Site icon

Lok Sabha Election: ગોપાલ શેટ્ટીને ટિકિટ કપાઈ જતા કાર્યકરોમાં નારાજગી.. સાંસદે ટિકીટ ન મળવા પર આપ્યું આ નિવેદન.. જુઓ વિડીયો..

Lok Sabha Election: ભાજપે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને ઉત્તર મુંબઈથી મેદાનમાં ઉતાર્યા છે. ગોયલ હાલમાં રાજ્યસભાના સભ્ય છે. ગોપાલ શેટ્ટીના સમર્થકો તેમના નેતાને ટિકિટ ન મળવાથી નારાજ દેખાય હતા અને કેટલાક કાર્યકરોએ તો વિરોધ આંદોલન પણ શરૂ કર્યું હતું.

Lok Sabha Election After canceling Gopal Shetty's Lok Sabha ticket in Mumbai, Shetty gave this statement on not getting a ticket..

Lok Sabha Election After canceling Gopal Shetty's Lok Sabha ticket in Mumbai, Shetty gave this statement on not getting a ticket..

News Continuous Bureau | Mumbai

Lok Sabha Election: ભાજપે બુધવારે મહારાષ્ટ્રમાં લોકસભા ચૂંટણીને લઈને 20 ઉમેદવારોની યાદી બહાર પાડી. જેમાં ભાજપે ( BJP ) અનેક ઉમેદવારોની ટિકિટ રદ કરી હતી. જેમાં મુંબઈ નોર્થથી ગોપાલ શેટ્ટી ( Gopal Shetty ) અને નોર્થ ઈસ્ટ મુંબઈથી મનોજ કોટકની ટિકિટ પણ રદ્દ થવાને લઈને હવે કાર્યકર્તાઓમાં ભારે નારાજગી સામે આવી રહી છે. ચૂંટણીમાં શેટ્ટીને ટિકિટ ન મળતાં કાર્યકરોએ તેમના સમર્થનમાં સૂત્રોચ્ચાર કર્યા હતા. આ દરમિયાન ભાજપના નેતા ગોપાલ શેટ્ટીએ મિડીયા સાથે વાત કરતા કહ્યું હતું કે, કાર્યકરોને વિરોધ કરવાનો અધિકાર છે. જે કાર્યકરો સાથે મે લાંબા સમયથી કામ કર્યું છે. તેમને આંચકો લાગે તે સ્વાભાવિક છે. 

Join Our WhatsApp Community

ઉલ્લેખનીય છે કે, ભાજપે કેન્દ્રીય મંત્રી પીયૂષ ગોયલને ( Piyush Goyal ) ઉત્તર મુંબઈથી ( North Mumbai ) મેદાનમાં ઉતાર્યા છે. ગોયલ હાલમાં રાજ્યસભાના સભ્ય છે. ગોપાલ શેટ્ટીના સમર્થકો તેમના નેતાને ટિકિટ ન મળવાથી નારાજ દેખાય હતા અને કેટલાક કાર્યકરોએ તો વિરોધ આંદોલન પણ શરૂ કર્યું હતું.

 હું પાર્ટી માટે કામ કરવાનું ચાલુ રાખીશઃ ગોપાલ શેટ્ટી…

કાર્યકર્તાઓના ગુસ્સાને લઈને ભાજપના નેતા ગોપાલ શેટ્ટીએ વધુમાં કહ્યું હતું કે, તેમને વિરોધ કરવાનો અને આંદોલન કરવાનો અધિકાર છે. તેઓ એક-બે દિવસ આ કામ કરશે. આવા અનેક વિરોધો આપણે જોયા છે અને કર્યા છે. જેમની સાથે લાંબા સમય સુધી કામ કરવાની તક મળી હોય તેવા કાર્યકરોને આઘાત લાગે તે સ્વાભાવિક છે. પરંતુ હું માનું છું કે આ બેઠક પરથી ચૂંટણી જીતવી અને શાનદાર રીતે કામ કરવું અને જનતાનું આટલું મોટું સમર્થન મેળવવું એ કોઈ નાની વાત નથી.

આ સમાચાર પણ વાંચો : Bombay High Court: સીઆઈએસએફ અધિકારીએ લીંબુ માટે અડધી રાત્રે પડોશીનો દરવાજો ખખડાવવો, અયોગ્ય વર્તનઃ બોમ્બે હાઈકોર્ટ..

બીજેપી નેતા ગોપાલ શેટ્ટીએ જો કે, એમ પણ કહ્યું કે, હું પાર્ટી માટે કામ કરવાનું ચાલુ રાખીશ. તેઓ પદ, પ્રતિષ્ઠા કે પૈસા માટે પાર્ટીમાં આવ્યા નથી. તેમણે કહ્યું કે આજે હું હળવાશ અનુભવી રહ્યો છું. અગાઉ સાંસદ ( MP )  તરીકે મારે પક્ષની મર્યાદામાં રહીને કામ કરવું પડતું હતું. ગોપાલ શેટ્ટીએ વધુમાં કહ્યું કે કાર્યકરોએ લાંબા સમય સુધી સમર્થન અને સહકાર આપ્યો આ માટે હું તેમને અભિનંદન કરીશ.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from social media world, including Twitter, Instagram and Youtube. The above post is embeded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

 

BMC: આઝાદ મેદાન પાસેના ખાઉ ગલીના સ્ટોલ ને લઈને BMCએ લીધો મોટો નિર્ણય,વેપારીઓ થયા ચિંતિત
Mumbai-Pune Expressway: મુંબઈ-પુણે એક્સપ્રેસવે પર મેગાબ્લોક, મુસાફરી કરતા પહેલા જાણી લો સમય અને વૈકલ્પિક માર્ગો વિશે સંપૂર્ણ માહિતી
Versova-Dahisar Coastal Road: વર્સોવા-દહિસર કોસ્ટલ રોડમાં આવ્યું વિઘ્ન, સાત વર્ષ જૂનો આ પુલ બન્યો કામ માં અવરોધ
Waqf Act: વક્ફ કાયદો: સવારે મુસ્લિમ પક્ષ જીતનો દાવો કરતો હતો, પરંતુ વાર્તા તો કઈ અલગ જ નીકળી, જાણો સમગ્ર મામલો
Exit mobile version