Site icon

ફી નથી ભરી તો અમે હોલટિકિટ નહીં આપીએ; વિદ્યાર્થીઓની પરીક્ષા ભલે છૂટી જાય; કાંદિવલીની શાળાની આવી મનમાની

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 19 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

શુક્રવાર

દસમા ધોરણની CBSEની પરીક્ષા 30 નવેમ્બર થી શરૂ થશે. વિદ્યાર્થીઓ પરીક્ષાની તૈયારીમાં લાગ્યા છે. એવામાં તેમને હોલ ટિકિટ ન મળે તો તેમની ચિંતા વધી શકે છે. આ વાતનું ધ્યાન શાળાને હોવું જોઈએ તેમ છતાં કાંદિવલીની એક શાળાએ પરીક્ષાને 10 દિવસ બાકી છે તોય અમુક વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપી નથી. તેની પાછળનું કારણ એ છે કે આ વિદ્યાર્થીઓએ ફી ચૂકવી નથી. વિદ્યાર્થીઓ અને વાલીઓએ આ વાતનો વિરોધ દર્શાવતા ગઇકાલે શાળા બહાર મોરચો કાઢ્યો હતો. જેમાં MNS પાર્ટીના કાર્યકર્તા સામેલ થયા હતા.

એક મીડિયા સંસ્થાના અહેવાલ મુજબ કાંદીવલી ઈસ્ટમાં આવેલી એક ઇન્ટરનેશનલ સ્કૂલની મનમાની સામે આ આંદોલન થયું હતું. દસમા ધોરણની પરીક્ષા 30 નવેમ્બરથી શરૂ થવાની છે. હજી સુધી પરીક્ષામાં બેસવા માટે 25 ટકા વિદ્યાર્થીઓને હોલ ટિકિટ અપાઈ નહોતી. વાલીઓએ કહ્યું હતું કે અમે 85 ટકા ફી ભરવા તૈયાર છીએ. બાકીની ફી કોર્ટના આદેશ બાદ ભરીશું. તેમ છતાં શાળાએ વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપી નથી. સરકારી ઠરાવ મુજબ કોઈપણ સંજોગોમાં વિદ્યાર્થીઓની પરીક્ષા છૂટી ન જાય તેનું ધ્યાન શાળાએ રાખવું આવશ્યક છે. તોય શાળાએ આવી મનમાની ચાલુ રાખી. 

વડા પ્રધાન મોદીની કૃષિ કાયદો રદ કરવાની જાહેરાત બાદ ખેડૂતોના નેતા રાકેશ ટિકૈતેએ કહી દીધી આ મોટી વાત. જાણો વિગત.

વાલીઓના વિરોધ બાદ શાળા પ્રશાસન વિદ્યાર્થીઓને હોલ ટિકિટ આપવા માટે તૈયાર થયું હતું અને 15 ટકા ફીની રકમ વાલીઓ કોર્ટના આદેશ મુજબ ભરશે. ઉલ્લેખનીય છે કે કોરોનાકાળમાં સરકારે વિદ્યાર્થીઓને ફીમાં 15 ટકાની રાહત આપવાનો ઠરાવ કર્યો હતો.

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version