Site icon News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024: મહાયુતિ પ્રચાર દરમિયાન ગજાનન કીર્તિકરની ભાજપ પર ટીકા બાદ હવે ઉત્તર પશ્ચિમ મુંબઈની રેલીઓ થઈ રદ્દ..

Lok Sabha Election 2024: ગજાનન કીર્તિકરની ટિપ્પણી બાદ હવે ભાજપે ઉત્તર પશ્ચિમ મુંબઈ મતવિસ્તારમાં મહાયુતિની બાકીની તમામ બેઠકો રદ કરી દીધી હતી. તેમજ ઉત્તરપૂર્વ મુંબઈમાં ભાજપના ઉમેદવાર મિહિર કોટેચાની પ્રચાર રેલીના બેનર પર બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેનો કોઈ ફોટો ન હોવાથી નારાજગી વ્યક્ત કરી હતી.

Lok Sabha Election 2024 After gajanan kirtikar criticism of BJP during the Mahayuti campaign, the BJP rallies have now been canceled

Lok Sabha Election 2024 After gajanan kirtikar criticism of BJP during the Mahayuti campaign, the BJP rallies have now been canceled

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024: દેશમાં હાલ સમ્રગ તરફ ચૂંટણીનો માહોલ સર્જાયો છે. જેમાં મુંબઈમાં લોકસભા ચૂંટણી માટે બેઠકોની ફાળવણીને લઈને મહાગઠબંધનમાં સાથી પક્ષો વચ્ચે હાલ ખેંચતાણ ચાલી રહી છે. ત્યારે હવે મહાગઠબંધનના મેળાવડાઓમાં પણ ભાજપ   અને શિવસેનાના કાર્યકરોએ સંઘર્ષ શરૂ કરી દીધો છે. સાંસદ ગજાનન કીર્તિકરે ઉત્તર પશ્ચિમ મુંબઈમાં મહાયુતિના મેળાવડામાં કેન્દ્રીય એજન્સીઓને વિપક્ષની પાછળ છોડી મુકવામાં આવે છે, ભાજપની આ નવી સંસ્કૃતિની ટીકા કર્યા પછી, હવે એવું સમજાય છે કે ભાજપે ઉત્તર પશ્ચિમ મુંબઈ મતવિસ્તારમાં મહાયુતિની બાકીની તમામ બેઠકો રદ કરી દીધી હતી. બીજી તરફ, શિવસૈનિકોએ પણ આક્રમક વલણ અપનાવ્યું હતું અને ઉત્તરપૂર્વ મુંબઈમાં ભાજપના ઉમેદવાર મિહિર કોટેચાની ( Mihir Kotecha ) પ્રચાર રેલીના બેનર પર બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેનો કોઈ ફોટો ન હોવાથી નારાજગી વ્યક્ત કરી હતી. 

Join Our WhatsApp Channel

ઉત્તર પશ્ચિમ લોકસભા મતવિસ્તારના ગોરેગાંવ ખાતે તાજેતરમાં મહાયુતિની બેઠક ( Mahayuti meeting ) યોજાઈ હતી. સભામાં બોલતા, સાંસદ ગજાનન કીર્તિકરે કહ્યું ( gajanan kirtikar ) હતું કે ભાજપની હવે એક નવી સંસ્કૃતિ છે કે વિપક્ષની પાછળ કેન્દ્રીય એજન્સીઓ મૂકી દયો. એવું માનવામાં આવે છે કે આ ટીકાએ ભાજપ પર અસર કરી છે અને કીર્તિકરની ટીકા પછી, ભાજપે ઉત્તર પશ્ચિમ લોકસભા ક્ષેત્રમાં મહાગઠબંધનની બાકીની તમામ બેઠકો રદ કરી દીધી હતી. બે મહિના પહેલા જ્યારે સીટ વહેંચણીની ચર્ચા ચાલી રહી હતી ત્યારે પણ કીર્તિકરે ભાજપની આકરી ટીકા કરી હતી. હવે તેઓએ ફરી એકવાર ભાજપ પર નિશાન સાધતા મહાગઠબંધનને નુકસાન થવા લાગ્યું છે.

 Lok Sabha Election 2024: ભાંડુપ મરાઠી બહુમતી ધરાવતો વિસ્તાર છે…

ગુરુવારે મહાગઠબંધનમાં ખેંચતાણ વચ્ચે બીજી ઘટનાએ તણાવમાં હજુ વધારો કર્યો હતો. ગુરુવારે સાંજે મુંબઈ ઉપનગરના ભાંડુપ વિસ્તારમાં મહાયુતિની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ઉત્તર પૂર્વ મુંબઈના ભાજપના ( BJP ) ઉમેદવાર મિહિર કોટેચાના પ્રચાર ( BJP rally ) માટે આ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે, ભાજપના મુંબઈ પ્રદેશ અધ્યક્ષ આશિષ શેલાર હાજર રહ્યા હતા. રાબેતા મુજબ કાર્યક્રમ સ્થળે રાજકીય બેનરો લગાવવામાં આવ્યા હતા. જો કે, સભા સ્થળ પરના બેનરો પર બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેના ફોટા નહોતા. જેથી સ્થાનિક શિવસૈનિકો ભારે આક્રમક બન્યા હતા.

આ સમાચાર પણ વાંચો : Madhya Pradesh : ઘા પર મરચાનો પાવડર લગાવ્યો, હોઠ ફેવીક્વિકથી ચોંટાડી દીધાઃ પાડોશીએ યુવતી પર એક મહિના સુધી બળાત્કાર ગુજાર્યો..

ભાંડુપ મરાઠી બહુમતી ધરાવતો વિસ્તાર છે. આ વિસ્તારમાં શિવસેનાને માનનારો મોટો વર્ગ છે. જોકે, સભાના બેનર પર બાળાસાહેબ ઠાકરે અને આનંદ દિઘેનો ફોટો ન લગાવવામાં આવ્યો હોવાથી શિંદે જૂથના કાર્યકરો અને અધિકારીઓ આક્રમક બની ગયા હતા. જ્યારે ભાજપના નેતા આશિષ શેલાર મંચ પર બોલી રહ્યા હતા ત્યારે અશોક પાટીલ મંચ પર ગયા અને ત્યાં જઈને બધાની સામે પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. અશોક પાટીલ અને અન્ય પદાધિકારીઓએ ભારે નારાજગી વ્યક્ત કરી બેઠક છોડી દીધી હતી. ભાજપના નેતાઓએ તેમને સમજાવવાનો પ્રયાસ પણ કર્યો હતો. જોકે, શિવસૈનિકોએ જોરદાર સૂત્રોચ્ચાર કરીને નારાજગી વ્યક્ત કરી હતી. જેના કારણે સભામાં તણાવનું વાતાવરણ સર્જાયું હતું.

 

Bank Fraud in Mumbai લ્યો બોલો, બેંકના જ અધિકારીઓએ મૃત ખાતેદારના એકાઉન્ટમાંથી ₹૨૯.૮૩ લાખ સાફ કર્યા
Trump’s 20% Tariff વૈશ્વિક વ્યાપારમાં નવા જંગના એંધાણ! ટ્રમ્પને બ્રાઝિલના રાષ્ટ્રપ્રમુખની સીધી ચેતવણી— “તમારી પાસે કોઈ અધિકાર નથી!”
Gold Scam in Masjid Bunder સોનાના વેપારી સાથે અધધ ₹૪૪ લાખની છેતરપિંડી, ગ્રાહકે અસલી દાગીના સામે ૬ નકલી બિસ્કિટ પધરાવ્યા
Powai Canteen Killing પવઈમાં નજીવી બાબતે ઝઘડો મિત્રએ કાચના ટુકડા પર ધક્કો મારતા રસોઈયાનું મોત
Exit mobile version