnel ) સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ બંને જવાન એક્સપ્રેસમાં થયેલા ફાયરિંગના પ્રત્યક્ષદર્શી હતા . ફરજ બજાવવામાં નિષ્ફળતા માટે તેમની સામે આ કાર્યવાહી કરવામાં આવી છે. બંને જવાનોની ઝીણવટભરી તપાસ બાદ તેમને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. તેમની સામે આ કાર્યવાહી એટલા માટે કરવામાં આવી છે કારણ કે તેઓએ તેમની ફરજ યોગ્ય રીતે નિભાવી નહતી.

આ સમાચાર પણ વાંચો :  Elon Musk : ચીનને કારણે રેકોર્ડ નુકસાન, મસ્કને રુ. 3.3 લાખ કરોડનું નુકસાન.. જાણો શું છે કારણ..

ઉલ્લેખનીય છે કે, જ્યારે મુસાફરો પર આ ગોળીબાર કરવામાં આવી રહ્યો હતો , ત્યારે આમાંથી એક જવાન એક્સપ્રેસ ટ્રેનના ટોઇલેટમાં છુપાય ગયો હતો, જ્યારે બીજાએ કાર્યવાહી કરવાને બદલે દર્શકની ભૂમિકા ભજવી હતી. 31 જુલાઈના રોજ એક્સપ્રેસ ટ્રેનમાં ( express train ) ફાયરિંગમાં RPF ASI સહિત ત્રણ મુસાફરોના મોત થયા હતા. આ કેસમાં આરોપી આરપીએફ જવાનની ધરપકડ કરવામાં આવી હતી.

નોંધનીય છે કે, આ મામલામાં વધુ તપાસ કરતા પોલીસને જાણવા મળ્યું હતું કે, આરોપીનું માનસિક સંતુલન ખોરવાઈ ગયું હતું. પૂછપરછમાં એ પણ જાણવા મળ્યું કે તે છેલ્લા 6 મહિનાથી સારવાર હેઠળ હતો. જે બાદ આરોપીનો મનોવૈજ્ઞાનિક ટેસ્ટ પણ કરાવવામાં આવ્યો હતો. તેમ જ આરોપીઓએ પોલીસને તપાસમાં સહકાર આપ્યો ન હોવાનું પણ જાણવા મળ્યું હતું.

Mumbai Fake Mantralaya Officer Arrest| મુંબઈમાં મંત્રાલયના નકલી અધિકારી બની વૃદ્ધા સાથે ૬૦.૪૭ લાખની છેતરપિંડી, માલાડ પોલીસે આરોપીને દબોચ્યો
Navi Mumbai Airoli Molestation Case। રાહદારી મહિલાઓનો પીછો કરી અડપલાં કરનારો સ્કૂટર સવાર જેલના સળિયા પાછળ
Mumbai Anti Narcotics Cell Action। એન્ટી નાર્કોટિક્સ સેલની મોટી કાર્યવાહી રીઢી મહિલા ડ્રગ પેડલરની અટકાયત, નાશિક જેલમાં ધકેલાઈ
Pune Illicit Liquor Case 2026। મહારાષ્ટ્રમાં લઠ્ઠાકાંડથી હાહાકાર! પુણેમાં ઝેરી દારૂ પીવાથી અત્યાર સુધીમાં ૧૮ ના મોત, વધુ નફાની લાલચમાં ભેળવાયું હતું મેથેનોલ
Exit mobile version