Site icon News Continuous Bureau | Mumbai

BMCનો અજબ કારભાર : કાંદિવલીના આ વિસ્તારના રહેવાસીઓ પાણી માટે કરશે આંદોલન, છેલ્લાં બે વર્ષથી મળે છે દૂષિત પાણી, રહેવાસીઓની ફરિયાદ પ્રત્યે દુર્લક્ષ; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 28 જુલાઈ, 2021

Join Our WhatsApp Channel

બુધવાર

કાંદિવલી (વેસ્ટ)માં આવેલા ચારકોપના સેક્ટર આઠમાં છેલ્લાં બે વર્ષથી સ્થાનિક રહેવાસીઓને દૂષિત પાણીનો પુરવઠો સપ્લાય થઈ રહ્યો છે. મુંબઈ મહાનગરપાલિકા પ્રશાસનથી લઈને નગરસેવકને અનેક વખત ફરિયાદ કરવામાં આવી છે, પણ તેમની ફરિયાદ બહેરા કાને અથડાઈ રહી હોવાનો આક્રોશ તેઓ વ્યક્ત કરી રહ્યા છે. છેવટે તેમણે હવે પાણી માટે આંદોલન કરવાનો નિર્ણય લીધો છે.

દૂષિત પાણીને કારણે રહેવાસીઓ ગૅસ્ટ્રો, ડાયેરિયા, કમળો જેવી બીમારીઓના ભોગ બની રહી રહ્યા છે.  સ્થાનિક રહેવાસીઓએ આર-સાઉથની વૉર્ડ ઑફિસમાં સેક્ટર આઠના મોટા ભાગના વિસ્તારમાં દૂષિત પાણી મળી રહ્યું હોવાની ફરિયાદ કરી છે. હકીકતમાં તેઓ લાંબા સમયથી ફરિયાદ કરી રહ્યા છે, પણ એની તરફ ધ્યાન આપવામાં આવી રહ્યું નથી.

મુંબઈમાં કોરોના ધીમો પડ્યો, છેલ્લા 24 કલાકમાં માત્ર આટલા દર્દીઓનાં મોત નીપજ્યાં ; જાણો આજના તાજા આંકડા 

રહેવાસીઓના કહેવા મુજબ પાઇપલાઇનમાં ક્યાં સમસ્યા છેએ જાણવા માટે પાઇપલાઇનમાં કૅમેરા નાખીને અગાઉ તપાસ કરવામાં આવી હતી. છતાં એનાથી પણ કંઈ ફરક પડ્યો નથી. સતત દૂષિત પાણીની ફરિયાદ બાદ પ્રશાસને તેમને પાણીની પાઇપલાઇન બદલી નાખવાનું આશ્વાસન આપ્યું હતું, પરંતુ હજી સુધી એના પર કોઈ કામ આગળ વધ્યું નથી. દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા માટે હવે લોકોએ આંદોલનનો સહારો લેવો પડવાના છે.

Goregaon Construction Site Accident। ગોરેગાંવમાં બાંધકામ સાઇટ પર કરંટ લાગતાં ૩૪ વર્ષીય શ્રમિકનું કરુણ મોત, કોન્ટ્રાક્ટર વિરૂદ્ધ ગુનો દાખલ
Mumbai Traffic Fraud।ટ્રાફિક દંડથી બચવા મુંબઈમાં ટેમ્પો પર લગાવી બોગસ નંબર પ્લેટ, પવઈ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ
Cyber Crime। મુંબઈમાં નિવૃત્ત મર્ચન્ટ નેવી ઓફિસર સાથે ૧.૬૮ કરોડની મહાઠગાઈ, દુબઈથી પરત ફરેલો એન્જિનિયર ઝડપાયો
Mumbai Crime Branch Success। પશ્ચિમ બંગાળના ચકચારી ફાયરિંગ અને બ્લાસ્ટ કેસના ૩ મુખ્ય આરોપીઓ મુંબઈના દેવનારમાંથી ઝડપાયા
Exit mobile version