Site icon News Continuous Bureau | Mumbai

lalbagh cha raja: લાલબાગ ચા રાજાની વિસર્જન શોભાયાત્રા માં ચોરો એ કર્યો પોતાનો હાથ સાફ, અધધ આટલા મોબાઈલ થયા ગાયબ

lalbagh cha raja: લાલબાગ ચા રાજાની વિસર્જન શોભાયાત્રામાં આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી, પરંતુ ભક્તિના ઉત્સાહમાં ગુનેગારોએ ભીડનો ફાયદો ઉઠાવીને ઘણા ભક્તોના મોબાઈલ અને અન્ય સામાન પર હાથ સાફ કર્યો છે.

lalbagh cha raja લાલબાગ ચા રાજાની વિસર્જન શોભાયાત્રા માં ચોરો એ કર્યો પોતાનો હાથ સાફ

lalbagh cha raja લાલબાગ ચા રાજાની વિસર્જન શોભાયાત્રા માં ચોરો એ કર્યો પોતાનો હાથ સાફlalbagh cha raja લાલબાગ ચા રાજાની વિસર્જન શોભાયાત્રા માં ચોરો એ કર્યો પોતાનો હાથ સાફ

News Continuous Bureau | Mumbai

lalbagh cha raja લાલબાગના રાજાની વિસર્જન શોભાયાત્રામાં આ વર્ષે પણ લાખો શ્રદ્ધાળુઓની ભારે ભીડ ઉમટી હતી. લાલબાગથી ગિરગાંવ ચોપાટી સુધી લગભગ 32 થી 35 કલાકની મુસાફરી કરીને ભક્તોએ પોતાના પ્રિય બાપ્પાના દર્શન કર્યા અને તેમને વિદાય આપી. પરંતુ ભક્તિના ઉત્સાહમાં ગુનેગારોએ ભીડનો ફાયદો ઉઠાવીને ઘણા ભક્તોના મોબાઈલ અને અન્ય સામાન પર હાથ સાફ કર્યો છે.

Join Our WhatsApp Channel

100 થી વધુ મોબાઈલ ચોરીની ઘટનાઓ

પોલીસે આપેલી માહિતી મુજબ, આ વર્ષે શોભાયાત્રા દરમિયાન મોબાઈલ ચોરીની 100 થી વધુ ઘટનાઓ બની છે. કાળાચોકી પોલીસ સ્ટેશન બહાર ફરિયાદ નોંધાવવા માટે શ્રદ્ધાળુઓની લાંબી લાઈન લાગી હતી. આ મામલામાં અત્યાર સુધીમાં સત્તાવાર રીતે 10 ગુના નોંધાયા છે, જેમાંથી 4 મોબાઈલ પાછા મળ્યા છે અને આ કેસમાં ચાર આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.

મોબાઈલ ઉપરાંત સોનાની ચેઈનની ચોરી

મોબાઈલ ચોરી ઉપરાંત ઘણા ભક્તોની સોનાની ચેઈન પણ ચોરાઈ હોવાની મોટા પાયે ફરિયાદો આવી હતી. આવા મામલામાં અત્યાર સુધી 7 ગુના નોંધાયા છે. તેમાંથી બે સોનાની ચેઈન પાછી મળી છે અને 12 આરોપીઓને પોલીસે પકડી પાડ્યા છે. મુંબઈની ભોઈવાડા પોલીસે ડ્રોનના ઉપયોગ સંબંધિત કેસો પણ નોંધ્યા છે.

આ સમાચાર પણ વાંચો : Vande Bharat Sleeper: ભારતની પ્રથમ વંદે ભારત સ્લીપર એક્સપ્રેસ સેવા માટે ઉપલબ્ધ, જાણો ક્યારે અને કયા શહેર માટે કરવામાં આવશે શરૂ

મુંબઈ પોલીસ ની તપાસ અને ડ્રોનનો ઉપયોગ

અત્યાર સુધીમાં મોબાઈલ ચોરીના કેસોમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે ચેઈન સ્નેચિંગના મામલામાં 12 લોકોની ધરપકડ કરવામાં આવી છે. લગભગ 100 થી વધુ મોબાઈલ ચોરીની ફરિયાદો મળી છે અને તપાસ ચાલુ છે. દર વર્ષની જેમ, વિસર્જન શોભાયાત્રા દરમિયાન, ખાસ કરીને લાલબાગ વિસ્તારમાં, મોબાઈલ ચોર અને ચેઈન સ્નેચિંગ કરતી ગેંગનો ત્રાસ જોવા મળ્યો. જેમાં સેંકડો ભક્તો તેમની કાર્યવાહીનો ભોગ બન્યા હતા.

MMRDA Mumbai Metro Milestone શહેરી પરિવહનને વેગ… મુંબઈ મેટ્રોએ પાર કર્યો ઐતિહાસિક સીમાચિહ્ન, ૩૦ કરોડથી વધુ મુસાફરોએ કરી મુસાફરી..
Mumbai BEST Approves AC Electric Midi Buses મુંબઈની પબ્લિક ટ્રાન્સપોર્ટ સિસ્ટમ બનશે વધુ મજબૂત બેસ્ટના કાફલામાં જોડાશે ૧૫૦૦ નવી એસી ઇલેક્ટ્રિક બસો..
Siddhivinayak Temple Trust Audit Order મુંબઈના પ્રખ્યાત સિદ્ધિવિનાયક મંદિર ટ્રસ્ટ પર સરકારની નજર, પાંચ વર્ષના નાણાકીય હિસાબોનું થશે સ્પેશિયલ ઓડિટ
MHADA Lottery 2026 મુંબઈમાં ૨,૬૪૦ પરવડે તેવા ઘરો માટે લોટરીની જાહેરાત, જાણો અરજી અને ડ્રોની વિગતો..
Exit mobile version