Site icon News Continuous Bureau | Mumbai

મલાડમાં બનશે ખારા પાણીને મીઠો બનાવતો પ્લાન્ટ, દિવસનું આટલા કરોડ લિટર પાણી મળશે; જાણો વિગત..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૯ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

મુંબઈની વધતી વસતીની પાણીની જરૂરિયાને પહોંચી વળવા માટે મહારાષ્ટ્ર સરકારે દરિયાના પાણીને પીવાલાયક બનાવાની યોજના બનાવી છે. સોમવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મલાડના મનોરીમાં દરિયાના પાણીને પીવાલાયક બનાવવા માટેના ડીસાલીનેશન પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. 2025ની સાલ સુધી તૈયાર થનારા આ પ્રોજેક્ટ પાછળ અધધ ખર્ચ થવાનો હોવાથી આ પ્રોજેક્ટની  અત્યારથી ટીકા થઈ રહી છે.

મુંબઈગરાઓની ટ્રાફિકની સમસ્યા હળવી થશે, એક નવો ફ્લાય ઓવર ખુલ્લો મુકાયો, બાંદ્રાથી વડાલા માત્ર 10 મિનિટમાં પહોંચો; જાણો વિગત

મલાડના મનોરીમાં દરિયા કિનારા પાસે 30 એકરના પ્લોટમાં 1,600 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પૂરા પ્રોજેક્ટને તૈયાર થતા ચાર વર્ષનો સમય લાગવાનો છે. આ પ્રોજેક્ટની ક્ષમતા પ્રતિદિન 200 મિલિયન લિટર પર ડે એટલે કે 20 કરોડ લિટર પાણીની હશે. ભવિષ્યમાં તેની ક્ષમતા 40 કરોડ લિટર સુધી લઈ જવામાં આવશે. મુંબઈ મહાનગરપાલિકા અને ઈઝરાયેલ સ્થિત એક કંપની સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

MMRDA Friday public transport ruleએમએમઆરડીએનો મોટો અને ઐતિહાસિક નિર્ણય, મુંબઈના આ પ્રખ્યાત બિઝનેસ હબમાં દર શુક્રવારે માત્ર સાર્વજનિક વાહનો જ ચાલશે!
Mumbai Tragedy। જુહુ ચોપાટી પર દરિયામાં ડૂબી જતાં ૧૬ વર્ષના સગીરનું કમકમાટીભર્યું મોત
Mumbai Ludo Crime। ઓનલાઈન લુડો રમતા પ્રેમમાં અંધ થઈ ૧૦.૫ લાખ લઈને ભાગેલી સગીરા ગુજરાતમાંથી પકડાઈ
Mumbai Traffic Police 2026। મુંબઈ ટ્રાફિક પોલીસ એક્શન મોડમાં રોડફૂટપાથ ખાલી કરાવવા માટે ૧૬ દિવસમાં ૮૪,૦૦૦ થી વધુ વાહનચાલકો દંડાયા
Exit mobile version