ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૩ એપ્રિલ 2021
શનિવાર
મુંબઈ શહેરમાં કોરોના ને કારણે દર્દીઓની વધતી સંખ્યા હવે મેડિકલ સિસ્ટમ પર ભારે પડી રહી છે. શુક્રવારે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે મીડિયા સમક્ષ સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું કે જે રીતે કોરોના નો પ્રભાવ વધી રહ્યો છે તે રીતે આવનાર દિવસોમાં મેડિકલ ફેસેલીટી ઓછી પડશે. જોકે મુંબઈ શહેરની બાબતે આ મામલો સીધો લાગુ થઈ ગયો છે.
મુંબઈ મહાનગરપાલિકા દ્વારા જેટલા પણ જમ્બો કોવિડ સેન્ટર બનાવવામાં આવ્યા છે તેમાં રહેલા icu બેડ હવે ખલાસ થઈ ગયા છે. એટલે કે બીજા પેશન્ટ દ્વારા અત્યારે વપરાઈ રહ્યા છે. આ પરિસ્થિતિમાં હવે મહાનગર પાલિકા પાસે પ્રાઇવેટ હોસ્પિટલ તેમજ સરકારી હોસ્પિટલ ના icu બેડ વિકલ્પ તરીકે બાકી છે.
એટલે મુંબઈવાસીઓને હવે પોતાનું સ્વાસ્થ્ય સંભાળી રાખવાનું છે.
