Site icon

મોટા સમાચાર : મુંબઈની લોકલ ટ્રેનમાં દરવાજા સામાન્ય નાગરિક માટે ખુલ્યા. પરંતુ આ છે શરતો. જાણો વિગત.

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ,

Join Our WhatsApp Community

૮ ઓગસ્ટ 2021, રવિવાર

મુંબઈ વાસીઓ માટે મોટા સમાચાર આવ્યા છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ જાહેરાત કરી છે કે આગામી ૧૫ ઓગસ્ટથી એટલે કે રવિવારના દિવસથી મુંબઇ શહેરના નિવાસીઓ માટે લોકલ ટ્રેન ના દરવાજા ખુલી જશે. આ સંદર્ભે મહારાષ્ટ્રને સંબોધન કરતા રવિવારના દિવસે રાત્રે આઠ વાગ્યે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ કહ્યું હતું કે મુંબઈ શહેરના જે લોકો એ બે ડોઝ લઈ લીધા હોય અને બીજો ડોઝ લીધા ને 14 દિવસ પતી ગયા હોય તેમણે એપ્લિકેશન ડાઉનલોડ કરવાની રહેશે. આ એપ્લિકેશનના માધ્યમથી ટિકિટ મળી શકશે. જે વ્યક્તિઓ પાસે એપ્લીકેશન ઉપલબ્ધ નહીં હોય તેવું ટિકિટ બારી પાસે જઈને પોતાના દસ્તાવેજો દેખાડીને ટિકિટ ખરીદવાની રહેશે.

આમ મુંબઈ શહેરવાસીઓ માટે ૧૫ ઓગસ્ટથી લોકલ ટ્રેન ના દરવાજા ખુલી ગયા છે.

વધુ જાહેરાત અને સ્પષ્ટતા આગામી દિવસમાં કરવામાં આવશે.

 

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version