Site icon News Continuous Bureau | Mumbai

મલાડમાં બનશે ખારા પાણીને મીઠો બનાવતો પ્લાન્ટ, દિવસનું આટલા કરોડ લિટર પાણી મળશે; જાણો વિગત..

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, ૨૯ જૂન ૨૦૨૧

Join Our WhatsApp Channel

મંગળવાર

મુંબઈની વધતી વસતીની પાણીની જરૂરિયાને પહોંચી વળવા માટે મહારાષ્ટ્ર સરકારે દરિયાના પાણીને પીવાલાયક બનાવાની યોજના બનાવી છે. સોમવારે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરેએ મલાડના મનોરીમાં દરિયાના પાણીને પીવાલાયક બનાવવા માટેના ડીસાલીનેશન પ્રોજેક્ટનું ઉદઘાટન કર્યું હતું. 2025ની સાલ સુધી તૈયાર થનારા આ પ્રોજેક્ટ પાછળ અધધ ખર્ચ થવાનો હોવાથી આ પ્રોજેક્ટની  અત્યારથી ટીકા થઈ રહી છે.

મુંબઈગરાઓની ટ્રાફિકની સમસ્યા હળવી થશે, એક નવો ફ્લાય ઓવર ખુલ્લો મુકાયો, બાંદ્રાથી વડાલા માત્ર 10 મિનિટમાં પહોંચો; જાણો વિગત

મલાડના મનોરીમાં દરિયા કિનારા પાસે 30 એકરના પ્લોટમાં 1,600 કરોડ રૂપિયાના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે. પૂરા પ્રોજેક્ટને તૈયાર થતા ચાર વર્ષનો સમય લાગવાનો છે. આ પ્રોજેક્ટની ક્ષમતા પ્રતિદિન 200 મિલિયન લિટર પર ડે એટલે કે 20 કરોડ લિટર પાણીની હશે. ભવિષ્યમાં તેની ક્ષમતા 40 કરોડ લિટર સુધી લઈ જવામાં આવશે. મુંબઈ મહાનગરપાલિકા અને ઈઝરાયેલ સ્થિત એક કંપની સંયુક્ત રીતે આ પ્રોજેક્ટ પર કામ કરી રહી છે.

Mumbai Rain Water મુસળધાર વરસાદથી મુંબઈને પાણી પૂરું પાડતા તળાવોમાં ૮૩ ટકા પાણીનો જથ્થો જમા, જાણો એક ટકા પાણી કેટલા દિવસ ચાલે?
Illegal Foreign Couple Arrested In Mahim માહિમમાંથી ૨૦ વર્ષથી ગેરકાયદે રહેતું વિદેશી દંપતી ઝડપાયું સાયબર તપાસથી ખૂલી પોલ
Gold Smuggling At Mumbai Airport મુંબઈ એરપોર્ટ પર ડીઆરઆઈનો મોટો સપાટો ૨૩.૬૩ કરોડનું સોનું જપ્ત અને ૮ની ધરપકડ
Mumbai Press Club Election મુંબઈ પ્રેસ ક્લબની ચૂંટણીમાં ‘સેવ ધ પ્રેસ ક્લબ એલાયન્સ’નો ભવ્ય વિજય; સુરેન્દ્ર પી. ગંગાન પ્રમુખ તરીકે ચૂંટાયા
Exit mobile version