Site icon

બોરીવલીમાં જોરદાર ધીંગાણું: વકીલ પર તલવાર અને સળિયાથી હુમલો, ત્રણની ધરપકડ; જુઓ હુમલાનો લાઇવ વીડિયો અને જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૧૯ જુલાઈ, ૨૦૨૧

Join Our WhatsApp Community

સોમવાર

મુંબઈના બોરીવલી વિસ્તારમાં સત્યદેવ જોશી નામના વકીલ ઉપર એક ટોળકી દ્વારા લાકડીઓ અને તલવાર વડે હુમલો કરાયો હતો. હુમલાને કારણે વકીલને ભારે ઈજા થતાં હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે. મુંબઈ સ્થિત એક વકીલે આ હુમલાનો વીડિયો શૅર કરતાં લખ્યું હતું કે સત્યદેવ જોશી પર આજે ગુંડાઓએ બોરીવલી ખાતે તલવાર વડે હુમલો કર્યો હતો, જ્યારે તેઓ ક્લાયન્ટ સાથે વાતચીત કરી રહ્ય હતા.

આ ચોંકાવનારા વીડિયોમાં દેખાય છે કે ગુંડાઓની એક ટોળકીએ આ વકીલને ઘેરી લીધો હતો અને ત્યાર બાદ વકીલ સાથે મારપીટ કરી હતી. વિવાદ સર્જાતાં આ વકીલ પર સળિયા અને તલવાર વડે હુમલો કરાયો હતો. આ ઘટનાથી આસપાસના લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. ધોળે દિવસે વકીલ પર થયેલો આ હુમલો મહાનગરમાં કાયદો અને વ્યવસ્થા પર ગંભીર પ્રશ્નો ઊભા કરે છે.

કાંદિવલી પૂર્વમાં ૪૦૦ ગાડીઓ પાણીમાં ડૂબી ગઈ, લોકોને થયું મોટું નુકસાન; જાણો વિગત

ઉલ્લેખનીય છે કે આ અંગે એક મીડિયા હાઉસે ટ્વીટ કરી પોલીસનું નિવેદન ટાંકતાં લખ્યું હતું કે વકીલ ઉપર હુમલો કરવા બદલ ત્રણ વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે અને FIR પણ નોંધવામાં આવી છે. જુઓ ચોંકાવનારો વીડિયો.

 

Shaina NC: શાઇના એનસીએ ઠાકરે ભાઈઓ પર સાધ્યું નિશાન; ‘વર્ક ફ્રોમ હોમ’ના ટોણા સાથે મુંબઈના વલણો પર આપી આકરી પ્રતિક્રિયા.
Asha Deepak Kale: BMC ચૂંટણીમાં કોંગ્રેસનું ખાતું ખુલ્યું: વોર્ડ નંબર 183 માંથી આશા દીપક કાલેનો વિજય; જીતનો શ્રેય આ દિગ્ગજ નેતાને આપ્યો.
BMC Election Results 2026: આજથી મતગણતરી શરૂ, મુંબઈના ‘કિંગ’ કોણ? મતગણતરીની પ્રક્રિયામાં ફેરફારને કારણે પરિણામો આવવામાં થઈ શકે છે વિલંબ
Uddhav Thackeray Press Conference: ઉદ્ધવ ઠાકરેના ભાજપ પર ગંભીર આક્ષેપ; ‘લોકશાહી ભૂંસવાના પ્રયાસ’ ગણાવી ચૂંટણી પ્રક્રિયા પર ઉઠાવ્યા સવાલ
Exit mobile version