Site icon

આનંદો.. શિવાજીનગર સ્ટેશનથી લોનાવાલા માટે 30 જાન્યુઆરીથી 15 લોકલ ટ્રેન દોડશે!

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઉપનગરમાં સેવા આપતા શિવાજીનગર સ્ટેશન પર લોકલ માટે નવા ટર્મિનલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. થોડા દિવસ પહેલા લેવાયેલા બ્લોકમાં ઓવરહેડ વર્ક પૂર્ણ થયું છે. આ કારણે નવા પ્લેટફોર્મ પર 30 જાન્યુઆરીથી લોનાવાલા સુધી લોકલ ટ્રેનો દોડશે.

central railway announced mega block between csmt to vidya vihar on sunday

રવિવારે ટ્રેનમાં મુસાફરી કરવાના છો? તો વાંચી લો આ સમાચાર. રેલવેએ આ લાઈન પર રાખ્યો છે મેગા બ્લોક! જુઓ શેડ્યૂલ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઉપનગરમાં સેવા આપતા શિવાજીનગર સ્ટેશન પર લોકલ માટે નવા ટર્મિનલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. થોડા દિવસ પહેલા લેવાયેલા બ્લોકમાં ઓવરહેડ વર્ક પૂર્ણ થયું છે. આ કારણે નવા પ્લેટફોર્મ પર 30 જાન્યુઆરીથી લોનાવાલા સુધી લોકલ ટ્રેનો દોડશે.

Join Our WhatsApp Community

શિવાજીનગર સ્ટેશનથી પંદર લોકલ ઉપડશે

લોકલ શરૂ થયા બાદ પુણે સ્ટેશનથી ઉપડનારી લોકલ ટ્રેનોની સંખ્યામાં મોટો ઘટાડો થશે. પુણે સ્ટેશન પર લોકલનો ભાર ઓછો કરવા માટે, રેલવે પ્રશાસને શિવાજીનગર સ્ટેશન પર EMU ( ઈલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ એટલે કે લોકલ ) ટર્મિનલ બાંધવાનું નક્કી કર્યું. આ માટે 330 મીટર લંબાઇનું નવું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. આ માટે લગભગ 1 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ટર્મિનલ ખુલ્યા બાદ લોનાવાલા જતી પંદર જેટલી લોકલ શિવાજીનગર સ્ટેશનથી ઉપડશે. પરિણામે પુણે સ્ટેશનથી ઉપડતી લોકલ ટ્રેનોની સંખ્યામાં ઘટાડો થશે.

આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તાજી કરી જૂની યાદો.. શેર કર્યો એ એ 1995નો કિસ્સો, જયારે ધીરુભાઈ અંબાણીએ કહ્યું હતું કે સરકારની શું ઔકાત છે.. ?

જે લોકલને મુસાફરોનો સારો પ્રતિસાદ મળશે તે પુણે સ્ટેશનથી ઉપડશે. અન્ય લોકલ ટ્રેનો શિવાજી નગર સ્ટેશનથી ઉપડશે. જોકે પુણે-લોનાવાલા વચ્ચે દોડતી લોકલ કોચની સંખ્યામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.

Matrimonial Fraud in Mumbai: લગ્નની લાલચ આપી મંગેતરે ખેલ પાડ્યો: ‘વેડિંગ શોપિંગ’ ના બહાને મહિલાના 11 તોલા સોનાના દાગીના લઈ રફુચક્કર.
Mahim Suicide Case: માહિમમાં પ્રેમ લગ્નનો કરુણ અંજામ: પતિના ત્રાસ અને લગ્નેતર સંબંધોથી કંટાળી પત્નીની આત્મહત્યા, આરોપી પતિ જેલભેગો.
Mumbai SRA Fraud: મુંબઈ SRA ફ્રોડ: મલાડમાં પ્રોજેક્ટના નામે ડેવલપર સાથે ₹5 કરોડની છેતરપિંડી; પિતા-પુત્રની જોડીએ આચર્યું કૌભાંડ.
Borivali ATM Fraud: બોરીવલીમાં એટીએમ કાર્ડ બદલી નાખતી ટોળકીનો પર્દાફાશ: આરોપી પાસેથી 71 ડેબિટ કાર્ડ જપ્ત.
Exit mobile version