Site icon News Continuous Bureau | Mumbai

પવઈમાં પંગો : સુધરાઈનું જેસીબી કામ કરવા પહોંચ્યું અને સ્થાનિક નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા.જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 
મુંબઈ, 21 સપ્ટેમ્બર, 2021
મંગળવાર

પવઇ તળાવ પર સાયકલ ટ્રેકનું બાંધકામ અંગે સતત વિરોધ વધી રહ્યો છે. પવઈ લેકની નજીક સ્થિત આઈઆઈટીના વિદ્યાર્થીઓએ સૌ પ્રથમ વિરોધ કર્યો હતો. ત્યારબાદ અનેક પર્યાવરણ પ્રેમીઓએ તેમનો સાથ આપીને આ કામ અટકાવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા, પરંતુ પાલિકાએ આ વિરોધ તરફ ધ્યાન ન આપતા  કામ ચાલુ જ રાખ્યું છે. ગઇકાલે સુધરાઇનું જેસીબી કામ કરવા પહોંચ્યું હતું ત્યારે સ્થાનિક નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.

Join Our WhatsApp Channel

કૃષ્ણા અભિષેક પર ટીકા થયા બાદ આ અભિનેત્રીએ ગોવિંદાની બૈરીને ખરીખોટી સંભળાવી  

વિરોધ પ્રદર્શન કરનારા નાગરિકોનું કહેવું છે કે તળાવના પાણીમાં ભરાવ કરીને બાંધતા આ સાયકલ ટ્રેકને લીધે તળાવના મગરોને હાનિ થશે. તેમનું રહેઠાણ અને ઇંડા મૂકવાની જગ્યા છીનવાઈ જશે. પ્રાણી અને મનુષ્ય વચ્ચેનો સંઘર્ષ વધી જશે. પર્યાવરણને નુકસાન કરનારા  સાયકલ ટ્રેકની અમને જરૂર નથી. આ વિરોધ હવે નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલ સુધી પહોંચ્યો છે.

Mumbai Rain Water મુસળધાર વરસાદથી મુંબઈને પાણી પૂરું પાડતા તળાવોમાં ૮૩ ટકા પાણીનો જથ્થો જમા, જાણો એક ટકા પાણી કેટલા દિવસ ચાલે?
Illegal Foreign Couple Arrested In Mahim માહિમમાંથી ૨૦ વર્ષથી ગેરકાયદે રહેતું વિદેશી દંપતી ઝડપાયું સાયબર તપાસથી ખૂલી પોલ
Gold Smuggling At Mumbai Airport મુંબઈ એરપોર્ટ પર ડીઆરઆઈનો મોટો સપાટો ૨૩.૬૩ કરોડનું સોનું જપ્ત અને ૮ની ધરપકડ
Mumbai Press Club Election મુંબઈ પ્રેસ ક્લબની ચૂંટણીમાં ‘સેવ ધ પ્રેસ ક્લબ એલાયન્સ’નો ભવ્ય વિજય; સુરેન્દ્ર પી. ગંગાન પ્રમુખ તરીકે ચૂંટાયા
Exit mobile version