Site icon

આનંદો.. શિવાજીનગર સ્ટેશનથી લોનાવાલા માટે 30 જાન્યુઆરીથી 15 લોકલ ટ્રેન દોડશે!

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઉપનગરમાં સેવા આપતા શિવાજીનગર સ્ટેશન પર લોકલ માટે નવા ટર્મિનલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. થોડા દિવસ પહેલા લેવાયેલા બ્લોકમાં ઓવરહેડ વર્ક પૂર્ણ થયું છે. આ કારણે નવા પ્લેટફોર્મ પર 30 જાન્યુઆરીથી લોનાવાલા સુધી લોકલ ટ્રેનો દોડશે.

central railway announced mega block between csmt to vidya vihar on sunday

રવિવારે ટ્રેનમાં મુસાફરી કરવાના છો? તો વાંચી લો આ સમાચાર. રેલવેએ આ લાઈન પર રાખ્યો છે મેગા બ્લોક! જુઓ શેડ્યૂલ

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ઉપનગરમાં સેવા આપતા શિવાજીનગર સ્ટેશન પર લોકલ માટે નવા ટર્મિનલનું બાંધકામ પૂર્ણ થઈ ગયું છે. થોડા દિવસ પહેલા લેવાયેલા બ્લોકમાં ઓવરહેડ વર્ક પૂર્ણ થયું છે. આ કારણે નવા પ્લેટફોર્મ પર 30 જાન્યુઆરીથી લોનાવાલા સુધી લોકલ ટ્રેનો દોડશે.

Join Our WhatsApp Community

શિવાજીનગર સ્ટેશનથી પંદર લોકલ ઉપડશે

લોકલ શરૂ થયા બાદ પુણે સ્ટેશનથી ઉપડનારી લોકલ ટ્રેનોની સંખ્યામાં મોટો ઘટાડો થશે. પુણે સ્ટેશન પર લોકલનો ભાર ઓછો કરવા માટે, રેલવે પ્રશાસને શિવાજીનગર સ્ટેશન પર EMU ( ઈલેક્ટ્રિક મલ્ટિપલ યુનિટ એટલે કે લોકલ ) ટર્મિનલ બાંધવાનું નક્કી કર્યું. આ માટે 330 મીટર લંબાઇનું નવું પ્લેટફોર્મ બનાવવામાં આવ્યું છે. આ માટે લગભગ 1 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હતો. આ ટર્મિનલ ખુલ્યા બાદ લોનાવાલા જતી પંદર જેટલી લોકલ શિવાજીનગર સ્ટેશનથી ઉપડશે. પરિણામે પુણે સ્ટેશનથી ઉપડતી લોકલ ટ્રેનોની સંખ્યામાં ઘટાડો થશે.

આ સમાચાર પણ વાંચો : કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી તાજી કરી જૂની યાદો.. શેર કર્યો એ એ 1995નો કિસ્સો, જયારે ધીરુભાઈ અંબાણીએ કહ્યું હતું કે સરકારની શું ઔકાત છે.. ?

જે લોકલને મુસાફરોનો સારો પ્રતિસાદ મળશે તે પુણે સ્ટેશનથી ઉપડશે. અન્ય લોકલ ટ્રેનો શિવાજી નગર સ્ટેશનથી ઉપડશે. જોકે પુણે-લોનાવાલા વચ્ચે દોડતી લોકલ કોચની સંખ્યામાં કોઈ વધારો કરવામાં આવશે નહીં.

Mumbai Police: મુંબઈમાં ₹૧૫ કરોડનું કોકેઈન મળતાં ખળભળાટ, ડોંગરી પોલીસે આંતરરાષ્ટ્રીય ઇથોપિયા કનેક્શનનો કર્યો પર્દાફાશ!
Mumbai power theft: મુંબઈ: વીજળી ચોરીની ગેંગ્સ દ્વારા સબસ્ટેશનમાંથી ગેરકાયદે કનેક્શન માટે બાળકોનો ઉપયોગ
Mumbai Airport Customs: મુંબઈ એરપોર્ટ પર કસ્ટમ્સની મોટી કાર્યવાહી: ₹૨૨.૭૪ કરોડનો NDPS અને સોનું જપ્ત; ૭ આરોપીઓની ધરપકડ
Mumbai LitFest 2025: લિટરેચર લાઇવ! પ્રતિષ્ઠિત ગોદરેજ એવોર્ડ્સ સાથે મુંબઇ લિટફેસ્ટનું શાનદાર રીતે સમાપન થયું
Exit mobile version