Site icon

 મુંબઈગરાઓ માટે સારા સમાચાર : લોકલ ટ્રેનમાં પ્રવાસ કરવા માટે હવે માસિક પાસ લેવો જરૂરી નહિ, આ રીતે પણ કરી શકાશે મુસાફરી 

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો 

મુંબઈ, 1 નવેમ્બર, 2021

Join Our WhatsApp Community

સોમવાર

દિવાળીનો તહેવાર આવી પહોંચ્યો હોવાથી મહારાષ્ટ્ર સરકારે મુંબઈગરાંઓને મોટી રાહત આપી છે. 

પ્રાપ્ત જાણકારી મુજબ રસીના બંને ડોઝ લઈ ચૂકેલા તમામ નાગરિકોને શહેરની લોકલ ટ્રેનોમાં પ્રવાસ માટેની ટિકિટ આપવાનો નિર્દેશ સરકારે રેલવે વિભાગોને આપ્યો છે. 

એટલે કે નાગરિકો તમામ રૂટ પરની સ્થાનિક અને પેસેન્જર ટ્રેનોમાં અને દૈનિક ટિકિટ સહિત રેલવે દ્વારા જારી કરવામાં આવતી તમામ પ્રકારની ટિકિટ દ્વારા મુસાફરી કરી શકે છે. 

આ નિર્ણય તાત્કાલિક અસરથી, ગઈ કાલથી જ લાગુ કરી દેવામાં આવ્યો છે. 

જોકે ટ્રેનમાં મુસાફરી માટે કોઈપણ પ્રકારની ટિકિટો આપવા માટે સંપૂર્ણ રસીકરણ એ એકમાત્ર ફરજિયાત શરત હશે.

ઉલ્લેખનીય છે કે આ પૂર્વે બંને ડોઝ લઈ ચૂકેલા લોકોને ટિકિટ નહીં, પરંતુ મહિનાનો, ત્રિમાસિક તે છ-માસિક પાસ જ આપવામાં આવતો હતો. 

વિદેશી નહીં સ્વદેશી બનોઃ ભારતીય બનાવટના ઉત્પાદનોની ખરીદીની આ સંસ્થાએ કરી અપીલ..જાણો વિગત..

Rickshaw gang arrested: બોરીવલીમાં વૃદ્ધાનું મંગળસૂત્ર ઝૂંટવી ભાગનારી રિક્ષા ગેંગ ૨૪ કલાકમાં ઝડપાઈ: MHB પોલીસે દહિસરમાંથી બે લૂંટારાઓને દબોચ્યા.
Mumbai Cyber Crime:‘આજે રાત્રે ગેસ કનેક્શન કપાઈ જશે…’: ધમકી આપી નિવૃત્ત બેંક અધિકારીના ₹2.47 લાખ પડાવ્યા; મુંબઈમાં નવી સાયબર ઠગાઈ.
Mumbai ATS: મુંબઈ ATSની મોટી કાર્યવાહી: માનખુર્દમાં ₹22 લાખનું ડ્રગ્સ ઝડપાયું; બાઇક પર ‘રેકી’ અને કારમાં ‘સપ્લાય’ કરતી ગેંગનો પર્દાફાશ.
Cyber Fraud: મુંબઈમાં કંપનીની મોટી બેદરકારી: પૂર્વ કર્મચારીએ જૂના પાસવર્ડથી આચર્યું ₹8.69 કરોડનું કૌભાંડ; પત્ની સહિત અન્ય સાગરીતો ફરાર.
Exit mobile version