Site icon News Continuous Bureau | Mumbai

મલાડમાં બનશે ખારા પાણીને મીઠો બનાવતો પ્લાન્ટ, દિવસનું આટલા કરોડ લિટર પાણી મળશે; જાણો વિગત..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૯ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

મુંબઈની વધતી વસતીની પાણીની જરૂરિયાને પહોંચી વળવા માટે મહારાષ્ટ્ર સરકારે દરિયાના પાણીને પીવાલાયક બનાવાની યોજના બનાવી છે. સોમવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મલાડના મનોરીમાં દરિયાના પાણીને પીવાલાયક બનાવવા માટેના ડીસાલીનેશન પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. 2025ની સાલ સુધી તૈયાર થનારા આ પ્રોજેક્ટ પાછળ અધધ ખર્ચ થવાનો હોવાથી આ પ્રોજેક્ટની  અત્યારથી ટીકા થઈ રહી છે.

મુંબઈગરાઓની ટ્રાફિકની સમસ્યા હળવી થશે, એક નવો ફ્લાય ઓવર ખુલ્લો મુકાયો, બાંદ્રાથી વડાલા માત્ર 10 મિનિટમાં પહોંચો; જાણો વિગત

મલાડના મનોરીમાં દરિયા કિનારા પાસે 30 એકરના પ્લોટમાં 1,600 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પૂરા પ્રોજેક્ટને તૈયાર થતા ચાર વર્ષનો સમય લાગવાનો છે. આ પ્રોજેક્ટની ક્ષમતા પ્રતિદિન 200 મિલિયન લિટર પર ડે એટલે કે 20 કરોડ લિટર પાણીની હશે. ભવિષ્યમાં તેની ક્ષમતા 40 કરોડ લિટર સુધી લઈ જવામાં આવશે. મુંબઈ મહાનગરપાલિકા અને ઈઝરાયેલ સ્થિત એક કંપની સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

Mumbai Police। મુંબઈ પોલીસ હવે ડ્રગ્સ માફિયાઓ સામે ‘એક્શન મોડ’માં; “કોઈને પણ છોડવામાં નહીં આવે”, કડક કાર્યવાહીના આદેશ
Worli Politics। વરલીમાં ભાજપના ‘જન આક્રોશ મોરચા’ના આયોજકો સામે કેસ દાખલ, નિયમોના ઉલ્લંઘન બદલ પોલીસનું કડક વલણ
Cyber Crime। ‘મહાનગર ગેસ’ના નામે નકલી APK ફાઈલ મોકલી લાખોની ઠગાઈ; મુંબઈ સાયબર પોલીસે આંતરરાજ્ય ગેંગના 3 સભ્યોને ઝડપ્યા
MumbaiPune Expressway। મુસાફરો સાવધાન! મુંબઈપુણે એક્સપ્રેસ વે પર મેગા બ્લોકને કારણે બદલાશે રૂટ, અહીં જુઓ સંપૂર્ણ પ્લાન.
Exit mobile version