Site icon

Lok Sabha Election 2024: ઉત્તર મધ્ય મુંબઈમાં પૂનમ મહાજનની ટીકીટ કપાઈ જશે, ભાજપ હવે ઉજ્જવલ નિકમને આપી છે ટીકીટ ..

Lok Sabha Election 2024: ઉત્તર મધ્ય મુંબઈ મતવિસ્તાર માટે ભાજપ દ્વારા શરૂઆતના દિવસોમાં પાર્ટીના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારના નામની ચર્ચા થઈ હતી. જો કે, શેલારે લોકસભાની ચૂંટણી લડવામાં અસમર્થતા દર્શાવી હોવાથી પાર્ટી અન્ય નામો પર વિચાર કરી રહી છે.

Lok Sabha Election 2024 Poonam Mahajan's ticket will be cut in North Central Mumbai, BJP has now given ticket to Ujjwal Nikam.

Lok Sabha Election 2024 Poonam Mahajan's ticket will be cut in North Central Mumbai, BJP has now given ticket to Ujjwal Nikam.

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election 2024: દેશમાં હાલ સમગ્ર તરફ ચૂંટણીનો માહોલ સર્જાયો છે. દેશમાં લોકસભા ચૂંટણીના કાર્યક્રમની જાહેરાત થયાને કેટલાંક સપ્તાહો વીતી ગયા હોવા છતાં, હજી પણ ઘણાં મતવિસ્તારોમાં ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી નથી. મુંબઈથી પાંચમા તબક્કામાં એટલે કે 20 મેના રોજ છ લોકસભા બેઠકો માટે મતદાન યોજાશે. તેથી મતદાનને હવે થોડા જ અઠવાડિયા બાકી રહ્યા છે. ત્યારે મહાયુતિ અને મહાવિકાસ અઘાડી હજી પણ ઉમેદવારોના નામો નક્કી કરવા માટે મંથન કરી રહ્યા છે. ઉત્તર મધ્ય મુંબઈ લોકસભા ક્ષેત્રમાં ભાજપની પૂનમ મહાજન ( Poonam Mahajan ) છેલ્લા 10 વર્ષથી સાંસદ છે. પરંતુ ભાજપે હજુ સુધી આ વર્ષની ચૂંટણી માટે તેમના નામની જાહેરાત કરી નથી. મહાજનને લઈને મતવિસ્તારમાં ફેલાયેલા અસંતોષને પગલે ભાજપ નવા ઉમેદવારને મેદાનમાં ઉતારવાનો પ્રયાસ કરી રહી હોવાનું મનાય છે. તેથી હવે આ મતવિસ્તાર માટે વરિષ્ઠ સરકારી વકીલ ઉજ્જવલ નિકમનું નામ હાલ ચર્ચામાં છે અને એવી આગાહી કરવામાં આવી રહી છે કે તેમને ભાજપ દ્વારા ઉત્તર મધ્ય મુંબઈ લોકસભા બેઠક પરથી ઉમેદવાર બનાવવામાં આવી શકે છે. 

Join Our WhatsApp Community

ઉત્તર મધ્ય મુંબઈ મતવિસ્તાર માટે ભાજપ ( BJP ) દ્વારા શરૂઆતના દિવસોમાં પાર્ટીના મુંબઈ અધ્યક્ષ આશિષ શેલારના ( Ashish Shelar ) નામની ચર્ચા થઈ હતી. જો કે, શેલારે લોકસભાની ચૂંટણી લડવામાં અસમર્થતા દર્શાવી હોવાથી પાર્ટી અન્ય નામો પર વિચાર કરી રહી છે. બોલિવૂડ અભિનેત્રી માધુરી દીક્ષિતનું નામ પણ આ ચર્ચામાં હતું. પરંતુ તેમણે પણ ચૂંટણી લડવાની ના પાડી હોવાનું માહિતી મળતા. હવે આ પૃષ્ઠભૂમિ સાથે ઉજ્જવલ નિકમ તેમને ઉમેદવાર બનાવવામાં આવે તેવી શક્યતા વધી ગઈ છે.

 Lok Sabha Election 2024: હજી કોઈ સત્તાવાર ખુલાસો કર્યો નથી..

દરમિયાન, ઉજ્જવલ નિકમે ( Ujjawal Nikam ) સત્તાવાર રીતે લોકસભાની ઉમેદવારી ( Lok Sabha Candidacy ) અંગે હજુ સુધી કોઈ સત્તાવાર ખુલાસો કર્યો નથી, પરંતુ તેઓ આ અંગે શું ખુલાસો કરે છે તે જોવું હવે મહત્વપૂર્ણ રહેશે.

આ સમાચાર પણ વાંચો :  Western Railway: પશ્ચિમ રેલવે અમદાવાદ-પટના અને સાબરમતી-ગોરખપુર વચ્ચે વિશેષ ટ્રેન દોડાવશે

એક સમયે કોંગ્રેસીઓના ગઢ તરીકે ઓળખાતો ઉત્તર-મધ્ય મુંબઈ લોકસભા મતવિસ્તાર છેલ્લા 10 વર્ષથી ભાજપના હાથમાં છે. સાંસદ પૂનમ મહાજને 2014 અને 2019માં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની લહેર પર આ બેઠક પરથી જીત મેળવી હતી. પરંતુ મતદારોની નારાજગી વરિષ્ઠો સુધી પહોંચી હોવાથી પક્ષની અંદરથી તેમજ વિપક્ષની ટીકાને કારણે ભાજપ ઉત્તર મધ્ય મુંબઈ માટે નવા ચહેરાની શોધમાં છે.

કેન્દ્ર અને રાજ્યમાં સત્તામાં હોવા છતાં 2019ની ચૂંટણીમાં ભાજપનો વોટ શેર અહીં ઘટ્યો હતો. આથી ભાજપ હવે નવા યુવા ઉમેદવારની શોધમાં છે. મુંબઈ ભાજપ અધ્યક્ષ આશિષ શેલારનું નામ પણ અહીં ચર્ચાઈ રહ્યું છે. અગાઉ ભાજપે આ મતવિસ્તારનો બે વખત સર્વે કર્યો છે. મહાજનની કામગીરી અંગે મતદારોએ નારાજગી દર્શાવી હોવાથી આ ભાજપ દ્વારા આ બેઠક માટે હવે નવા નામની શોધ ચાલી રહી છે.

Eknath Shinde: વરસાદની પરિસ્થિતિનો તાગ મેળવવા નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદેએ રાજ્ય ઇમર્જન્સી સેન્ટરની મુલાકાત લીધી
Western Railway festival special trains 2025: પશ્ચિમ રેલવે ચલાવશે ગાંધીધામ-સિયાલદહ અને ભાવનગર ટર્મિનસ-શકૂર બસ્તી (દિલ્લી) વચ્ચે અઠવાડિક સ્પેશિયલ ટ્રેનો
Mumbai Airport exotic animals: મુંબઈ એરપોર્ટ પરથી બેંગકોકથી આવેલા એક મુસાફર પાસેથી 67 વિદેશી પ્રાણીઓ જપ્ત
Mumbai Heavy Rain:મુંબઈમાં ધોધમાર વરસાદ: સાંતાક્રુઝમાં સિઝનના સરેરાશ કરતાં ૨૦% થી વધુ વરસાદ નોંધાયો
Exit mobile version