News Continuous Bureau | Mumbai
Kurla Bus Accident : સોમવારે રાત્રે મુંબઈના કુર્લામાં બેસ્ટ બસની દુર્ઘટનામાં સાત લોકોએ જીવ ગુમાવ્યો હતો અને આ અકસ્માતમાં લગભગ પચાસ લોકો ઘાયલ થયા હતા. પરંતુ પ્રશ્ન એ છે કે આટલો મોટો અકસ્માત કેવી રીતે થયો. આ સવાલનો જવાબ આરોપી સંજય મોરેએ પોલીસ પૂછપરછ દરમિયાન આપ્યો છે.
Kurla Bus Accident : આ કારણે થયો અકસ્માત
મીડિયા રિપોર્ટ અનુસાર કુર્લા બસ અકસ્માત કેસના આરોપી સંજય મોરે બસના ક્લચને બદલે એક્સીલેટર પર પગ મૂક્યો હતો. સંજયને ભારે વાહનો ચલાવવાનો કોઈ અનુભવ નહોતો, અગાઉ સંજય મિની બસ ચલાવતો હતો. આ બસોમાં ક્લચ, બ્રેક અને એક્સિલરેટર હતા. એ જ રીતે, 10 દિવસની તાલીમ પછી, સંજયને સીધી મોટી બસ ચલાવવાની તક આપવામાં આવી.
Kurla Bus Accident : ક્લચને બદલે એક્સિલરેટર દબાવ્યું
દુર્ઘટના સમયે, તેણે ‘એક્સીલેટર’ ને ભૂલથી ક્લચ સમજી લીધો અને ‘એક્સીલેટર’ પર પગ મૂક્યો, જેના કારણે બસ રોકાવાને બદલે ઝડપી થઈ ગઈ. જ્યાં અકસ્માત થયો હતો તે રસ્તા પર ભીડ જોઈને સંજય આગળ વધ્યો અને બેકાબૂ બસને રોકવા માટે બસ સુરક્ષા દિવાલ સાથે ટકરાવી.
આ સમાચાર પણ વાંચો : સીરિયામાં તણાવ વચ્ચે ભારતે 75 નાગરિકોને કર્યા એરલિફ્ટ, 44 કાશ્મીરીઓનો સમાવેશ, આ દેશ થઈને વતન પરત ફરશે
આરોપી 21મી ડિસેમ્બર સુધી કસ્ટડીમાં
જણાવી દઈએ કે મુંબઈના કુર્લા વિસ્તારમાં થયેલા બસ દુર્ઘટનાની તપાસ માટે બેસ્ટ એન્ટરપ્રાઇઝે મંગળવારે એક સમિતિની રચના કરી હતી. દરમિયાન અહીંની એક કોર્ટે બસ ડ્રાઈવરને 21 ડિસેમ્બર સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દીધો છે. બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (બીએસસી) દ્વારા સંચાલિત બેસ્ટએ એક રિલીઝમાં જણાવ્યું છે કે મૃતકોના પરિવારોને 2 લાખ રૂપિયાનું વળતર આપવામાં આવશે. બેસ્ટના જણાવ્યા અનુસાર, તપાસ સમિતિનું નેતૃત્વ ચીફ મેનેજર (ટ્રાન્સપોર્ટ) રમેશ મડાવી કરશે. અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોની સારવારનો ખર્ચ પણ બેસ્ટ ઉઠાવશે.