Site icon

ઉડ્ડયન વિભાગના સર્ક્યુલર સામે દહિસરમાં ભારે વિરોધ. આ મુદ્દે લોકોને વાંધો છે; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 27, સપ્ટેમ્બર  2021

Join Our WhatsApp Community

સોમવાર

ઉડ્ડયન સલામતીને ધ્યાનમાં રાખીને દહિસરમાં બિલ્ડિંગની ઊંચાઈને લઈને ઉડ્ડયન વિભાગ દ્વારા પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે. તેની સામે દહિસરમાં સ્થાનિક રહેવાસીઓની સાથે જ રાજકીય પાર્ટીઓ પણ રસ્તા પર ઉતરી પડી છે. ખાસ કરીને ભાજપ, વિરોધ કરવામાં અગ્રેસર રહી છે.

ભાજપના દહિસરના વિધાનસભ્ય મનીષા ચૌધરીએ કેન્દ્રના સિવિલ એવીએશન મિનિસ્ટર જયોતિરાદિત્ય સિંધિંયાને પત્ર લખીને આ મુદ્દે ધ્યાન દોર્યું છે. વિધાનસભ્યની ફરિયાદ મુજબ ઉડ્ડયન વિભાગના બિલ્ડિંગની હાઈટને લઈને મુકવામાં આવેલા પ્રતિબંધોને પગલે દહિસરમાં ચાલી રહેલા અનેક ડેવલપમેન્ટના પ્રોજેક્ટ અટકી જશે.

ઉત્તર મુંબઈના સાંસદ ગોપાલ શેટ્ટીના કહેવા મુજબ ઉડ્ડયન સલામતીનું કારણ અથવા તો સાંતાક્રુઝથી દહિસર સુધીના વિસ્તારમાં રહેતા સંરક્ષણ સ્થાપને ઈમારતોની ઊંચાઈને લઈને પ્રતિબંધો મૂકવામાં આવ્યા છે.

સિવિલ એવીએશન ડિપાર્ટમેન્ટનો ભાગ રહેલા એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા જુહુ અને દહિસરમાં બિલ્ડિંગની ઊંચાઈને લઈને પ્રતિંબધ મૂકી રહી છે.  તેમના કહેવા મુજબએવીએશન એક્ટિવિટીને લઈને મુંબઈમાં રહેલી કમ્યુનિકેશન સિસ્ટમને ધ્યાનમાં રાખીને નવા પ્રોજેકેટમાં ઊંચાઈ પર પ્રતિબંધ મૂકવામાં આવી રહ્યા છે.

મુંબઈ શહેરમાં આટલી સીટો પર કોંગ્રેસ બીએમસીની ચૂંટણી લડશે

જુહુમાં જ નવા પ્રોજેકટમાં હાઈટ પર પ્રતિંબધ મૂકી દેવામાં આવી છે, તેને કારણે લગભગ 400 પ્રોજેકટને અસર થઈ હોવાનું માનવામાં આવે છે.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version